SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તેને આક્રન્દન કહે છે. -आक्रन्दनं उच्चैरार्तविलपनम् । જ વધ:-પ્રાણ લેવો તેને વઘ કહેલો છે. -પ્રાણનો વિયોગ કરવો,સોટી વગેરેથી માર મારવો તે. -આયુ, ઇન્દ્રિય,બળ, પ્રાણ વગેરેનો વિઘાત કરવો તે વધ. -દશ પ્રકારના પ્રાણોમાં કોઈ પણ પ્રાણનો નાશ કરવાવાળી પ્રવૃત્તિ કરવી કે કોઈનો પણ નાશ કરવો તેને વધ કહે છે. -वध: कसादिताडनम् * પરિફ્લેવન-વિયોગીપાત્રના ગુણો યાદ આવવાથી ઉત્પન્ન થતું કરુણાજનક રૂદન. –અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયોગ થી વિલાપ કરવો. બીજાને દયા આવે એટલી હદે દીન બનીને તેના વિયોગનું દુઃખ પ્રગટ કરવું તેને પરિદેવન કહે છે. -અતિ સંકલેશ પૂર્વક એટલું રોવું-પીટવું.જેને સાંભળીને પોતાને તથા બીજાને દયા આવી જાય તેને પરિદેવને કહેલ છે. –જે રૂદનના સાંભળવાથી સામો માણસ દ્રવી જાય જેને સાંભળી ઝાડવા રોઇ પડે તેવી ઉપમા અપાય છે તેવા રૂદનને પરિદેવન કહે છે. -मुहुर्मुहुर्नष्टचित्ततया एव समन्तात् विलपनाम् । જ વિઃ-આછ કારણ અહીં જણાવ્યા તેમાં મુખ્યતા તો દુઃખનીજ છે, કેમકે દુઃખના જ અસંખ્યાત ભેદ છે. છતાં વધુ સ્પષ્ટ બોધ માટે દુઃખ,શોક, તાપ,આક્રંદન,વધ,પરિદેવન વગેરે ભેદ કહેલા છે. અહીં મા-વગેરે શબ્દથી-અન્ય વિકલ્પોનું પણ પ્રહણ થઈ જાય છે.જેમકેઅશુભપ્રયોગ,પરપરિવાદ,પૈશુન્યપૂર્વક,પરપરિતાપ,અંગોપાગછેદ છે,ભેદ,તાડન, ત્રાસ, તર્જના,ભર્સના,બન્ધન,રોધન,મર્દન,દમન,પરનિંદા,સંકલેશપ્રાદુર્ભાવ નિર્દયતા,હિંસા, મહારંભ,મહાપરિગ્રહ,વિશ્વાસઘાત,કુટિલતા,પાપકર્મજીવિત્વ,અનર્થદંડ,વિષમિશ્રણ, બાણ -જાલ- પાશ-દોરડા-પિંજરા યન્સ આદિ હિંસાના સાધનોનું ઉત્પાદન વગેરે સર્વેને અસતાવેદનીય આસ્રવના કારણ કહયા છે. જુઓ તત્ત્વાર્થવાર્તિક-રાજવાર્તિક-પૃ.૭૧૬પેરા.૧૪-૧૫.] ટુંકમાં સ્વને,પરને કે ઉભયને દુઃખ થાય તેવી કોઈપણ પ્રવૃત્તિને અસાતા વેદનીય કર્મના આમ્રવને રૂપ કહી છે. આવા કમગ્નવથી આ ભવમાં કે ભવાંત્તરમાં પણ દુઃખની પ્રાપ્તિ થાય તેવા અશુભ કર્મો બંધાતા હોય છે. માત્મ-સ્થાનિ-સૂત્રમાં બે ભિન્ન-ભિન્ન શબ્દો છે (૧)ગાત્મ અને બીજા સ્થાન બંનેને સાથે લઈને જ સૂત્રનો અર્થ કરવાનો છે – માત્માન એટલે પોતાના આત્મામાં -જયારે ક્રોધાદિથી આવેશ પામેલો આત્મા ખુદ પોતાનામાં દુઃખાદિને ઉત્પન્ન કરે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy