SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કાર્મગ્રંખ્યિક પરિભાષામાં વાત કર્મો કહે છે) નો સર્વથા ક્ષય થઈ ગયો હોય છે. -પરિણામે વળી ભગવંતોને મોહનીયજન્ય આઠ,જ્ઞાનાવરણ જન્ય બે,અંતરાય જન્ય એક એમ કુલ અગીયાર પરીષહોનો સંભવ રહેતો નથી કારણ કે તેના જનકકર્મોનો નાશ થઈ ગયો છે -વેદનીયકર્મ હજી ક્ષય પામેલન હોવાથી આ અગીયાર પરીષદોનો સંભવ રહે છે. તેથી સત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં તેની ગયા: એવું વિધાન કરેલ છે. સારાંશ એ જ કે વેદનીયકર્મ જન્ય અગીયાર પરીષહો નો કેવળી ને સંભવ રહે છે. * પ્રશ્નઃ - સ્વોપજ્ઞ ભાષ્યમાં સમવતિ એવું પદ કેમ મુકયું? સમાધાન - કેવળી ભગવંત ને વેદનીયકર્મ ક્ષણ થયું હોતું નથી પરીણામે તર્જનીત અગીયારે પરીષહો નો સંભવ રહેતો હોવાથી તે સંભવીતતા કે શકયતા ને દર્શાવવા માટે સમવતિ પદ મુકયું. જ કર્મગ્રન્થ મુજબ આ સૂત્રનો અર્થ અત્યાર સુધીની ટીકામાં નિને શબ્દનો કેવળી એવો શાસ્ત્રીય અર્થ જણાવીને સમગ્ર વ્યાખ્યા કરેલી છે. કેમ કે તત્વાર્થ સૂત્રમાં એ જ અર્થ સમર્થ છે. પરંતુ કર્મગ્રન્થાનુસાર અહીં ગુણ સ્થાનક ને આશ્રીને આ અર્થ રજૂ કરી શકાય છે. (૧)તેરમું ગુણ સ્થાનક -“સયોગી કેવલી ગુણ સ્થાનક' (૨)ચૌદમું ગુણ સ્થાનક-“અયોગી કેવલી ગુણ સ્થાનક' -જેને મન વચન કાયાનો યોગ વર્તે છે તે સયોગી કેવલી અને જે કેવલી પરમાત્મા યોગથી રહિત છે તે અયોગી કેવલી. આ તેરમા,ચૌદમાં બંને ગુણ સ્થાનકમાં અગીયાર પરીષહો નો સંભવ રહે છે તેવો અર્થ કાર્મગ્રન્થિક પરિભાષાનુસાર સમજી લેવો. જ અગ્યાર પરીષહો (૧)સુધા પરીષહ, (૨)પિપાસા પરીષહ, (૩)શીત પરીષહ, (૪)ઉષ્ણ પરીષહ, (૫)દંશ મશક પરીષહ, (૬)ચર્યા પરીષહ, (૭)શયા પરીષહ, (૮)વધ પરીષહ, (૯)રોગ પરીષહ, (૧૦) તૃણ સ્પર્શ પરીષહ, (૧૧)મલ પરીષહ, U [8] સંદર્ભ ૪ આગમ સંદર્ભ સનમર્ણિ કૃતિ પરીસદી પૂછત્તા ? રોમ एक्कारस परीसहा पण्णत्ता * भग.श.८,उ.८,सूत्र.३४३-१३ ૪ તત્વાર્થ સંદર્ભ (१)ज्ञानावरणेप्रज्ञाऽज्ञाने सूत्र. ९:१३ (२)दर्शनमोहान्तराययोरदर्शनलाभौ -सूत्र. ९:१४ (૩)રાત્રિમાદેના ચાતિથ્વી, મૂત્ર. ૧: (૪) ની શેષા: સૂત્ર. ૧:૨૬ અન્ય સંદર્ભઃ(૧)નવતત્વ ગાથાઃ ૨૮ ના વિવેચનને આધારે (૨)કર્મચન્ય બીજો-ગાથા-૨ વિવરણ-ગણ સ્થાનકonly Jain Education www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy