SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૭ ૩૭ (અધ્યાયઃ૮-સૂત્ર:0) U [1]સૂકહેતુ-જ્ઞાનાવરણ નામક મૂળ કર્મપ્રકૃતિના પાંચ ઉત્તરભેદોનો નિર્દેશ કરવા આ સૂત્રની રચના થયેલી છે. U [2] સૂત્ર મૂળ - "Aત્યાવીના [3] સૂત્ર પૃથક-મતિ - ગ્રાહીનામું || [4] સૂત્રસારમતિ આદિ મિતિ,કૃત,અવધિ,મનઃ પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાનોના આવરણો એ પાંચ જ્ઞાનાવરણ કર્મો છે] U [5]શબ્દજ્ઞાન અત્યાવીના-મતિ વગેરેના, અહીં આવી શબ્દથી મતિ,કૃત,અવધિ,મન:પર્યાય, કેવળ એપાંચ ભેદો લેવા. U [6] અનુવૃત્તિ - (૧)ગાડ્યો જ્ઞાનાવર, સૂત્ર ૮:૫ થી જ્ઞાનાવરણ શબ્દની અનુવૃત્તિ લેવી. (૨)પષ્યનવદુષ્ટસૂત્ર ૮:૬ થી પગે ની અનુવૃત્તિ. U [7]અભિનવટીકા-પ્રત્યેક આત્મામાં સમસ્ત શેયનેઆત્મ પ્રત્યક્ષ જોવાની જ્ઞાન શક્તિ રહેલી છે. પરંતુ આ જ્ઞાનગુણ ઉપર પાંચ પ્રકારના કર્મોના આવરણો-ઢાંકણો લાગવાથી તે જ્ઞાનગુણ દબાઈ ગયેલો છે. આ જ્ઞાન એ આત્મદ્રવ્યનોસ્વ-સ્વભાવ હોવાથી કોઈપણ કાળે કોઈનાથી પણતે સર્વથા દબાઈ કેન આ થઈ શકે તેમ નથી, આથી દરેક જીવોમાં આવરણોની દૂર કરાયેલ લિયોપશમ પ્રમાણે) જ્ઞાનગુણલબ્ધિ અવશ્ય ધ્યેય છેઆ મૂળ જ્ઞાનગુણલબ્ધિ જેજે રીતે પ્રર્વત છે, તેને સંબંધોને લઈને અર્થાત તેના આવરક કર્મોને જણાવવા પૂર્વક તેના પાંચ મુખ્ય (-પેયોભો અહીં જણાવેલા છે. જ સર્વ પ્રથમ મતિ-આદિ પાંચ જ્ઞાનોનું સ્વરૂપ પ્રથમ અધ્યાયમાં પાંચ જ્ઞાનની ચર્ચા અતિ વિસ્તારથી થયેલી જ છે. છતાં જ્ઞાનાવરણ કર્મસમજી શકાય તે હેતુથી અહીં પુનઃ તે પાંચ જ્ઞાનોની સામાન્ય વ્યાખ્યા કરેલી છે. ઉંડાણથી સમજવા માટે તો પ્રથમ અધ્યાયની અભિનવટીકા જોવી. -૧ મતિજ્ઞાનઃ- ઇન્દ્રિય અને મનની સહાય થી જે જ્ઞાન થાય છે તેને મતિજ્ઞાન કહે છે. -૨-શ્રુતજ્ઞાનઃ-મન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચનપૂર્વક થતો બોધ તે શ્રુતજ્ઞાન. -૩અવધિજ્ઞાન-ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના આત્મશકિતથી થતો રૂપીદ્રવ્યોનો બોધ તે અવધિજ્ઞાન. ૪-મન:પર્યવજ્ઞાનઃ- અઢીદ્વીપમાં રહેલા સંગ્નિ પંચેન્દ્રિય જીવોના મનના વિચારોના પર્યાયોનો બોધ તે મનઃ પર્યાયજ્ઞાન. -પ કેવળજ્ઞાનઃ-ત્રણે કાળના સર્વ દ્રવ્યો તથા સર્વ પર્યાયોનું જ્ઞાન તે કેવળજ્ઞાન *દિગમ્બર આનામાં આ સૂત્ર પ્રતિકૃતાધિમન: પૂર્વવત્રનામ્ એ પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005038
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy