SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ત્યાં ત્રિગુપ્તિ વળી સમિતિ છે પાંચને ધર્મશિષ્ટ ચારિત્રો ને પરીષહ જયો ભાવનાઓ વિશિષ્ટ [] [10]નિષ્કર્ષ:- આ પ્રકરણ એ સંવર વિષયક છે સમગ્ર અધ્યાયમાં આવતા સૂત્રોનું આ બીજક સૂત્ર છે. આ સૂત્ર થકી મુખ્ય જેછ ભેદો જણાવ્યા તેમાં નિષ્કર્ષ યોગ્ય તત્વ હોય તો એક જ છે કે ‘‘કર્મને અટકાવવા તે’’ આવતા કર્મોને રોકવામાં આવશે તો જ એક સમય સર્વસંવરનો આવશે. આ સર્વ સંવર વિના કદાપી મોક્ષ થવાનો નથી. કર્મને અટકાવવા છે એટલો નિર્ધાર થઇ જાય ત્યાર પછી સૂત્રકારે બતાવેલલા સમિતિગુપ્તિ આદિ માર્ગ ઉપર ચાલવાનું અર્થાત્ તેનું અનુસરણ કરવાનો નિશ્ચય થઇ જાય એટલે છેલ્લો તબક્કો આવશે ચારિત્ર,જેમાંનું છેલ્લું ચારિત્ર છે યથાખ્યાત મન,વચન,કાયાને ગોપવીને રહેલો આત્મા યથાખ્યાત ચારિત્રપર્યન્તની સંવર યાત્રા પૂર્ણ કરતાંજ મોક્ષની પ્રાપ્તિ માટેનો સર્વથા લાયક ઉમેદવાર બની જશે. ૧૬ અધ્યાયઃ-સૂત્રઃ૩ [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી સૂત્રકાર સંવર તથા નિર્જરા બંનેના ઉપાયને જણાવે છે. ] [2]સૂત્ર:મૂળઃ-đપસા નિર્ણય ન [] [3]સૂત્રઃપૃથક્-સૂત્ર-પૃથતિ જ છે [] [4]સૂત્રસાર:-તપ વડે નિર્જરા અને [સંવર બંને થાય છે] ] [5]શબ્દશાનઃ તપ-તપ વડે, બાર ભેદે તપ કહેવાયો છે. તે તપ થકી નિર્ણય -નિર્જરા, કર્મનું ખરી જવું [] [6]અનુવૃત્તિ:-આગ્નનિરોધ: સંવર T- સંવરની અનુવૃત્તિ માટે [] [7]અભિનવટીકાઃ- અહીં સૂત્રકાર મહર્ષિ ‘‘તપ’’ નામના એક વિશેષ કારણને જણાવે છે. કે જે સંવર ઉપરાંત નિર્જરાનું પણ કારણ છે. અર્થાત્ તપ એ જેમ સંવરનો ઉપાય છે, તેમ નિર્જરાનો પણ ઉપાય છે. વ્યવહારુ, જગમાં તપને લૌકિક સુખ પ્રાપ્તિના સાધન રૂપ ગણેલ છે. તેમ છતાં એ જાણવું આવશ્યક છે કે તપ એ નિઃશ્રેયસ અર્થાત્ આત્મિક સુખનું પણ સાધન છે. કારણ કે તપ એ સાધન તરીકે એક જ હોવા છતાં તેની પાછળ જો સકામ-ભાવના પડેલી હોય તો તે તપ અભ્યુદય ને સાધે છે. અને જોનિષ્કામ ભાવના પડેલી હોય તોનિઃશ્રેયસને અર્થાત્ સંવર તથા નિર્જરાને સાધનારો થાય છે. એ વાતને સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી કહે છે. જ તપસા-તપથી,તપ વડે પણ તપ એટલે શું? તખતે રૂતિ તપ:,મેન્યતે રૂતિ યાવત્ । તપતિ વા તારમ્ તિ ત૫: 1 જે કર્મને તપાવે તે તપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy