SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આરંભીને ઓગણીશ સુધીના પરીષહો વિકલ્પ સંભવે છે. [5]શબ્દશાનવાવયો-એકથી માંડીને ભાજ્ય-વિકલ્પ સંભવે યુપ-એકી સાથે પવનવિંશતિ-ઓગણીસ U [6]અનુવૃત્તિઃ-માવનનિર્વાર્થ સૂત્ર ૧:૮ થી પરીષહી: શબ્દની અનુવૃત્તિ. U [7]અભિનવટીકા- પ્રગ્નઃ- પરીષહોની સંખ્યા બાવીસનની કહી છે. તથા સંયતોની જૂદી જૂદી કક્ષાએ તેમાંથી ૨૨-પછી ૧૪ -પછી ૧૧ એવી ત્રણ ભિન્ન સંખ્યાને જણાવી છે તો પછી અહીં સૂત્રકારે ૧૯-પરીષહો સુધીની ભજના-વિકલ્પ કઈ રીતે કહી? સમાધાનઃ-અહીં જે ૧૯-પરીષહો સુધીની ભજના અથવા એક જીવને એકી સાથે એકથી માંડીને ૧૯ પરીષહો વિકલ્પ કહ્યા તે આરીતે છે.જી ૧- જે ૧૧-૧૪કે ૨૨ વિકલ્પો કહ્યા છે તે તો આત્મવિકાસની કક્ષા અર્થાત્ ગુણસ્થાનક ને આશ્રીને છે. ૨- અહીંજે ૧૯ સુધીના નો વિકલ્પ કહ્યો તે એક જીવને આશ્રીને એક સાથે થતાં વધુમાં વધુ પરીષહોની સંખ્યા છે. -૩કેટલાંક પરીષહો પરસ્પર વિરોધી હોવાથી એકસમયે તે બંનેનું અસ્તિત્વ હોતું નથી માટે આ સંખ્યા ૨૦ને બદલે ૧૯ ગણાવી છે. જેમકે શીત પરીષહ હોય ત્યારે ઉષ્ણ નહોય અને ઉષ્ણ પરીષહ હોય ત્યારે શીત ન હોય પરીણામે એક પરીષહ ઘટી જતાં આ સંખ્યા ૨૧ ની થશે. શવ્યા, ચર્યા અને નિષદ્યા એ ત્રણે પરીષહો માંથી સમકાલે એકજ પરીષહ સંભવે છે. પરીણામે કોઈપણ બે પરીષહ ગૌણ થઈ જશે અથવા ત્રણમાંથી એકજ પરીષહનો સંભવ એક સમયે રહે છે. માટે ર૧ પરીષહોમાંથી બીજા બે ઘટી જતાં ૧૯ ની સંખ્યા થઈ જશે. સારાંશ એ કેશીત-ઉષ્ણ માંનો કોઇ એક અને શવ્યા, ચર્ચા-નિષઘાએ ત્રણમાંનો કોઇ એક એમ પાંચ માંના બેનો સંભવ અને ત્રણનો અસંભવમાની એક આત્મામાં એક સાથે વધુ માં વધુ ૧૯ પરીષહોનો સંભવ જણાવવામાં આવ્યો છે. ૪- સૂત્રકારે પોતેજસ્વોપજ્ઞ ભાષ્યમાં આ વાત જણાવી છે કે શૌતોujપરીષહી યુપન भवत: । अत्यन्त-विरोधित्वात् । तथा चर्याशय्यानिषद्यापरीषहाणाम् एकस्य संभवे द्वयोरभाव: [જો કે નવતત્વ પ્રકરણ માં, તેના વિવરણમાં સમકાળે ૨૦ પરીષહનું વિકલ્પ અસ્તિત્વ કહ્યું છે તેઓ ચર્યા અને નિષદ્યા ને જ પરસ્પર વિરોધી માને છે. પરીણામે ૧૯ ને બદલે ૨૦ની ભજના છે તેમ કહે છે લોકપ્રકાશમાં પણ ૨૦ પરીષદો વિકલ્પ હોવાનું જણાવેલ છે. પણ પૂ.ઉમાસ્વાતિજી મહારાજાએતોસૂત્રમાં સ્વોપલ્લભાષ્યમાં કે તેના ઉપર લખાયેલી સિધ્ધસેનીય હારિભદ્દીય બંને વૃત્તિમાં, દિગમ્બરટીકામાં સર્વત્ર ૧૯પરીષહોનું જ વિધાન કરેલ છે, જેમાં ભિન્ન ભિન્ન પરંપરા અથવા વિવિક્ષા ભેદ જ મુખ્ય છે. તે વાત લક્ષમાં રાખવી પણ આ ૧૯ નું વિધાન ખોટું છે અને ૨૦ની ભજના જ સત્ય છે. તેવી મિથ્યા માન્યતા રાખવી નહી. ( પ-બાળ્યા અહીં ભજના શબ્દનો અર્થ વિકલ્પ થાય છે, તેથી એક જીવમાં એક સમયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy