SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્રઃ ૧૨ સમભાવે સહન કરાતું હોવાથી અસાતા વેદનીય કર્મીગ્નવ રૂપ થતું નથી ઉલટાનું મનની પ્રસન્નતા ને કારણે પૂર્વે બંધાયેલ અશુભ કર્મો નો ક્ષય કરાવનારું થાય છે -પ-સૂક્ષ્મદષ્ટિથી વિચારવામાં આવેતો અધ્યાત્મપ્રેમીઓને તપવગેરેમાં થતું દુઃખ પણ સુખરૂપ લાગે છે કેમ કે તેની દ્રષ્ટિ જ ભાવિસુખ તરફ હોય છે આપણા જીવનમાં પણ આ અનુભવ થાય જ છે ને? જેમ પગમાં કાંટો વાગ્યો છે. બીજી લોખંડની સળી વડે કાંટો કાઢતા દુઃખ તો થવાનું જ છે, છતાં કાંટો નીકળતા થનાર સુખને લીધો લોખંડની સળીનું ખૂચવું દુઃખ રૂપ લાગતું નથી - વર્ષોથી પતિવિયોગે ઝૂરતી સ્ત્રીને હવે બે દિવસ પછી તારો પતિ ઘેર આવે છે તે સમાચાર મળે ત્યારે પતિનું મિલન થયું નથી છતાં બે દિવસ પછી થનારા મિલન સમાચાર માત્રથી તેને સુખ ઉત્પન્ન થાય છે કેમ કે ભાવિમુખ સામે દેખાય છે -એ જ રીતે આધ્યાત્મિક માર્ગમાં કષ્ટનું વિધાન ભાવી સુખને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે તેમાં વર્તમાન કાળે સહેવાતુ દુઃખ-દુ:ખરૂપ જણાતું નથી કેમ કે તેના વડે જ શાશ્વત સુખ પ્રાપ્ત થવાનું છે. અને શાશ્વત સુખ પ્રાપ્તી વખતે સઘળા અસાતા વેદનીયનો ક્ષય થઈ જ જવાનો છે. -ક-છેલ્લે સૌથી મહત્વની વાત જોસમભાવે સહન કરાતાદુઃખથીઅસતાવેદનીય કર્મનોબંધ થાયતોદુઃખનોકદી અંત આવે જ નહીં કારણ કે જયારે જયારેદુ:ખ આવશે ત્યારે ત્યારે અસતાવેદનીય કર્મનોબંધ થશે. પુનઃ આ બંધયેલું કર્મજ્યારે ઉદયમાં આવશે ત્યારે ફરી અસાતા વેદનીય કર્મનોબંધ થશે એ રીતે પુનઃપુનઃ આકર્મોનુંઉદયમાં આવવું,પુનઃપુનઃ દુઃખ થવું અને પુનઃપુનઃ અશાતા વેદનીય નો કર્માસ્રવ થવો એ ઘટના ક્રમ ચાલ્યા જ કરવાનો છે -પણ ખરેખર આ વાત બરાબર નથી કેમ કે દુઃખાદિ સમભાવે સહન કરવાથી નવું અપાતા વેદનીય કર્મનો બંધાતુ નથી પણ પૂર્વે બંધાયેલા અસાતા વેદનીય કર્મનો પણ ક્ષય થઈ જાય છે. આથી સર્વથા દુ:ખ થી મુકત થવા તપ-ધ્યાન-પરિષહ આદિનું સેવન કરવું એ જ રાજમાર્ગ છે સાચા સુખનો ઉપાય છે. કોઈપણ જીવે પૂર્વે અજ્ઞાનાવસ્થામાં અસાતા વેદનીય કર્મો બાંધેલા જ હોય છે તે ક્યારે ઉદયમાં આવશે તે આપણે જાણતા નથી પણ ઉદયમાં આવશે તે નિશ્ચિત સત્ય છે તેથી જયારે ઉદયમાં આવે ત્યારે અનિચ્છાએ પણ દુઃખાદિ ભોગવવા પડે, તેના કરતા તપ-ક્રિયાદિ થકી તેનો પહેલાથી જ નાશ કરવો. જેમ વ્યવહારમાં કોઈ રકમ માંગતુ હોય ત્યારે ગાંઠમાં હોય ત્યાંજ દેવું ચૂકવવાનું રાખવું જોઈએ નહીતો પઠાણી ઉઘરાણી આવે ત્યારે તે ચૂકવવું કેવું આકરૂ પડે છે તેમ આત્માર્થી જીવો એ પણ કર્મઉદયમાં આવે તે પહેલાં જ શકિત અનુસાર ખપાવવાનો પ્રયત્ન કરે અને ઉદયમાં આવેલા ને સમભાવે સહન કરે તે દુઃખાદિ પણ સુખરૂપ જ બનશે કેમ કે –આમ કરવાથી ભાવિ નવા કર્મોનો બંધ અટકે છે -ઉદયમાં આવેલા કે આવતા કર્મો સમભાવે ભોગવાય છે –એક દિવસ જો કોઈ નવાકર્મો નહીં હોય તો, બધા કર્મો ક્ષય થશે - એ દિવસે આત્મા સઘળા દુઃખથી સર્વથા મુક્ત બની જશે માટેવત,નિયમ,તપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy