SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૭ * સૂત્રમાં અત્યાદ્રિ શબ્દ છે તેની યર્થાથતામર્યાદ્રિ એટલે પતિ:ડિયાં (તાવીયમાન:પર્યાયવર્ટાજ્ઞાનીનામ ડૂત IFઆ બદ્રીહિ સમાસ છે કેટલાંક મત્યાદ્રિ ને બદલે મસ્કૃિત.....એવો પાચે જ્ઞાનનો પાઠ સૂત્રમાં મુકે છે તે અનાવશ્યક છે. કેમ કે અત્યાદ્રિ શબ્દની પૂર્વે અનન્તર સૂત્રમાં પવૂ મેડૂ: એવું કથન છે જ વળી ત્યારે પાંચે જ્ઞાનનો ઉલ્લેખ પ્રથમ અધ્યાયમાં કરાયેલો છે. તેથી પાંચે નામ વાળો સૂત્રપાઠ આપવાની જરૂર નથી. મત્યાદ્રિ શબ્દ થી ગ્રાહય ભેદોઃસૂત્રકાર મહર્ષિએ,આર્ષ પરંપરાનુસાર પાંચ ભેદોનું જ કથન કરેલ છે તો પણ ભાષ્યાનુસારી સિધ્ધસેનીય ટીકામાં આ ભેદોની વિશેષતા જણાવતા કહ્યું છે કે જ્ઞાનાવરણી स्वस्थाने यावन्तो विकल्पा: सम्भवन्ति सर्वे ते ज्ञानावरण ग्रहणैनैवग्राह्याइति भाष्यार्थः અર્થાત પહેલા અધ્યાયમાં જેટલા જ્ઞાનના ભેદો ગણાવ્યા છે. તે સર્વે પેટા ભેદોને આવરક કર્મ તરીકે જ્ઞાનાવરણ કર્મના પેટા ભેદોની ગણના કરવી એવો ભાષ્યકારના કથનનો આશય છે. આ રીતે મતિજ્ઞાન ના ૨૮ ભેદ અને બહુ-બહુવિધ આદિ ૧૨ ભેદે ગુણીએ તો ૩૩ ભેદ અને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન ના ભેદ રૂપે ચાર પ્રકારની બુધ્ધિના ભેદ ઉમેરીએ તો કુલ ૩૪૦ ભેદ થાય છે આ પ્રત્યેક ભેદને આવરક કર્મ પણ મતિજ્ઞાનવરણકર્મજ કહેવાશે. એ જ રીતે શ્રુતજ્ઞાનના ૧૪ ભેદો પ્રસિધ્ધ છે અને ૨૦ભેદો પણ પ્રથમ કર્મગ્રન્થ ગાથી૭ માં કહેવાયા છે. તેમજ તત્વાર્થ સૂત્ર ૧૯૨૦મુજબ અંગ અનેઅનંગ એવા મુખ્ય બે ભેદ છે અને તેના પેટા ભેદને જણાવતા અંગપ્રવિષ્ટ ના ૧૨ અને અંગબાહ્ય ના અનેક ભેદો કહ્યા છે આ સર્વે ભેદો મુજબ આવરક કર્મ તે શ્રુતજ્ઞાનાવરણ કર્મ. એ જ રીતે અવધિ જ્ઞાનના મુખ્ય બે ભેદ, તેમજ બીજા ક્ષયોપશમન અવધિ જ્ઞાનના છ ભેદ, મનપર્યાયના બે ભેદ, કેવળ જ્ઞાનનો એક ભેદછતાં વિશેષ વિચારતા સયોગી અયોગી બે ભેદ પણ ટીકાકાર મહર્ષિએ કહ્યા] આ સર્વે ભેદોનો જ્ઞાનાવરણ કર્મમાં સમાવેશ થાય. આ રીતે જ્ઞાનાવરણકર્મના પભેદને મુખ્ય-પેટભેદ સમજવા વ્યવહાર પ્રસિધ્ધ-૫૧ ભેદ સમજવા અને વિસ્તારથી કહીએ તો ઉપરોકત વિવરણાનુસાર તમામ ભેદો સમજી લેવા. જ વિશેષ:- અહીં વિશેષતા એ છે કે જ્ઞાનાવરણ કર્મના સર્વઘાતી રસયુકત પુદ્ગલો હોવાથી કેવળજ્ઞાનનું આવરણ કરે છે અને તે સર્વઘાતી પ્રકૃતિ ગણાય છે. કેવળજ્ઞાનનું આચ્છાદન થવા છતાં તેનો જે પ્રકાશ ઉઘાડો રહે છે તેને દેશઘાતી રસવાળી અવધિ અને મન:પર્યાય જ્ઞાનાવરણ કર્મ પ્રકૃતિ આવરણ કરે છે. તેમ છતાં જે પ્રકાશ ખુલ્લો રહે છે તેને મતિજ્ઞાનવરણ શ્રુતજ્ઞાનાવરણ દેશઘાતી કર્મ પ્રકૃતિઓ આવરણ કરે છે. તેમ છતાંયે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ રૂપે જ્ઞાનનો જે પ્રકાશ ખુલ્લો રહે છે. તેના વડે સર્વ જીવો પોત-પોતાના જીવનનો વ્યવહાર યથાશકિત જ્ઞાનપૂર્વક ચલાવે છે. જો તેટલો પણ પ્રકાશખુલ્લો ન હોય તો જીવ-જંડ જેવો થઈ થાય છે. જ પ્રશ્નઃ અભવ્ય જીવોમાં મન:પર્યાય જ્ઞાનશકિત અને જ્વળજ્ઞાનશકિત છે કે નહીં? જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy