SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૦. પૂર્વક સ્થાપન કરવું તે. -૨-દુષ્પમાર્જિત નિઃપાધિકરણઃ -પ્રત્યવેક્ષણ કર્યા પછી પણ વસ્તુને સારી રીતે પ્રમાર્જન અર્થાત સાફસૂફ કર્યા વિના જ જેમ તેમ મુકવી તે દુષ્પમાર્જિત નિક્ષેપ. -ભૂમિનું જેમ તેમ પ્રમાર્જન કરીને અથવા પ્રÍજન કર્યા વિના વસ્તુ મૂકવી- તે દુષ્પમાર્જિત નિક્ષેપ. -જે વસ્તુ અન્યત્ર મૂકવાની હોય તેને, તેમ જ મુકવાના સ્થાનને પણ તપાસ્યા વિના જ ગમે ત્યાં ગમે તેમ વસ્તુ ફેંકવી-મૂકવીતે. -प्रत्यवेक्षितेऽपि भूप्रदेशे दुष्प्रमार्जिते रजोहरणेअप्रमार्जिते वा निक्षेपोऽधिकरणं भवति । -દુષ્ટતાથી કે સામાચારીનો ત્યાગ કરીને ઉપકરણ આદિ રાખવા કે છોડી દેવા તે દુષ્પમાર્જિત નિક્ષેપાધિકરણ. -૩-સહસા નિક્ષેપાધિકરણ: પ્રત્યવેક્ષણ કે પ્રમાર્જન કર્યા સિવાય અર્થાત પૂંજયા-પ્રમાદર્યા વિના જ સહસા એટલે કે ઉતાવળથી વસ્તુને મૂકી દેવી એ સહસા-નિક્ષેપ છે. –સહસા એટલે અશકિત આદિના કારણે ઓચિંતા કે ઉતાવળથી બરાબર જોયા વિનાની અને પ્રમાર્જન કર્યા વિનાની ભૂમિ ઉપર વસ્તુનો નિક્ષેપ-મૂકવી કે ફેકવી તે. -શરીર,ઉપકરણ કે મળ વગેરેને અતિ શીઘ્રતાથી મૂકતી કે છોડતી વખતે પૃથિવી વગેરેને બરાબર જોયા તપાસ્યા વિના મૂકે-કે છોડે તેને સહસા નિલેષાધિકરણ કહેવાય. -કોઇપણ અજીવવસ્તુનેગમેત્યાંગમેતેમ એકાએક સમજયાવિચાર્યાવગરફેકવી-મૂકવીતે. -शकित अभावात् चेतयतोऽपि अप्रत्यवेक्षितदुष्प्रमार्जितदेशे निक्षेपोऽधिकरणस्येतरोऽपि सहसा निक्षिपितः -૪-અનાભોગનિક્ષેપાધિકરણઃ-ઉપયોગ સિવાય જ કોઈ વસ્તુને કયાંય મૂકી દેવી,તે અનાભોગ નિક્ષેપ છે. -વિસ્તૃતિને કારણે ઉપયોગ અભાવે ભૂમિને જોયા વિના કે પ્રમાદર્યા વિના વસ્તુ મૂકવી તે –શીવ્રતાકે ઉતાવળ ન હોવાછતાં, અહીં કોઈ જીવ કોઈછે કે નહીં તે જોયા વિના અર્થાત સચિત પણાની જયણા કે ઉપયોગ વિના શરીર, ઉપકરણાદિ અણશોધી ભૂમિ ઉપર મૂકવા તે અનાભોગ નિપાધિકરણ. -अनाभोगोऽत्यन्त विस्मृति:, नही इदं स्मरति प्रत्यवेक्षिते सुप्रमार्जिते च देशे निक्षेप्तव्यम्, तथाविधस्य निक्षेपोऽधिकरणम् * નિક્ષેપાધિકરણ સંબંધિકિંચિતુસ્પષ્ટતાઃ- કોઈ પણ વસ્તુ જેવી કે ઉપકરણ, શરીર, મળ, વસ્ત્ર,પાત્ર આદિ સજીવ વસ્તુઓ જે સ્થાને મૂકવી હોય ત્યાં પ્રથમ દ્રષ્ટિથી નિરીક્ષણ કરવું જોઈએ અર્થાત ચક્ષુ પ્રમાર્જના કરવી જોઈએ, જેથી મૂકતીવેળાએ કોઈજીવની વિરાધના નો સંભવ ન રહે. વળી કેટલાંક જીવો એવા સૂક્ષ્મ પણ હોય છે જે દૃષ્ટિપથમાં આવતા નથી.આવા જીવોની રક્ષાના પરિણામથી, રજોહરણાદિ વડે બરોબર પ્રમાર્જના કરવી જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy