SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ તત્ત્વાકાધિગમ સૂત્ર આભનવટાકા આ મસલ્વેદ્ય નો સાદો અર્થ અશાતા વેદનીય [કમ છે. -असत् इति अशोभनविधिना वेद्यते-तद् असद्वेद्य -કર્મના ઉદયથી જીવને દુઃખ અને પ્રતિકૂળતા પ્રપ્ત થાય તે કર્મને અસાતા વેદનીય કહેવાય છે. – પ્રિકૃતિ વિભાગમાં પણ આ કર્મને પાપ-કર્મ ગણેલું છે * વિશેષઃ -૧- જો કે શોક, સંતાપ વગેરે બધાં દુઃખ રૂપ જ છે. છતાં જીવ જે અસાતા વેદનીય કર્માસ્રવ કરે છે તે કેવા ભિન્ન ભિન્ન કે વિવિધ પ્રકારે થાય છે તે જણાવવા અહીંદુઃખ-શોકતાપ વગેરે વિભાગો બતાવવામાં આવેલ છે. -૨- ઉપર જણાવેલા દુઃખાદિ કારણોથી જીવ અશાતા વેદનીય કર્મ બાંધે છે. તે જયારે ઉદયમાં આવે ત્યારે અશાતાને આપનારા થાય છે. એ સમયે જો અનિચ્છાએ ભોગવાય તો અકામ નિર્જરા થાય અને કાયકલેશ, તપ, પરિષહ, ઉપસર્ગાદિ સ્વેચ્છાએ સંયમાર્ચે નિર્જરા બુદ્ધિ થી ભોગવાય તો અકામ નિર્જરા થાય છે. -૩-પ્રશ્નઃ- જો દુ:ખ આદિ સૂત્રોકત નિમિત્તો સ્વમાં કે પરમાં ઉત્પન્ન કરવાથી અસાતા વેદનીય કર્મના બંધક થતાં હોય તો ઉપવાસ, લોચ, વ્રત, પરિષહ સહેવા કે બીજા નિયમાદિ પાલન કરવાથી પણ દુઃતો થવાનું જ છે. અને તે દુઃખાદિ પણ અસાતા વેદની કર્મનો આગ્નવ જ કરાવશે. તો પછી આ વ્રત-નિયમ-અનુષ્ઠાન-તપ આદિ શા માટેકરવા જોઈએ? -સમાધાન - આ પ્રશ્ન અજ્ઞાન કે અધુરી સમજથી ઉદ્ભવેલ છે. કેમ કે નિમ્નોકત કારણો થી આવા અસાતાવેદનીય કસ્રવ થતા નથી પણ વિશેષ વિશેષ નિર્જરા થાય છે. –૧- ઉકત દુઃખ આદિ નિમિત્તો જયારે ક્રોધ આદિ આવેશથી ઉત્પન્ન થયેલાં હોય ત્યારે જ આસ્રવ બને છે. સામાન્ય સ્થિતિમાં દુઃખાદિ આસ્રવ બનતા નથી માટે સ્વેચ્છાએથતા વ્રતનિયમ તપ-ધ્યાનાદિ થી અસાતા વેદનીય કર્માસ્રવ થાય નહીં -ર-ખરા ત્યાગી કે તપસ્વી ગમે તેવા કઠોર વ્રત-નિયમ પાળી ને દુઃખ ભોગવે કેદુઃખ વોહરી લે તો પણ તેમાં ક્રોધાદિ બુધ્ધિ નથી હોતી, તે પ્રવૃત્તિ સબુધ્ધિ અને સવૃત્તિ થી પ્રેરાઈને થાય છે –આવા ત્યાગી તપસ્વી આત્માઓ જે પરિષહો સહે છે, જે આકરા વ્રત-નિયમો ધારણ કરે છે, તો પણ તેમનામાં ક્રોધ-સંતાપ આદિ ઉત્પન્ન થતા હોવાથી એ નિમિત્તો તેમને માટે બંધક બનતા નથી –આવાઆત્માઓનેઉલટુંઆકરાવ્રત-નિયમના પાલનમાં વિશેષ પ્રસન્નતા હોય છે, તેવું પણ જોવામળે છે. તેથી આવા કોઈપણ પ્રસંગોમાં તેમને શોક કે દુઃખ આદિનો સંભવ હોતો નથી –આવા વિષમ વ્રતોના પાલનમાંપણ માનસિક રતિ હોવાથી તે ગમે તેટલા કઠોર લાગે તો પણ તેના આદરનારા તપસ્વી કે ત્યાગી આત્માઓને તે સુખરૂપ જ લાગે છે -૪-આત્મશુધ્ધિના ધ્યેય થી સ્વેચ્છાએ સ્વીકારાયેલ દુઃખ કે તેવા પ્રકારના અસાતા વેદનીય કર્મોના ઉદયથી સ્વયં આવી પડેલ દુઃખ, દુઃખ હોવા છતાં નિર્જરાના ધ્યેયને કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy