SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ર. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -પ પરિગ્રહ -વસ્તુ આદિનાં સંગ્રહથી પાપનો આસ્રવ થાય છે - ક્રોધ –અપ્રશસ્ત ક્રોધ કરવાથી પાપનો આસ્રવ થાય છે -૭ માનઅપ્રશસ્ત માન કરવાથી પાપનો આસ્રવ થાય છે -૮ માયા-અપ્રશસ્ત માયા કરવાથી પાપનો આસ્રવ થાય છે -૯ લોભ-અપ્રશસ્ત લોભ કરવાથી પાપનો આસ્રવ થાય છે - ૧૦ રાગ- અપ્રશસ્ત રાગ કરવાથી પાપનો આસ્રવ થાય છે -૧૧ દ્વેષ –અપ્રશસ્ત ષ કરવાથી પાપનો આસ્રવ થાય છે -૧૨ કલહ-કલેશ-ઝઘડા કરવાથી પાપનો આસ્રવ થાય છે -૧૩ અભ્યાખ્યાન-કલંક કે આળદેવાથી પાપનો આસ્રવ થાય છે -૧૪ પૈશુન્ય -ચાડી ચૂગલી કરવાથી પાપનો આસ્રવ થાય છે -૧૫ રતિ અરતિ – અપ્રશસ્ત હર્ષ કે શોક કરવાથી પાપનો આસ્રવ થાય છે -૧ પરપરિવાદ - નિંદા, ટીકા કરવાથી પાપનો આસ્રવ થાય છે --૧૭ માયા મૃષાવાદ- કપટ યુકત જૂઠું બોલવાથી પાપનો આસ્રવ થાય છે -૧૮ મિથ્યાત્વ - મિથ્યાત્વ આચરણથી પાપનો આસ્રવ થાય છે જેમ પુન્યના નવ કારણો કહ્યા તેમ અહીં આ ૧૮ પાપ સ્થાનક નું સેવન એ પાપ બાંધવાના ૧૮ કારણ રૂપે જણાવેલું છે. ઉપર જો કે “કરવાથી” શબ્દ વાપરેલ છે. પણ મનવચન-કાયા પૂર્વક કરવું, કરાવવું કે અનુમોદવું એ બધાં પાપગ્નવના કારણભૂત જ છે ફકત તે સેવનમાં જયાં પ્રશસ્ત ભાવ હોય અર્થાત સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા પ્રમાણે જો આમાંનું કોઈ સેવન થાયતો તેમાં પુન્યનો આગ્નવકે નિર્જરાવિશેષ થાય છે અને પાપનો આગ્નવ ઓછો થાય છે. * પાપના બે ભેદોઃ-૧ વ્યપાપ- જીવને દુઃખ ભોગવવામાં કારણરૂપ જે અશુભ કર્માક્સવ તેને દ્રવ્ય પાપ કહેવામાં આવે છે. -૨ ભાવપાપ -અશુભ કર્માક્સવને ઉત્પન્ન કરવામાં મૂળ કારણ રૂપ જે અશુભ અધ્યવસાય- ભાવ/પરિણામ તે ભાવ-પાપ કહેવામાં આવે છે. * પાપ પ્રકૃત્તિઃ- પાપ પ્રકૃત્તિ નું કથન સમજણ માટે તો જરૂરી જ છે તદુપરાંત કંઈક અંશે મંતવ્યભેદ ને પણ સ્પષ્ટ કરે છે. -૧-પાપ પ્રકૃત્તિ - જીવ જે પાપ ઉપાર્જન કરે છે તે બંધાયેલ પાપ ક્યા પ્રકારે ઉદયમાં આવે કે ભોગવાય છે તે જણાવતા કર્મોની પ્રકૃત્તિને પાપ પ્રકૃત્તિ કહેલી છે - ૨ તત્વાર્થ સૂત્રના અધ્યાયઃ૮ ના સૂત્રઃ૨૬ સદ્યસંખ્યત્વે હાસ્યરતપુરુષવેશમા મળોત્રણ પુષ્ય ના સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકારમહર્ષિ જણાવે છે કે તોગચNINK અર્થાત આટલી પ્રકૃત્તિ સિવાયની મૂળ કે ઉત્તર કર્મ પ્રવૃત્તિ તે પાપ છે. મતલબ કે પૂર્વસૂત્રમાં જે પૂન્યપ્રકૃત્તિ જણાવી તે સિવાયની બધી પાપ પ્રકૃત્તિ સમજવી. -૩ કર્મગ્રન્થ કે નવતત્વ માં આ જ પાપ પ્રકૃત્તિની સંખ્યા ૮૨ની કહી છે. તેમના મત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy