SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૪ ૨૩ મુજબ તેઓ તિર્યચાયુ ને પુન્ય પ્રકૃત્તિ માને છેતેથી અહીંસમાવેશ થશે નહીં .એજ રીતે તત્વાર્થ સૂત્રકારે જણાવેલ હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ત્રણ નોકષાય મોહનીય ને પણ કર્મગ્રન્થ અને નવતત્વકાર પાપ પ્રકૃત્તિ ગણે છે. માટે તે ત્રણેનો ઉમેરો થશે -૪- હારિભદ્દીય ટીકાઃ- માંતો સ્પષ્ટ તયા સૂત્ર ૮:૨૫ સર્વોદ્યસમ્યત્વ નો જ સાક્ષી પાઠ નોંધેલ છે. અને શેપમ્પાપમ્ કહીને બાકીની પ્રકૃત્તિ પાપ-પ્રકૃત્તિ છે તેમ કહ્યું છે તેઓ શ્રી કર્મગ્રન્થ ના મત ને નહીં પણ તત્વાર્થકારના મતને જ પ્રાધાન્ય આપે છે. -૫- સિધ્ધસેનીય ટીકાઃ- માં જાણે આ તત્વાર્થ સૂત્રની ટીકા જન હોય તેમ પહેલાતો સીધું જ ૮૨-પાપ પ્રકૃત્તિનું વિધાન કરે છે. પછી ભાષ્યની ટીકા રચતી વેળાએ સવ્વુઘસમ્યત્વ ૮:૨૬ નો ઉલ્લેખ કરીને પણ પછી ૮૨ પ્રકૃત્તિ નો જ ઉલ્લેખ કરેલ છે. તેમને સૂત્રકાર કરતા નવતત્વકાર અને કાર્યગ્રન્થિક મતને જ પ્રાધાન્ય આપ્યું હોય તેવું જણાય છે -૬-પ્રકૃત્તિના મંતવ્ય ભેદ વિષયક આગમ પાઠ આધારિત વિશેષ ખુલાસા અમે મેળવી શકયા નથી. કેમ કે સ્થાનકૢ તથા સમવાયાત બંને અંગોમાં । પુત્તે, એટલો જ પાઠ છે. અન્ય આગમોમાં જેપાઠમળેછેતેમાં પાપ પુન્ય પ્રકૃત્તિના ભેદ જોવા મળેલ નથી. અર્થાવર્તમાન કાલીન મૂળઆગમમાં તો આ પાઠ ભેદનો આધાર ઉપલબ્ધ જણાતો નથી વળી પૂ.ઉમાસ્વાતિજીના પૂર્વકાલિન અન્ય સાહિત્યનો આધાર પણ ઉપલબ્ધ થતો નથી તેથી ખુદ ભાષ્યવૃત્તિ કારે પણ કહી દીધું કે આ મંતવ્ય નુંરહસ્ય સંપ્રદાયનોવિચ્છેદ થવાથી અમેજાણતા નથી પણ ચૌદ પૂર્વધર મહર્ષિજાણતા હશેકેમ કે હાલ આ રીતે પ્રકૃત્તિ ગણના જોવા મળતી નથી. -૭- પાપ પ્રકૃત્તિની ગણતરીઃ- તત્વાર્થ સૂત્રકારે જેને પુન્ય પ્રકૃત્તિ ગણી નથી તે સર્વે પાપ પ્રકૃત્તિ ગણાય તેને માટે જ સ્વોપજ્ઞ ભાષ્યમાં શેષમ્ પાપકહ્યું છે ક્રમઃ૧ સૂત્રકાર મહર્ષિ કુલ ૯૭ પ્રકૃત્તિ જણાવે છે જુઓ તે મુજબ – (૧)જ્ઞાનાવરણીય-૫ (૨)દર્શનાવરણીય-૯(૩)વેદનીય -૨(૪)મોહનીય-૨૮, (૫)આયુષ્ય-૪, (૬)નામ-૪૨, (૭)ગોત્ર-૨,(૮)અંતરાય-૫ એમ કલિ-૯૭ પ્રકૃત્તિ થશે ક્રમઃ ૨ કર્મગ્રન્થના મત મુજબ બંધઆશ્રયી પ્રકૃત્તિની સંખ્યા ૧૨૦ની કહીછેઅને ઉદય આશ્રીત પ્રકૃત્તિની સંખ્યા-૧૨૨ કહી છે અહીં જે ૨ પ્રકૃત્તિનો તફાવત પડે છે તે મોહનીય ને આશ્રીને છે કેમ કે કર્મગ્રન્થના મતે મોહનીય કર્મની એક પ્રકૃત્તિનોજ બંધ પડેછેમિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય નો બંધ હોતો નથી પણ તે મિથ્યાત્વ મોહનીય ના વિશુધ્ધ થયેલા દળીયા જ છે. તેથી બંધાશ્રયી પ્રકૃત્તિ ૧૨૦ છે પણ ઉદયમાં મોહનીયના ત્રણે ભેદો ગણાશે માટે ઉદયાશ્રિત પ્રકૃત્તિ ૧૨૨ છે. અર્થાત્ કર્મગ્રન્થના મતે મોહનીય કર્મના બંધ આશ્રયી ભેદો ૨૮ નહીં પણ ૨૬ છે. ૨૮ ભેદ ઉદયને આશ્રીને છે. ક્રમઃ ૩ તત્વાર્થ સૂત્રકાર અધ્યાયઃ૮-સૂત્રઃ૧૨ માં જણાવે છે તે મુજબ મોહનીયના બંધ આશ્રયી ૨૮ ભેદોનું જ કથન છે. ક્રમઃ૪ નામકર્મની પ્રકૃત્તિની ભેદો તત્વાર્થ સૂત્રમાં જણાવ્યા મુજબ ૪૨ છે. આ અભિપ્રાય કર્મગ્રન્થ માં પણ સ્વીકારેલ છે. તે આ પ્રમાણે છે ૧૪ પિંડપ્રકૃત્તિ + ૮ પ્રત્યેક પ્રકૃત્તિ + ત્રસદશક ૧૦ અને ત્રસની વિપરીત અર્થાત્ સ્થાવર દશક-૧૦=૪૨કુલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy