SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -હિંસાથી થયેલા સમવસરણનો ઉપયોગ કરે છે માટે તે અપકાય આદિની હિંસાનું અનુમોદન કરે છે. -સર્વજ્ઞ હોવાથી મોક્ષના સર્વપ્રકારના ઉપાયો જાણવા છતાં આવા તપ-ત્યાગ આદિ કઠિન ઉપાયો બતાવ્યા છે -નિગોદમાં અનંત જીવો હોઈ શકે જ નહીં -તેમના સર્વજ્ઞ પણાને જ સ્વીકાર ન કરવો આવી આવી રીતે દુર્બદ્ધિથી વળીના અસત્ય દોષોને પ્રગટ કરવા, કેવળજ્ઞાની પ્રભુની નિંદા કરવી, નિંદારૂપ બને તેવું વર્તન કરવું, બોલવું વિચારવું વગેરે તે ક્વલી નો અવર્ણવાદ જ કૃત-ગવવાઃ -જિનેશ્વર પ્રરૂપિત તત્વ તે શ્રુત, અષ્ટ મહાપ્રાતિહાર્ય પૂજાને યોગ્ય કે અન્યના સન્માન અને સત્કારને યોગ્ય એવા ચાર[પાતિ] કમીને ક્ષય કરી ચૂકેલા અન્ત પરમાત્માથકી કહેવાયેલ-પારૂપેલ ,દિવ્યધ્વનીના સુરો સાથેબારે પર્ષદાએ સાંભળેલ મોક્ષમાર્ગના તથા તેના વિષયભૂત તત્વોના ઉપદેશને શ્રત કહે છે. જેને માટે ભાષ્યકાર સોપાગૃત એવો શબ્દ પ્રયોજોલ છે, એવી અર્થથી તીર્થંકર પરમાત્મા પ્રણીત અને સૂત્રથી ગણધર મહારાજા દ્વારા ગુંફિત જે મૂળભૂત દેશના કે શાસ્ત્રને શ્રુત કહેવામાં આવે છે. મૂળભૂત રીતેતોદ્વાદશાંગીએજ ગ્રુત કહેવાય છેાદશાંગીએટલેબાર અંગોનો સમૂહ. આભાર અંગો ના નામ ક્રમશઃ આચારાંગ સૂયગડાંકા,ઠાણાંગ,સમવાયાંગ વિવાહ પત્નત્તિ,નાયાધમ્મકહા, ઉપસગદશા, અંતગડદશા, અનુત્તરોવવાઈયદશા, પપ્પાવાગરણવિવાગસૂય અને દિવિાય દ્રિષ્ટિ વાદ]નો વિચ્છેદ થયો છે તેમજ બીજા અનેક ફેરફારો થયાછેઅંગ પ્રવિષ્ટની માફક બીજા અંગબાહ્ય સૂત્રો પણ રચાયા છે. જેમાંના ૨૮ ઉત્કાલિક કહેવાયા અને ૩૬ [વિકલ્પ ૩૭ સૂત્રો કાલિક રચાયા છે. તદુપરાંત છ અધ્યયન રૂપ આવશ્યક છે. કાળક્રમે ફેરફાર થતા થતા વર્તમાન કાળે ૪૫ આગમ રૂપે આ શાસ્ત્ર-કે-શ્રતને ઓળખાવાય છે જેમાં આચરાંગ આદિ ૧૧ આગમો,ઉવવા આદિ ૧૨ ઉપાંગો, ચઉશરણ આદિદશપના નિશિથ આદિ છેદસૂત્રો આવશ્યકાદિ ૪મૂલસૂત્રો, અને નંદી-અનુયોગ રૂપ ચૂલિકા-૨ એમ કુલ-૪૫ સૂત્રો વર્તમાન કાળે પ્રસિધ્ધ છે. આ બધું જ ગ્રુત કહેવાય છે. આ શ્રુતનો અવર્ણવાદ કરવો-જેમ કે -આ સૂત્રો પ્રાકૃત અર્થાત સામાન્ય ભાષામાં રચાયેલા હોવાથી તુચ્છ છે -એકની એક વસ્તુનું નિરર્થક વારંવાર વર્ણન આવે છે -વ્રત, છ જવનિકાય, પ્રમાદ આદિનો નિરર્થક વારંવાર ઉપદેશ છે -અનેક પ્રકારના અયોગ્ય અપવાદો બતાવેલા છે. -દ્વેષ બુધ્ધિથી શાસ્ત્રના ખોટેખોટા દોષો કાઢીને વર્ણવવા આવી અનેક રીતે શ્રુતનો અવર્ણવાદ કરવો. કેવળ જ્ઞાનીએ કહ્યા પ્રમાણેના શાસ્ત્રો કે શાસ્ત્ર વાકયોની કે તેમના વિચારોની નિંદા કરવી, નિંદા થાય તેવું વર્ણન કરવું, નિંદા કરાવવી, નિંદા થતી ન રોકવી વગેરે સર્વે શ્રુતનો અવર્ણવાદ છે જ સંપન્નવર્ણવાદ-સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા તે સંઘ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy