SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૪ મોહનીયનો [આસ્રવો] છે. અર્થાત્-કેવળીનો અવર્ણવાદ,શ્રુતનો અવર્ણવાદ,સંઘ નો અવર્ણવાદ,ધર્મનો અવર્ણવાદ અને ચારે પ્રકારના દેવોનો અવર્ણવાદ કરવો એ દર્શન મોહનીયનો આસવ છે. ] [5]શબ્દજ્ઞાનઃ શ્રુત -શાસ્ત્ર,આગમો òવષ્ટિ-કેવળ જ્ઞાની સડધ-સાધુ,સાધ્વી,શ્રાવક,શ્રાવિકા રૂપ ચતુર્વિધ શ્રી સંઘ ધર્મ-અહિંસાદિ અનેક પ્રકારે કહેવાયેલો ધર્મ દેવ-ભવનપતિ આદિ ચારે પ્રકારના દેવો અવર્ણવાદ્-વિપરીત બોલવું,દ્વેષયુકત બુધ્ધિથી બોલવું વગેરે દર્શનમોહત્સ્ય-દર્શન મોહનીય કર્મનો આસ્રવ [6]અનુવૃત્તિઃ- ૬ આસવ સૂત્ર. ૬:૨ થી ઞષવની અનુવૃત્તિ [7]અભિનવટીકાઃ- સૂત્રકાર મહર્ષિના જણાવ્યા મુજબ કર્મોની મુખ્ય આઠ પ્રકૃત્તિ છે. આ આઠમાંની એક કર્મપ્રકૃત્તિ તે મોહનીય કર્મ. ૯૩ મોહનીય કર્મના બે મુખ્ય ભેદ છે. (૧)દર્શન મોહનીય અને (૨)ચારિત્ર મોહનીય આ કર્મ મદિરાની જેમ જીવને મોહ પમાડે છે તેથી કરીને તેને મોહનીય કર્મ કહ્યું છે. તેમાં જેની ત્રણ ઉત્તર પ્રકૃત્તિ છે એવા દર્શન મોહનીય કર્મના આસ્રવ ને આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ અહીં જણાવે છે. પરમ ૠષિ ભગવાન કેવલી અર્હન્ત પ્રરૂપિત સાંગોપાંગ એવુ શ્રુત,ચાતુર્વણ્ય સંઘ,પંચમહાવ્રતોના સાધનરૂપ ધર્મ તથા ચાર પ્રકારના દેવ એ પાંચે નો અવર્ણવાદ કરવાથી દર્શનમોહનીય નો આસવ થાય છે. * અવર્ણવાદ્ઃ- સર્વ પ્રથમ અવર્ણવાદ એટલે શું? તે જાણવું જોઇએ કેમ કે આશબ્દ પૂર્વના કેવલી આદિ પાંચે શબ્દો સાથે જોડવાનો છે - अवर्णस्य वाद : अवर्णवाद: अवर्णभाषणं – અવિદ્યમાન દોષોને કહેવા તે અવર્ણવાદ --જેનામાંજે દોષ હોય,તેનામાં તે દોષનું આરોપણ કરવું તે અવર્ણવાદ છે. –આવો અવર્ણવાદ સૂત્રકારે અહીં પાંચ ભેદે જણાવેલ છે. - જેવી-અવર્ણવાદ્.-જેમને કેવળજ્ઞાન પ્રગટ થઇ ચૂકયુ છે તે કેવળી રાગ દ્વેષ રહિત અને કેવળજ્ઞાન યુકત હોય તે કેવળી. આવા કેવળી,કેવળજ્ઞાન કેવળદર્શન જેને પ્રાપ્ત થયું છે તેવા,જેમની કલેશની રાશિ નષ્ટ થઇ ચૂકી છે તેવા ઋષિ, તેરમાં ગુણ સ્થાને વર્તતા પરમ-આત્મા એવા પરમર્ષિ,સંપૂર્ણ ઐશ્ર્વર્ય,વૈરાગ્ય આદિ અનેક મહાન ગુણોના ધારણ કરવાવાળા ભગવાન કે જેના ચાર [ઘાતી] કર્મો નાશ થઇ ચૂકયા છે એવા કેવળી પરમાત્માનો અવર્ણવાદ કરવો તે -જેમ કે -કેવળી શરમ વગરના છે કેમ કે નગ્ન થઇને ફરે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy