SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૪ ૯૫ -अथवा सम्यकत्व-ज्ञान-संचर-तपांसि चत्वारो वर्णा-गुणास्तद्भवश्चातुर्वर्णः, चतुर्णावर्णानामयं વતુર્વઃ સડN I -સામાન્ય ભાષામાં કહીએ તો શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રી સંઘ ને આપણે સંઘ તરીકે ઓળખાવીએ છીએ આવા શ્રી સંઘનો અવર્ણવાદ કરવો-જેમ કે -સાધુ સાધ્વીઓ ગંદા હોય છે કેમ કે તેઓ શરીર પવિત્ર રાખતા નથી -આ સાધુ સાધ્વી મેલા ઘેલા છે, તેઓ કદી સ્નાન કરતા નથી -સમાજનું અન્ન ખાય છે પણ સમાજની કોઈ સેવા કરતા નથી -સમાજને માથે આ બધાં ભાર રૂપ છે કેમ કે બિન ઉત્પાદક છે -આ શ્રાવક શ્રાવિકા પણ સાવ વેવલા જેવા છે. -આ સાધુ સાધ્વીઓ વ્રત-નિયમાદિ નકામા કલેશ વેઠે છે -આ કાળમાં સાધુપણું કે શ્રાવક પણું સંભવતું જ નથી -આ સાધુ-શ્રાવક નકામાં વેઠ કરે છે કશું પરિણામો આવતું નથી આ અને આવા આવા શબ્દો દ્વારા સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા રૂપ ચાર પ્રકારના સંઘના મિથ્યા દોષો પ્રગટ કરવાતે સંઘ અવર્ણવાદ કહેવાય -ચતુર્વિધ શ્રી સંઘની ચારે પાયાની નિંદા કરવી નિંદા થાય તેવું વર્તન કરવું, સંધમાં વિના કારણે અશાંતિ ઉભી કરવી, શ્રી જૈન શાસનની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડવો વગેરે સર્વેનો આ સંઘ-અવર્ણવાદ માં સમાવેશ થાય છે. * ધર્મ-સંવવાઃ - દુગર્તિમાં પડતા પ્રાણીઓને ધારી રાખે તે ધર્મ -ધર્મ-દાન, શીલ, તપ અને ભાવ સ્વરૂપે પણ કહ્યો છે. -અહિંસા સંયમ અને સંપરૂપે પણ ધર્મ કહ્યો છે. -સર્વવિરતિ અને દેશ વિરતિ એ બે ભેદે પણ કહ્યો છે. -દર્શન-જ્ઞાન ચારિત્ર અને તપ એ ચાર ભેદે પણ કહ્યો છે -ક્ષમા-આર્જવ,માર્દવ આદિ દશ ભેદે ધર્મ કહેવાયેલો છે છતાં સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે - પન્વેમદાવ્રત સાધન-ધર્મ, અર્થાત હિંસાદિ પાંચ મહાપાપોના સર્વથા ત્યાગ રૂપ મહાવ્રતોનાં અનુષ્ઠાનને ધર્મ કહ્યો છે. અહીં અણુવ્રતની અપેક્ષાએ મહાન્ હોવાથી તેને મહાવ્રતો કહેલા છે. એવા પાંચ મહાવ્રત તેના સાધન તે પાંચમહાવ્રત સાધન. જેમ કે મન,વચન, કાયા પૂર્વક કરણ, કરાવણ અને અનુમોદન થકી પ્રાણિવધ થી નિવર્તન તે મહાવ્રત કહેવાય છે તેમજ રાત્રિભોજન,આધાકર્માદિ બીજા ઉત્તર ગુણોની અપેક્ષા એ પણ મહાવ્રત કહેવામાં આવે છે. આ મહાવ્રત રૂપી ધર્મનો અવર્ણવાદ કરવો જેમ કે - -ધર્મનું કોઇ ફળ પ્રત્યક્ષ દેખાતું નથી માટે ધર્મ જેવી કોઈ ચીજનથી -ધર્મથી સુખ મળે છે તે વાત ખોટી છે કેમ કે ધર્મીઓ દુઃખી દેખાય છે -ધર્મન કરનારા પણ ઘણાં સુખી દેખાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy