SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ માત્સર્ય-જ્ઞાન,જ્ઞાનીકે જ્ઞાન સાધનોપ્રત્યે અદેખાઈ રાખવી અથવા વિરુધ્ધ વર્તન કરવું - જ્ઞાન અભ્યસ્ત અને પાકુ કર્યું હોય, તે દેવા યોગ્ય પણ હોય છતાં કોઈ તેનો ગ્રાહક અધિકારી મળે ત્યારે તેને ન આપવાની કલુષિત વૃત્તિ તે જ્ઞાન માત્સર્ય. - પોતાની પાસે જ્ઞાન હોય અને અન્ય યોગ્ય વ્યકિત ભણવા આવે ત્યારે,આ ભણીને મારા જેવા વિદ્વાન થઈ જશે, કે મારાથી પણ આગળ નીકળી જશે એમ ઈર્ષાથી તેને જ્ઞાનદાન ન કરવું,જ્ઞાની પ્રત્યે ઇર્ષ્યા-રોષ ધારણ કરવો વગેરે જ્ઞાન માત્સર્ય - વસ્તુનું સ્વરૂપ જાણ્યા પછી જો હું આને કહીશ તો તે પંડિત થઈ જશે,મારી કિર્તી ઘટી જશે તેવું-તેવું વિચારી કોઈને ન ભણાવવો. -दानार्हेऽपि ज्ञाने कुतश्चित् कारणादयोग्यापादान रूपत्वं मात्सर्यम् लक्षणम् । અન્તરાય - જ્ઞાન,જ્ઞાની અને જ્ઞાનના સાધનોને વિશે વિઘ્નો નાખવા. -કોઈને જ્ઞાન મેળવવામાં કલુષિત ભાવે અડચણ કરવી તે જ્ઞાનાંતરાય. -અન્યને ભણવા વગેરેમાં વિઘ્ન ઉભુ કરવું, સ્વાધ્યાય ચાલુ હોય ત્યારે નિરર્થક તે સ્વાધ્યાય કરનારને બોલાવવો, કામ સોપવું, તેની જ્ઞાન આરાધનામાં વિક્ષેપ થાય તેમ બોલવું કે વર્તવું, વ્યાખ્યાન આદિમાં વાતચીત કરવી,ઘોંઘાટ કરવો,અન્યને વાચના-વ્યાખ્યાનાદિમાં જતાં રોકવા,જ્ઞાનના સાધનો હોવા છતાં ન આપવા,વગેરે. –જ્ઞાનાભ્યાસમાં વિઘ્ન કરવું, પુસ્તકો ફાડી નાખવા,અધ્યાપક સાથે લડાઈ ઝગડો કરી તેને સ્થાનેથી હટાવવા,સ્થાનનો વિચ્છેદ કરવો,જેનાથી જ્ઞાનનો પ્રસાર થતો હોય તેનો વિરોધ કરવો વગેરેને અન્તરાય કહે છે -સમ્યકજ્ઞાનની પ્રાપ્તિમાં કોઈપણ રૂપે વિન નાંખવું તે અંતરાય. -ज्ञानाध्ययनादीनां व्यवच्छेद करणरूपत्वंमन्तरायस्य लक्षणम् । આસાન-જ્ઞાન,જ્ઞાની કે જ્ઞાનના સાધનોનું અપમાન કરવું, જ્ઞાનાદિથી દૂર ભાગવું, સજ્ઞાનાદિક ભણવાની વૃત્તિ ન રાખવી –બીજો કોઈ જ્ઞાન આપતો હોય ત્યારેવાણી અને શરીરથી તેનો નિષેધ કરવો તે જ્ઞાનાસાદન. જ્ઞાન,જ્ઞાની કે જ્ઞાનના સાધનો પ્રત્યે અનાદરથી વર્તવું, વિનય બહુમાન વગેરે ન કરવું,ઉપેક્ષા સેવવી,અવિધિએ ભણવું, ભણાવું વગેરે સર્વ જ્ઞાન આશાતના છે. -બીજા દ્વારા પ્રકાશીત થતા એવા જ્ઞાનને રોકી દેવું તે પણ જ્ઞાન આસાદન છે. -मनोवाग्भ्यां ज्ञानस्य वर्जनरूपत्वम् आसादनस्य लक्षणम् –અવિધિથી જ્ઞાન,જ્ઞાનના સાધનોનું ગ્રહણ કરવું તે પણ આશાતના. * ૩૫ઘાત :-જ્ઞાન,જ્ઞાની કે જ્ઞાનના સાધનોનો નાશ કરવો, તે ઉપઘાત -કોઈએ વ્યાજબી કહયું હોવા છતાં પોતાની અવળી મતિને લીધે અયુકત ભાસવાથી તેના દોષો પ્રગટ કરવા તે ઉપઘાત. –અજ્ઞાનતા વગેરેથી,આ કથન અસત્ય છે ઇત્યાદિરૂપે જ્ઞાનમાં દૂષણ લગાડવું. આમ ન જ હોય ઇત્યાદિ રૂપે જ્ઞાનીના વચનો અસત્ય માનવા. જ્ઞાનીને આહારાદિના દાનથી સહાયતા ન કરવી.જ્ઞાનના સાધનોનો નાશ કરવો વગેરે ઉપઘાત છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy