SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ અધ્યાયઃ સૂત્રઃ ૧૨ તાપ-પીડા ધરવી કે કરવી, આક્રન્દન-રૂદન કરવું કે કરાવવું વધ થવા દેવો કે કરવો, હાયવોય કરવી કે કરાવવી. આ રીતે પોતે દુઃખાદિ ધારણ કરવું. બીજાને દુઃખાદિદેવા કે બન્ને પક્ષે દુઃખાદિ ઉત્પન્ન કરવા-કરાવવા તે અશાતા વેદનીય કર્મીગ્નવ છે. જ :૩:-બાહ્ય કે આંતરિક નિમિત્તથી પીડા થવી તે દુઃખ -અનિષ્ટ વસ્તુનો સંયોગ અને ઈષ્ટ વસ્તુનો વિયોગ-આદિ બાહ્ય કે રાગ વગેરે અત્યંતર નિમિત્તોથી અસાતા વેદનીય કર્મના ઉદયથી થતી પીડા –પીડારૂપપરિણામને અથવા જેના હોવાથી સુખ શાન્તિના અનુભવને બદલે આકુળતા કે વ્યગ્રતા ઉત્પન્ન થાય તેને દુઃખ કહે છે. -વિરોધી પદાર્થોની પ્રાપ્તિ, ઈષ્ટનો વિયોગ અનિષ્ટિ સંયોગ,નિષ્ફર વચન આદિ બાય કારણોની અપેક્ષાએ તેમજ અસાતવેદનીયના ઉદયથી થતા પીડાલક્ષણ પરિણામને દુઃખ કહયુછે. –:૩યતિ ટુ-વાધ ક્ષણ શારીરાદ્રિ: જ શોવ -કોઈ હીતષીનો સંબંધ તૂટતા જે ચિંતા કે ખેદ થાય તે શોક. –અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયોગ થી વારંવાર તેના વિયોગના વિચારો દ્વારા માનસિક ચિંતા-ખેદ વગેરે થવા તે શોક -ઈષ્ટવસ્તુનાવિયોગ થી ચિત્તમાં ઉત્પન્ન થતી મલિનતા કે ખેદને અથવા ચિન્તા કરવી તેને શોક કહે છે. –અનુગ્રહકારી મિત્ર,સ્વજન,બંધુ,પ્રેમી આદિથી સંબંધ વિચ્છેદ થઈ જવાથી તેનો વારંવાર વિચાર કરવાને લીધે જે ચિંતા ખેદ અને વિકળતા વગેરે મોહ કર્મ વિશેષ-શોક મોહનીયનો ઉદય થાય છે. તેને શોક કહેવામાં આવે છે. –શો: માનસ વૈ વ્ય માનસ: પરિણામ: તાપ:-અપમાન થવાથી મન કલુષિત થવાને લીધે જે તીવ્રસંતાપ થાય છે તેને તાપ કહે છે. -કઠોર વચન, શ્રવણ, ઠપકો, પરાભવ વગેરેથી હૃદયમાં બળ્યા કરવું વગેરે -તાપ. –પરાભવકારી-મર્મઘાતી વાણીના સાંભળવાથી થયેલ કલુષિત ચિત્તવાળી-વ્યકિતને મનોમન જે તીવ્ર જલન કે સંતાપકારી પરિણામો થાય છે તેને તાપ કહે છે. -કોઈ અનુચિત્ત કામ થઈ જવાથી જયારે નિન્દા વગેરે થવા લાગે અથવા નિન્દાન થવા છતા તેના ભયથી પાછળની ક્રોધાદિનો વિશેષ ઉદય થવાથી તીવ્ર સંતાપ થવા માંડ તેને તાપ કહે છે. –તાપ: તત્ (શોરૂચ) મૈત વેદ પડ : વિશેષ: જ મન્વિન -ગર્ગા સ્વરે આંસુ સારવા સાથે રડવું તે આકંદન. -સ્ટયમાં પરિતાપ.માનસિક બળતરા થવાથી માથું પછાડવું,છાતી કુટવી, હાથ-પગ પછાડવા,અશ્રુપાત કરવા પૂર્વક રડવું વગેરે. -પરિતાપ પૂર્વક એવી રીતે રોવું કે વિલાપ કરવો કે જેને હૈયાફાટ કે છાતી ફાટ રૂદન કહે છે, તે આક્રંદન –વધુ પડતા દુઃખ, શોક કે સંતાપને લીધે જયારે કંઈ બોલી ન શકે અને રડ્યા જ કરે,કપાળ કુટે,હાથ-પગ પછાડે વગેરે દ્વારા સામો માણસ પણ અકળાઈ ઉઠે તેવા ઠુંઠવા મૂકે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy