SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભાવ -તે-તે પ્રકારના પરિણામો વીર્ય- વિર્ય, શકિત વિશેષ મલિવર-આસ્રવની ક્રિયાના સાધનો વિશેષ-ભેદ તદ્ - તે,સાંપરાયિક આગ્નવ U [6]અનુવૃત્તિઃ- (૧) સાક્ષાયો સૂત્ર ૬:૧ સાપેથિક (૨) બાવ: સૂત્ર. ૬૨ મારવ શબ્દની અનૂવૃત્તિ . [7]અભિનવટી - પ્રાણાતિપાત-આદિ અવ્રત,ક્રોધાદિ કષાય,ઇન્દ્રિયોના વ્યાપાર અને સમ્યક્ત ઈઆદિ પચીસ ક્રિયા એ આમ્રવ[અર્થાત બંધના કારણોસમાન હોવા છતાં પણ તર્જન્ય કર્મબંધમાં કયા ક્યા કારણથી વિશેષતા આવે છે. તેનું કથન કરવાનો અહીં ઉદેશ છે. -સૂત્રકાર મહર્ષિએ મન-વચન-કાયાના યોગને આસ્રવ કહ્યા પછી કષાયને આશ્રીને તેનો સામ્પરાયિક નામે એક [આગ્નવભેદ જણાવ્યો. આ જે સામ્પરાયિક આસ્રવ ના ભેદ ગણાવ્યા તેમાં કોઈ શુભ આસ્રવ છે. કોઈ અશુભ આસ્રવ છે. આ બધી વાત સારી રીતે સમજી લીધા પછી પ્રશ્ન થાય કે આ શુભાશુભ સામ્પરાયિક આસ્રવમાં બધામાં એક સરખો જ બંધ થાય છે કે કંઈ ઓછો વત્તો બંધ પણ પડે છે ખરો? -બીજો પ્રશ્ન એ પણ થાય કે કર્મની પ્રકૃત્તિ-કર્મગ્રન્થકાર-૧૪૮ની જણાવે છે વિશેષથી અનેક વિધાનભેદો છે. સામ્પરાયિક આમ્રવના આ ૩૯ ભેદ માંથી આટલી પ્રકૃત્તિ નો સંબંધ થાય કઈ રીતે? આનું સમાધાન એજ કે એક એક આગ્નવ અનેકાનેક કર્મબન્ધનું કારણ છે તેથી ૩૯ ભેદમાંથી અનેક પ્રકૃત્તિ થઈ શકે છે તદુપરાંત સામ્પરાયિક આસ્રવમાં જે-જે કારણે વિશેષતા [-ભેદ]જણાય છે તે વિશેષતા દર્શાવવાજ આ સૂત્ર બનાવાયેલું છે અર્થાત આ સૂત્ર થકી પરિણામ ના ભેદને કારણે કર્મબન્ધમાં થતા ભેદોનું પ્રતિપાદન કરાયું છે સ્વોપજ્ઞ ભાષ્યાનુસારઃ-સામ્પરાયિક આસ્રવમાં ઉપરોકત સૂત્રમાં કહ્યા મુજબ ૩૯ ભેદો છે. આ ૩૯ સામ્પરાયિક આસ્રવોના પણ તીવ્રભાવ,મંદભાવ,જ્ઞાતભાવ,અજ્ઞાતભાવ, વીર્ય અને અધિકરણની વિશેષતા વડે અન્ય વિશેષભેદો કહ્યા છે. આ ભેદો કયાંક લઘુ કયાંક લઘુતર, ક્યાંક લઘુત્તમ, તેથી ઉલટું કયાંક તીવ્રતર અને કયાંક તીવ્રતમ થયા કરે છે અને આ વિશેષતાને કારણે જ કર્મબંધમાં પણ વિશેષતા[ભેદ]થાય છે જ તીવમાવ:- અહીં તીવ્ર અને ભાવ બે શબ્દો સંકડાયેલા છે ૪ તીવ્ર એટલે પ્રકૃષ્ટ અને ભાવ એટલે પરિણામ –બાહ્ય અને અભ્યન્તર કારણોથી જે ઉત્કૃષ્ટ ક્રોધાદિ પરિણામ થાય છે તેને તીવાભાવ કહે છે. ૪ બાહ્યબંધ કારણ સમાન હોવા છતાં પણ પરિણામની તીવ્રતાને કારણે કર્મબંધ ભિન્ન ભિન્ન થાય છે. જેટલા પરિણામતીવ્રતેટલો બંધ પણ તીવ્ર જેમકે દ્રશ્યને જોતી વ્યકિત જોતીવ્ર આસકિત પૂર્વક તે દ્રશ્ય જોતી હોય તો કર્મનો બંધ પણ તીવ્ર જ થાય છે. ૪ તીવ્રભાવ એટલે અધિક પરિણામ. જેમ કે દોષિત વ્યકિતના પ્રાણનો નાશ કરવાનો હોય તેના કરતા કોઈ નિર્દોષ વ્યકિતને મારવી હોય તો પરિણામ ઘણાં તીવ્ર બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy