SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા માત્ર? તો તેને પ્રજ્ઞા પરીષહ જીત્યો કહેવાય [૨૧]અજ્ઞાન પરીષહ: # વિશિષ્ટ શાસ્ત્ર જ્ઞાનથી ગર્વિત ન થવું અને તેના અભાવમાં આત્મામાં લઘુતાગ્રંથિ ન અનુભવવી તેઅજ્ઞાન પરીષહ જય જ વિશિષ્ટ જ્ઞાનની અપ્રાપ્તિ ને અજ્ઞાનપરીષહ કહે છે. અજ્ઞાનતા ને લીધે, કોઈ એમ કહે કે, “આ અજ્ઞાન છે, પંગુ સમાન છે, એને કશી ગતાગમ નથી” ઈત્યાદિ આક્ષેપ તિરસ્કારમાં સમતા રાખવી એ પરીષહ જય છે. ૪ શ્રુતજ્ઞાન હોય તેનો ગર્વનકરે અને અક્ષરપણ ન ચડે તો ખેદ ન કરે પણ પૂર્વભવના જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કે ઉદયમાનીને સમભાવ કેળવે. સહન કરે તે અજ્ઞાન પરીષહ જય # પોતાને સૂક્ષ્મબોધ ન હોવાથી અન્ય જીવોને બોધ કરવાની કુશળતા પોતાનામાં નથી, એમ સમજીને દુઃખ ન ધરે પણ સમભાવે પોતાના આત્માને ધર્મમાર્ગમાં સ્થિર રાખે તેને અજ્ઞાન પરીષહ જય જાણવો. [૨૨]અદર્શન પરીષહ # સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થવાથી સ્વીકારેલ ત્યાગ નકામો ભાસે, ત્યારે વિવેકી શ્રધ્ધા કેળવી તે સ્થિતિમાં પ્રસન્ન રહેવું તે અદર્શન પરીષહ. જ શાસ્ત્રોનાં રહસ્યો ન સમજાય, પર દર્શનના પ્રત્યક્ષ ચમત્કારો દેખાય વગેરે સમ્યગ્દર્શન થી ચલિત થવાના પ્રસંગોની ઉપસ્થિતિ એ અદર્શન પરીષહ છે. તે પ્રસંગોમાં સમ્યગ્દર્શન થી ચલિત ન થવું એ અદર્શન પરીષહ જય. જ નિશ્ચય શુધ્ધ સમ્યક્તસહિતપણાનો પોતાનામાં તત્વાર્થ પ્રતિની શ્રધ્ધાનો અર્થાત શમ-સંવેગાદિલક્ષણો વડે નિશ્ચયન કરી શકવાથી, પ્રાપ્ત તત્વબોધ [-શ્રધ્ધાથી ચલિત ન થાય તેને અદર્શન પરીષહ જય જાણવા. . * # અનેક કષ્ટ અને ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં પણ સર્વજ્ઞભાષિત ઘર્મની શ્રધ્ધાથી ચલાયમાન નથવું, શાસ્ત્રોના સૂક્ષ્મ અર્થ ન સમજાય તો વ્યામોહ ન કરવો. પરદર્શનમાં ચમત્કાર દેખી મોહન પામવો ઇત્યાદિ અદર્શન પરીષહ જય કહેવાય. આ પરીષહો જ્ઞાનવરણ,વેદનીય,દર્શન મોહનીય,ચારિત્ર મોહનીય અને અંતરાય એ પાંચ પ્રકારની પ્રવૃત્તિઓના ઉદયથી ઉત્પન્ન થાય છે જેનું વર્ણન આગામસૂત્ર ૭:૧૩થી ૭ઃ૧દમાં અપાયેલું છે. 3 [8] સંદર્ભઃ # આગમસંદર્ભઃ- વાવીસાપરીસદા પDUત્તા,તંગદા છિી પરીસ, પિવાસ પરીદે सीतपरीसहे उसिणपरीसहे दंसमसगपरीसहे अचलपरीसहे अरइपरीसहे इत्थी परीसहे चरीआपरीसहे निसीहिया परीसहे सिज्जापरीसहे अककोसपरीसके वहपरीसहे जायणापरीसहे अलाभपरीसहे रोगपरीसहे तणफास परीसहे जल्लपरीसहे सक्कार परीसहे पण्णापरीसहे अण्णाण परीसहे दंसणपरीहसे * सम. २२ एवं. * उत्त. अ.२-गा.१ ૪ તત્વાર્થ સંદર્ભઃ(१)ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने ९:१३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy