SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જણાવવા માટે છે. (૨)તપથી અભિનવ કર્મ પ્રવેશનો અભાવ થાય છે અને પૂર્વઉપચય કરેલા કર્મોનો ક્ષય થાય છે. (૩)બારભેદ વડેતપ કરવાથી પૂર્વેકહ્યા મુજબનોસંવર થાયછે અર્થાત આગન્તુક કર્મોના અભાવનું પ્રતિપાદન થાય છે અને લાંબા કાળથી બંધાયેલા કર્મોનો પણ અભાવ પ્રતિપાદિત થાય છે આ રીતે તપ એ સંવર અને નિર્જરા લક્ષણ બંનેનો હેતુ ભૂત થાય છે. (૪)સમતા પૂર્વક કરવામાં આવતા તપથી આવતા કર્મો તો રોકાય જ છે સાથે સાથે નિકાચીત કર્મના બંધનો પણ તુટી જાય છે. (૫)જો કે દશ પ્રકારના યતિધર્મમાં તપનો સમાવેશ કર્યો જ છે (જુઓસૂત્ર-૯૩૪મક્ષમામાવાળં.] છતાં અહીંજેપૃથ ગ્રહણ કરેલછેતેતપની પ્રધાનતા જણાવવા માટે છે, સમ્યફ તપ નવા કર્મોના સંવરણ પૂર્વક કર્મક્ષયનું કારણ હોય છે. []સંદર્ભ# આગમ સંદર્ભઃएवं तु संजयस्सावि पावकम्म निरासवे भव कोडि संचियं कम्मा तवसा निज्जरिज्जइ * उत्त. अ.३०,गा.५ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)ગાવ નિરોધ: સંવર -સંવર (૨)તતક્શનના મ.૮-પૂ.ર૪ નિર્જરા (૩)સત્તમામ માર્વવાર્નવા. ૫.૮-પૂ. ૬ તપથી (૪)નીનાવમૌર્યવૃત્તિ -ખૂ. ૨૨-બાહ્યતા (૫)પ્રાયશ્વિવિનયવૈયાવૃત્ય મ૨-ખૂ. ૨૦અભ્યતર તપ [9]પદ્ય(૧) તપ થી સંવર થાય સારો નિર્જરા પણ થાય છે અધ્યાય નવમે સૂત્ર બીજે પૂર્વધર પણ ગાય છે (૨) આ સૂત્રનું બીજું પદ્ય હવે પછીના સૂત્ર૪ માં કહ્યું છે U [10] નિષ્કર્ષ -તપ એ સંવર અને નિર્જરાનું મહત્વનું કારણ હોવાથી નાનામોટા કોઈ પણ અનુષ્ઠાન કે ધર્મક્રિયામાં અવશ્ય તપ કરવાનું વિધાન જોડાયેલું રહે છે. કેમ કે કોઇપણ જૈિન ધાર્મિક ક્રિયાકે આચરણ મોક્ષના ઉદ્દેશથી જ કરાવાય છે. સંવરઅને નિર્જરા એ મોક્ષ પૂર્વેના જ તબક્કા હોવાથી તેના કારણ ભૂત તપધર્મનું અહીંવિધાન કરવામાં આવેલું છે. તેનો અર્થ એ પણ સમજી જ લેવો કે મોક્ષના ઉદેશવિનાની એટલે કે નિર્જરાના હેતુ વિહિન તપ કે અનુષ્ઠાનને સમ્યફ ગણવામાં આવતા નથી એ રીતે આ સૂત્રનો નિષ્કર્ષ એવો વિચારવો જોઈએ કે અહીં જે તપને નિર્જરા તથા સંવરનું સાધન કહ્યો છે. તે સમ્યફ તપની જ વાત કરી છે કેમ કે .૬-પૂરમાં બાળતપ તો કર્માસ્ત્રવનો હેતુ કહ્યો છે. માટે સમ્યક્તપજ સંવર તથા નિર્જરાનું સાધન બની શકે. તેથી સમ્યફ તપનું આરાધન કરવું જોઈએ. Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy