SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૪ ૨૧ વળી અણુમ શબ્દનો અર્થ અપ્રશસ્ત પણ કરેલો છે. જેમ કે અપ્રશસ્ત રાગ વગેરે છતાં ‘‘અશુભ એટલે પાપ’’ તે રૂઢ હોવાથી બીજા અર્થોના અવલંબનની આવશ્યકતા રહેતી નથી. ૐ અશુમાયયોગ:- હિંસા,ચોરી,પરિગ્રહ,અબ્રહ્મનું સેવન વગેરે અશુભ કાયયોગ છે અથવાતો દેહાધ્યાસ પૂર્વકની પ્રવૃત્તિતે અશુભકાય યોગ એટલે કે –જિનેશ્વર પ્રણિત ધર્મની વિપરીત પણે કાયા થકી જે કંઇ પ્રવૃત્તિ થાય અથવા તો જે કોઇ કાયિક પ્રવૃત્તિ પરમાત્માના માર્ગને અનુસરતી ન હોય તે સર્વે અશુભ કાયયોગ કહેવાય અણુમ વચનયો-સાવદ્ય ભાષણ,મિથ્યા પ્રલાપ,કઠોર વચન,અસત્ય બોલવું મિશ્રભાષા બોલવી, અહિતકર બોલવું, વૈશૂન્ય-નિંદા કરવી વગેરે અશુભ વચનયોગ છે. એટલે કે સર્વજ્ઞ કથિત ધર્મને અનુસરીને ન બોલાતી કે શ્રુત અજ્ઞાનને અનસરી ને કહેવાતા વચનો તે અશુભ વચનયોગ કહેવાય અણુમમનોયોગ:- આર્દ્રધ્યાન, રૌદ્રધ્યાન રૂપ દુર્ધ્યાન, સંકલ્પ વિકલ્પો,બીજાના અહિત કે વધાદિ નું ચિંતવન, હિંસા-ચોરી-જૂઠ મૈથુન-પરિગ્રહ સંબંધિ વિચારણા, રાગદ્વેષ,ઇર્ષ્યા,અસૂયા વગેરે અશુભ વચનયોગ કહેવાય એટલે કે જિનેશ્વર પ્રરૂપિત તત્વોથી વિપરીત વિચારણા અથવાતો મિથ્યાત્વ યુકત ચિંતનો તે સર્વે અશુભ મનોયોગ છે. પાપ:-નવતત્વ કાર જેને એક સ્વતંત્ર તત્વ ગણે છે અને અહીં સૂત્રકાર મહર્ષિ જેને કર્મામ્રવના એક ભેદ વિશેષ રૂપે ઉલ્લેખ કરે છે એવું પાપ [તત્વ]શું છે. -પુન્ય થી વિપરીત તત્વતે પાપતત્વ -અથવા અણુમર્મ તે પણ પાપ જ કહેવાય છે. – જેના વડે અશુભ કર્મનું ગ્રહણ થાય તેવી અશુભ ક્રિયાદિ અર્થાત્ અશુભ યોગોને પણ પાપ-આસ્રવ કહેલો છે. -જેના ઉદયથી જીવને પ્રતિકુળ સામગ્રીઓ પ્રાપ્ત થાય છે, પરમ ઉદ્વેગ પમાય છે અને ઘણું દુ:ખ ભોગવાય છે તે પાપ -- પાતતિ નારાવિ તુતિપુ-નરકાદિ દુર્ગતિમાં પાડે તે પાપ - પાંાતિ માહિનયતિ નીવમ્ તિ પાપમ્-એટલે જીવને મલિન કરેતે પાપ - – પાંચતિ અર્થાત્ મુઽતિ આત્માને બાંધે -આવરે તે પાપ – જેના કારણે દુઃખ અશાતા વગેરે અનુભવાય તે પાપ(કર્મ) પાપ ના કારણોઃ- સામાન્યથી તો અશુભ યોગ કે અશુભ કર્મો જ પાપ નું કારણ ગણાવાય છેછતાં કંઇક વધુ સ્પષ્ટ કરવા નવતત્વમાંાપતત્વ નુંવિવરણ કરતા નીચેના કારણો જણાવેલા છે. -૧ પ્રાણાતિપાત -જીવહિંસા થકી પાપનો આસ્રવ થાય છે -૨ મૃષાવાદ- અસત્ય કે જૂઠ બોલવાથી પાપનો આસ્રવ થાય છે -૩અદત્તાદાન- ચોરી કરવાથી પાપનો આસ્રવ થાય છે -૪ મૈથુન-સ્ત્રીસંગ કે વિષય સેવનથી પાપનો આસ્રવ થાય છે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy