SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા I [5]શબ્દજ્ઞાનઃસૂક્ષ્મપરાય-સૂક્ષ્મસમ્પરાય નામક ગુણસ્થાનક છથવીતરા-છદ્મસ્થ વીતરાગ નામક ગુણસ્થાનક વાશ-ચૌદ, (સુધા-પિપાસાદિ ઉપર કહ્યા મુજબ) U [6]અનુવૃત્તિઃ(૧)માવ્યવનનિરાઈ. સૂત્ર-૯:૮ થી પરીષદ:ની અનુવૃત્તિ (૨)ક્ષુત્પિપાસાશીતો. સૂત્ર-૯૯ થી પરીષહોના નામો | U [7]અભિનવટીકા-આસૂત્રથકી સૂત્રકારમહર્ષિઆ ૨૨ પરીષહના અધિકારી કે સ્વામીનો ગુણસ્થાનકને આત્મવિકાસસકક્ષાને આશ્રીને નિર્દેશ કરે છે. જેની વ્યાખ્યા સૂત્રસારમાં ટૂંકી અને સ્પષ્ટ, આપેલી છે તેથી સૂત્રના શબ્દો અનુસાર તેની અભિનવટીકા તથા વિશેષતા અહીં મુદ્દાસર રજૂ કરેલ છે જ સૂક્ષ્મસમ્પરાયઃ $ આ ગુણ સ્થાનકે[કક્ષાએ સમ્પરય અર્થાત લોભ કષાયનો ઉદય ઘણો જ સૂક્ષ્મ રહે છે. તેથી તેને સૂક્ષ્મસમ્પરાય ગુણ સ્થાનક કહેવામાં આવે છે. ૪ કર્મગ્રન્થાદિની દ્રષ્ટિએ સૂક્ષ્મસમ્પરાય એ દશમું ગુણ સ્થાનક છે. લોભ નામક કષાયના બાદર ખંડો તો નવમે ગુણઠાણે જ છૂટા પડી જાય છે, દશમે ગુણઠાણે સૂક્ષ્મ લોભના પરમાણુઓ વેદાય છે. # સૂત્રકારે સૂમસમ્પય શબ્દનો અર્થ સ્વોપલ્લભાષ્યમાં સૂક્ષ્મપરાયસંયત એટલો જ કરેલો છે. સમગ્ર અધ્યાયમાં કયાંય ગુણ સ્થાનક શબ્દ આવતો નથી. અહીં દરેકટીકાકાર દશમે ગુણઠાણે એવો જે અર્થ કરે છે તેના મૂળમાં કર્મગ્રન્થાદિ સાહિત્ય છે. કર્મગ્રન્થમાં આવતા ગુણ સ્થાનક કિ ગુણઠાણા ના સુપ્રસિધ્ધ વર્ણનને આધારે સૂક્ષ્મપરાય એટલે દશમું ગુણ સ્થાનક એવો અર્થ અહીં કરાતો જોવા મળે છે. સિધ્ધસેનીય ટીકામાં પણ આ ગુણ સ્થાનકને દશમાં ગુણઠાણા રૂપે કહેવાયું છે. છતાં આ વાતનોંધપાત્ર છે કેતત્વાર્થસૂત્રમાં કે તેના ભાષ્યમાં કયાંયે ગુણ સ્થાનક શબ્દનો ઉલ્લેખ સુધ્ધા આવતો નથી. વળી સૂત્ર૯:૪૭ઈ....મુળનિર્નર: સૂત્રમાં ચોથાથીતેરમા ગુણસ્થાનક પર્યન્તનાદશ ગુણઠાણા ને રજૂકરતી હોય તેવી જે નિર્જરા શ્રેણી રજૂ કરી છે તેમાં પણ આ શબ્દોનો કયાંય પ્રયોગ કરાયો નથી. તેથી સૂક્ષ્મસન્મય નો અર્થ માત્ર “લોભ કષાય નો ઉદય અતિ સૂક્ષ્મ હોય તેવી અવસ્થા એટલો જ સમજીને ૧૪ પરીષહો જાણવા. -અથવા તો પ્રસિધ્ધ કાર્મગ્રંખ્યિક મતાનુસાર દશમે ગુણઠાણે આ ૧૪ પરીષહો હોવાનું પણ સમજી શકાય છે. * छद्मस्थवीतराग: છદ્મવીતરાગ એટલે જેમણે મોહનીય કર્મને સર્વથા ઉપશમાવેલ છે અથવા મોહનીય કર્મનો સર્વથા ક્ષય કર્યો છે, પરંતુ શેષછદ્મ કર્મો હજુ તેના વિદ્યમાન છે. તેને છબસ્થ વીતરાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy