SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯દ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -અહિંસાધર્મના પાપે જ રાષ્ટ્રનું કે મનુષ્યોનું પતન થયું છે. આ અને આવી રીતે અહિંસા વગેરે મહાન ધર્મના ખોટા દોષો બતાવવા તેને ધર્મ અવર્ણવાદ કહેલો છે. –ટૂંકમાં પાંચ મહાવ્રતના સાધનોની નિંદા કરવી,અથવા ધર્મના સાધનરૂપ જૈન શાસન, જૈન પ્રવચન, તીર્થરૂપ એવા ધર્મની નિંદા-હેલના કરવી અથવા નિંદા કે હેલના થાય તેવું કરવું કે કરાવવું તે થતું હોય ત્યારે ન રોકવું વગેરે નો ધર્મ અવર્ણવાદ માં જ સમાવેશ થાય છે. જ દેવ-ગવવાઃ - ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક,વૈમાનિકતે દેવ છે અર્થાત્ દેવગતિને પ્રાપ્ત કરી દેવ રૂપે વર્તતો એવો જીવ ૪ ભવનપતિ વગેરે ચાર પ્રકારમાં ના દેવમાંનો કોઈ પણ દેવ ૪ આદેવો સંબંધિ કંઈ અવર્ણવાદ કરવો જેમ કે –દવો છે જ નહી, જો દેવો હોય તો અહીં શામાટે ન આવે? –દેવો માંસ, મદિરાદિ ના સેવન કરનારા છે –દેવો હોય તો પણ નકામા જ છે કારણ કે શકિતશાળી હોવાછતાં આપણને તો કંઈ મદદ રૂપ થતાં નથી, કે તેમના સંબંધિનું કંઈ દુઃખ તો દૂર કરતા નથી વગેરે પ્રકારે ચારે નિકાયના દેવોની નિંદા કરવા વડે દેવોનો અવર્ણવાદ કરવો આ રીતે અસભૂત દોષોના આરોપણ થકી આ પાંચમાંના કોઇપણ નો અવર્ણવાદ કરવાથી દર્શન-મોહનીય કર્મનો આસવ થાય છે. જ દર્શન મોહનીય આસવ ના અન્ય કારણો - -મિથ્યાત્વના તીવ્ર પરિણામ -ઉન્માર્ગ દેશના -ધાર્મિક લોકોના દૂષણો જોવા -અસ અભિનિવેશ -કુદેવ આદિનું સેવન, - દેવદ્રવ્યની હાનિ કરવી, -સાધ્વીનો શિયળભંગ, -સાધુ-સાધ્વીની હત્યા કરવી -ધર્મીજનો પર આળ ચઢાવવું, અસંયમીની પૂજા કરવી આ અને આવા પ્રકારના દર્શન મોહનીય કર્મના આગ્નવો છે જેના પરિણામ રૂપે સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. * ગ્રન્થાન્તરમાં દર્શન મોહનીય કર્માસવઃ લોકપ્રકાશ, સર્ગઃ૧૦,શ્લોક-૨૫૮ મુજબઃ-ઉન્માર્ગ ઉપદેશક, સન્માર્ગ લોપક,સાધુ નિર્દક અને દેવદ્રવ્ય ભક્ષક દર્શન મોહનીય કર્મીગ્નવ કરે છે. કર્મગ્રન્થપહેલોગાથા-૫ મુજબ અસતમાર્ગનો ઉપદેશ,સતમાર્ગનોઅપલાપ,દેવદ્રવ્ય હરણ, જિનેશ્વર-મુનિ-ચૈત્ય-સ્કંધ વગેરે થી વિરુધ્ધ આચરણ કરવાથી દર્શન મોહનીય કર્માસ્ત્રવ થાય છે * નમોદનીયઃ- જે પદાર્થ જેવો છે તેને તેવો જ જોવો તથા સમજવો તેને દર્શન કહે છે. અર્થાત્ તત્વાર્થ શ્રધ્ધાને દર્શન કહે છે. દર્શન એ આત્માનો ગુણ છે. તેનો ઘાત કરનાર કર્મ, દર્શન મોહનીય કહેવાય છે. [નોંધઃ-સામાન્ય ઉપયોગ રૂપે દર્શન આથી અલગ છે] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy