SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ 3 [9]પદ્યઃ (૧) (૨) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ સૂત્રનું પ્રથમ પદ્ય પૂર્વ સૂત્રઃ૨૫ માં કહેવાઇ ગયું છે. આંતર બાહ્ય વસ્તુનો ત્યાગ સુત્યાગની સ્થિતિ અહંતા મમતા બન્ને થાય નિવૃત્ત જેહથી J [10]નિષ્કર્ષ:-અત્યંતર તપના ભેદ રૂપે કહેવાયેલા વ્યુત્સર્ગ તપ એ અતિ સુંદ૨ વાત કહી જાય છે. કેમ કે એકતો તપ પોતેજ મૂળભૂત પણે સંવર અને નિર્જરાનું સાધન છે. વધારામાં અહીં વ્યુત્સર્ગ શબ્દથી જે અર્થ પ્રસિધ્ધ છે તેબધું જ છોડવાનું સૂચન કરે છે. જેમાં આદેહનો પણ ત્યાગ કરવાનો છે અને છેલ્લે કર્મોનો પણ ત્યાગ કરવાનો જછે અર્થાત્ જે તપનો હેતુ છે તે જ વ્યુત્સર્ગ નો અર્થ છે. તપ થકી પણ છેવટે તો કર્મોને છોડવાના જ છે અને વ્યુત્સર્ગ થી પણ કર્મોનો ત્યાગ જ કરવાનો છે. અને જો કર્મોનો ત્યાગ થઇ ગયો તો પછી ઉપધિ પછી તે બાહ્ય હોય કે અત્યંતર હોય બન્નેનો ત્યાગ થઇ ગયો હોય. કેમ કે કર્મજનહોય તો તદ્દન્ય શરીર પણ નહીં રહે અને શરીર નહીં રહેતો પછી તેને ઉપાધિ ઉપકરણની જરૂર પણ નહીં રહે. આત્માને આ બધી વળગણ છે તે તો માત્ર કર્મના સહઅસ્તિત્વના કારણે જ જોડાયેલી છે. જે દિવસે આત્મા કર્મથી સર્વથા મુકત થશે તે દિવસે કર્મજન્ય કોઇ ઉપધિ રહેવાની જ નથી. જો કે પ્રાયશ્ચિત ના ભેદોમાં પણ વ્યુત્સર્ગ તપનોઉલ્લેખ હતો પણ ત્યાં વ્યુત્સર્ગ તપ પ્રાયશ્ચિત સ્વરૂપે કહેવાયેલો છે જયારેઅહીં વ્યુત્સર્ગ પોતે જ એક સ્વતંત્ર તપ છે. બંનેમાં નિર્જરા નો હેતુ હોવા છતાં પ્રાયશ્ચિત માં દોષ સુધારણાની મુખ્યતા છે અહીં સર્વસ્વ ત્યાગ થકી મુકિત એ જ મુખ્ય હેતુ છે. અધ્યાયઃ૯-સૂત્રઃ૨૦ [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી અત્યંતર તપના એક ભેદ એવા ધ્યાન ના સ્વરૂપ કે લક્ષણ ને જણાવે છે [2]સૂત્ર:મૂળ:--ત્તમમંદનનસ્યંગવિજ્ઞાનિશેષોધ્યાનમ્ [] [3]સૂત્રઃપૃથક્-ઉત્તમસંહનનસ્યામ - વિના નિરોધ: ધ્યાનમ્ [] [4]સૂત્રસારઃ-ઉત્તમ સંહનન [-સંઘયણ] વાળાનું જે એક વિષયમાં અંતઃકરણની વૃત્તિનું સ્થાપન તે ધ્યાન અર્થાત્ કોઇ એક વિષયમાંચિત્તની સ્થિરતા તે ધ્યાન આવુંધ્યાન ઉત્તમ સંઘયણ વાળાને હોય છે.] ] [5]શબ્દશાનઃ ત્તમસંદનનસ્ય-ઉત્તમ સંઘયણ વાળાને ધામ-એક વિષયમાં ધ્યાનમ્-ધ્યાન [અત્યંત૨ તપનો એક ભેદ] વિજ્ઞાનિશેષ -ચિત્ત સ્થિરતા *ત્તમમંદનનÊત્રપ્રવિન્દાનિશેષો ધ્યાનમાન્તર્મુહૂર્તીત્ એ મુજબનું સંયુકત સૂત્રદિગમ્બર આમ્નાયમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy