SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩ ૪ જેના વડે અષ્ટવિધ કર્મો તપે છે તપ. $ બાહ્ય-અભ્યત્તર-બાર ભેદ જે કહેવાયેલ છે તે તપ. આ { શબ્દને કરણમાં તૃતીયા વિભકતલગાડતા 19 શબ્દ બનેલ છે.એટલે કે નિર્જરા અને સંવર નામના કાર્યનું કારણ કે કરણ-સાધન તપ છે. તેવું આ સૂત્ર પ્રતિપાદિત કરે છે. તપના બાર ભેદ-સૂત્રકાર મહર્ષિ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે. तपो द्वादशविधं वक्ष्यते । (तेन संवरो भवति निर्जरा च ।) આગામી સૂત્ર []૨૨-૨૦ માં તપના જેબાર ભેદો કહેવાય છે [તેના વડે સંવર તથા નિર્જરા બંને થાય છે. ૪ બાહ્યતપ-અનશન,ઉણોદરિકા, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલિનતા એ છ ભેદો બાહ્ય તપના છે. કેમ કે મુખ્યત્વે તે બાહ્ય દોષોને દૂર કરવા સ્વરૂપ છે. હું અત્યંતર તપ-પ્રાયશ્ચિત,વિનય વૈયાવચ્ચ, સઝાય,ધ્યાન અને ઉત્સર્ગ એ છ ભેદો અત્યંતર તપના કહ્યા છે. કેમ કે તેના થકી મુખ્યત્વે કષાયાદિ દોષોને દૂર કરવામાં આવે છે. આવો બાર ભેદે કહેવાયેલ તપ છે. તે તપ વડે શું થાય છે?-નિર્જરાજ નિર્જરાઃ-તપસી નિર્નરી -તપ વડે નિર્જરા થાય છે. છે નિર્જરા શબ્દની વ્યાખ્યા આ પૂર્વે સૂત્ર ૮:૨૪ તક્વનિર્જરા માં કરેલી છે નિર્નરનિર્વા-કર્મોનુંનિર્જરવું તેને નિર્જરા કહી છે. તપની આચરણ થકી આત્મપ્રદેશો થી કર્મોનું જે વિઘટન થવું અર્થાત્ છુટા પડવું તેને નિર્જરા કહી છે. 4 विपक्वानां कर्मावयवान्तं परिशटनं, हानिः इत्यर्थः ઉપર સૂત્રમાં જણાવેલ દ્રવ્ય સંવર અને ભાવ સંવર પરિણામમાં આત્માનો નિષ્કામ બુધ્ધિએ જે પરભાવનો ત્યાગ કરવાનો, જેટલો જેટલો અને જેવો જેવો આત્મપરિણામ હોય છે, તે ભાવે તે જીવ પૂર્વ સંચિત કર્મોનો [જે આત્માની સાથે સત્તા એ બંધાયેલા પડ્યા છે) વિવિધ પ્રકારે ક્ષય અર્થાત નિર્જરા કરે છે. આ રીતે આત્મ પ્રદેશો થી કાર્પણ વર્ગણા નું છૂટું પડવું તેનું નામ નિર્જરા છે. જ -સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં સમુચ્ચયને માટે “ઘ''મુકેલ છે આ દ્વારા તેઓ ઉપરોકત સંવર તત્વનું પણ અનુકર્ષણ કરવાનું સૂચવે છે એટલે કે તપથી નિર્જરા થાય છે અને સંવર પણ થાય છે. 4 च शब्दः प्रस्तुतसंवरानुकर्षी, तपसा संवरश्चक्रियते ૪ અનશન,પ્રાયશ્ચિત ધ્યાન વગેરે તપથી યુકત આત્મા અવશ્યતયા સંવૃત્ત આગ્નવ દ્વાર યુકત અર્થાત્ સંવર યુક્ત થાય છે. * સૂત્રસ્પષ્ટીકરણ –તપના નિરીરતપ વડેનિર્જરા અને સંવર થાય છે. એટલો સૂત્રસાર જોયો પણ કેટલીક અન્ય બાબતો નુંઆવિષ્કરણ પણ આ તબક્કે ઉપયોગી છે. તે આ પ્રમાણે (૧)આ સૂત્રનું જે પૃથક પ્રહણ કરેલ છે તે સંવર - અને નિર્જરા એ બંને હેતુને અ. ૯૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy