SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –અર્થાત પહેલા દ્રષ્ટિ પડિલેહણ કરવું અને પછી પ્રમાર્જના કરવી.અથવા તો પૂંજવું અને પ્રમાર્જવું જેથી દ્રશ્ય જીવો કે સૂક્ષ્મ જીવો હોય તો દૂર થાય પછી તે સ્થાનમાં વસ્તુ મૂકવી કે ઉપલક્ષણથી લેવી. આ પ્રમાણે કરવાનો હેતુજયણાપાલન છેકેમકે ઉપયોગએજ ધર્મ છે એમજયારે કહીએત્યારે જીવરક્ષા માટે સાવધાન થવા ઉપયોગ પૂર્વક લેવા-મૂકવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. આ રીતે પૂજવા-પ્રમાર્જવાના દ્રષ્ટિબિંદુથી નિક્ષેપાધિકરણના ચાર ભેદો સૂત્રકારે સ્વોપજ્ઞભાષ્યની રચના કરીને આપણને જણાવ્યા. (૧) જો દ્રષ્ટિ પડિલેહણા બરાબર ન કરાઇ હોય તો અપ્રત્યવેક્ષિત. (૨) રજોહરણાદિથી યોગ્ય પ્રમાર્જના ન કરાઈ હોય તો દુષ્પમાર્જિત. (૩) ઉતાવળે કાર્ય થવામાં પડિલેહણ કે પ્રમાર્જન રહી જાય ત્યારે સહસાનિક્ષેપ (૪)ઉપયોગ રહિત પણે કાર્ય થતા, પડિલેહણ-પ્રમાર્જન રહી જાય તો અનાભોગ નિક્ષેપ * સંયો-સંયોગ એટલે એકઠું કરવું, ભેગુ કરવું. જોડવું. -કોઈ બે વસ્તુને જોડવા પરસ્પર સંયોજના કરવી તે સંયોગ. -संयोजनंसंयोग-एकस्यीकरणं व्यामिश्रणं આ સંયોગાધિકરણના બે ભેદ કહેલા છે. -१- भकतपानसंयोजनाधिकरणम् -અન્ન, જળ,આદિનું સંયોજન કરવું તે ભકતપાન સંયોગાધિકરણ. -ભોજનને સ્વાદ-ઈષ્ટ બનાવવા રોટલી દાળમાં બોળવી તે પણ સંયોજના દૂધમાં ખાંડ નખાવવી કે ઉપરથી મીઠું-મરચું લેવું તે બધા જ સંયોજનાના દ્રષ્ટાન્તો છે. આ રીતે ભોજનમાં ઈષ્ટ સ્વાદ ઉભો કરવા થતી કોઈ સંયોજના તે ભકૃતપાન સંયોજનાધિકરણ કહેવાય છે. -ભકત-પાનાદિ અર્થાત ખાન-પાનમાં સંયોગ કરવો તે --भक्तमशनखाद्यस्वाद्यभेदात् विधा। तस्य संयोजने पात्रे मुखे वा व्यञ्जनगुडोप दंशफलशाकादिना सह, तथा द्राक्ष दाडिमपानकादि अपि प्रासुकजलारनालादि च खण्ड शर्करामरिचा दिभिः एवं तद्भक्तपान संयोजनाधिकरणम् । -૨-૩૫રળસંયોગનાધિU:$ વસ્ત્ર,પાત્ર આદિ ઉપકરણોનું સંયોજન કરવું તે સંયોજનધિકરણ ૪ ઉપકરણમાં વસ્ત્ર-પાત્રાદિ સંયોજના કહી છે જેમ કે બે વસ્ત્રોમાંથી એક જૂનું અને બીજું નવું વસ્ત્ર હોય તો જૂનું કાઢીને બીજું પણ નવું પહેરવું અથવા મેલું અને ધોયેલું હોય તો બીજુંપણ મેલું કાઢીને પહેરવું રાગાદિ થી વસ્ત્રમાં દોરા કે ભરત ગુંથણ રૂપ સંયોજના કરવી. એ જ રીતે પાત્રના રંગ વગેરેમાં સંયોજના સેવવી. દંડ અને દંડાસણમાં વર્ણ કે પાલીસ થકી સમાનતા કે ચકાટ લાવવોતે ઉપકરણ સંયોજનાધિકરણ ___-उपकरणं-वस्त्रपात्रादि तत् संयोजना तथा विधविचित्र-लाभे तदनुरूपामार्गणया परिभोगेन चैवमाधिकरणम् इति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy