SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્ર: ૧૧ છે ત-- પ્રદોષ વગેરે છ શબ્દોનો દ્વન્દ સમાસ થયો છે. તેઓ તત્ શબ્દ સાથે ષષ્ઠી તપુરુષ સમાસથી જોડાયેલા છે –સામાન્ય તત્ શબ્દનો અર્થ “તે થાય છે. પરંતુ અહીંષષ્ઠી દ્વિવચન હોવાથી ખરેખર પદ તયો: બને છે. –ત શબ્દથી કોઈ પૂર્વસૂત્રમાંનીઅનુવૃત્તિઅહીંઆવતી નથી પણ જ્ઞાનદ્ર્શનાવરણો: સાથે જ તયો: પદ જોડાયેલા છે. –આ પદ એવું સૂચવે છે કે પ્રદોષાદિ છ આસ્રવો તે જ્ઞાન અને દર્શન બંને ના છે. તયો: (7) જ્ઞાનનયો: (પોષાય માઅવા: ) પ્રોષ:- ખરાબ ચિંતવના ખરાબ કરવું,ખરાબ બોલવું, દ્વેષ કરવો. –જ્ઞાન,જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યેષ ધારણ કરવો, અર્થાતતત્વજ્ઞાન પ્રત્યે, તેનાવતા પ્રત્યે કે તેના સાધનો પ્રત્યે ઈર્ષ્યાદિ કરે એતત્રદોષ અથવા જ્ઞાનપ્રષ કહેવાય છે –વ્યાખ્યાન કેવાચના આદિના સમયે પ્રકાશિત થતા તત્વજ્ઞાન પ્રત્યે અરૂચિ થવી, જ્ઞાન ભણતા કંટાળો આવવો,જ્ઞાની ની પ્રશંસા આદિ સહન ન થવાથી કે અન્ય કારણોથી તેમના પ્રત્યેષ અથવા વૈરભાવ રાખવો. જ્ઞાનના સાધનો જોઈને તેના પ્રત્યે રુચિકે પ્રેમ ન થવો વગેરે ને જ્ઞાન-પ્રષિ કહેવાય છે. –પ્રશસ્ત જ્ઞાનને સાંભળીને પણ તેની પ્રશંસા ન કરવી અથવા બ્રેષને વશ થઈને મૌન ધારણ કરવું આદિ દૂષિત પરિણામોને પ્રષ/પ્રોષ કહે છે –સામાન્યથી મતિ આદિ પાંચ જ્ઞાન,જ્ઞાનવાનું એવા આચાર્યાદિ મુનિવર,જ્ઞાન ના સાધનો માં પુસ્તકો વગેરે. એ ત્રણે પરત્વેનો પ્રકૃષ્ટ દ્વેષ તે પ્રદોષ કહેવાય છે. –મોક્ષનું કારણ અર્થાત મોક્ષનો ઉપાય તત્વજ્ઞાન છે. તેનું કથન કે તે કથન કરનારા પુરુષની પ્રશંસા ન કરતાં અંતરંગમાં દુષ્ટ પરિણામ થાય તે પ્રદોષ છે. -ज्ञानिसाध्वादीनां ज्ञानसाधकपुस्तकादिनां च प्रत्यनीकत्वेन-अनिष्टाचारणरूपत्वं ज्ञानज्ञानिविषयकान्तरिका प्रीतिकरण रूपत्वं वा प्रदोषस्यलक्षणम् । * નિહ્નવ-નિદ્ભવ ની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ -જ્ઞાન,જ્ઞાનીકે જ્ઞાનના સાધનોનો અપલાપ કરવો, તેમને છૂપાવવા જાહેરમાં બહુમાન ન કરવું વગેરે તે નિહનવપણું -કોઈ કંઈ પૂછે અગર જ્ઞાનનું કંઈ સાધન માંગે ત્યારે જ્ઞાન અને સાધન પાસે હોવા છતાં હું નથી જાણતો, મારી પાસે તે વસ્તુ નથી એવું કલુષિત ભાવે કહેવું તે જ્ઞાન નિનવ છે. –પોતાની પાસે જ્ઞાન હોવા છતાં જયારે કોઈ ભણવા આવે ત્યારે કંટાળો પ્રમાદ આદિ કારણે હું જાણતો નથી એમ કહીને ન ભણાવવું જેમની પાસે અધ્યયન કર્યુ હોય તેમને જ્ઞાનગુરૂ ન માનવા,જ્ઞાનના સાધન પોતાની પાસે હોવા છતાં નથી એમ કહેવું વગેરે નિનવ પણું છે. -જ્ઞાનને છુપાવવું, જ્ઞાનના વચનો પરત્વે શંકા દાળવીને પોતાની માન્યતાનું સ્થાપન કરવું.જેમકે જમાલી,ગોષ્ઠામાહિલ વગેરે નિહનવ પણાના દ્રષ્ટાંતો છે. -न मयातत्समीपेऽधीतम् इति अपलापकरणरूपत्वं निह्नवस्य लक्षणम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy