SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [4] સૂત્રસાર - અશુભ યોગ એ પાપનો આસવ) છે. U [5]શબ્દશાનઃમશુમ:અશુભ,અપ્રશસ્ત પાપ–પાપ, જીવને ન ગમતુ એવું અનભિષ્ટ કર્મફળ U [6]અનુવૃત્તિ - (૧)ચવામ: : સૂત્ર. ૬૨ યોગ શબ્દની અનુવૃત્તિ (૨) કાવ: સૂત્ર. ૬:૨ માસવ શબ્દની અનુવૃત્તિ લેવી [7]અભિનવટીકાઃ- આસ્રવ તત્વના બે ભેદો કહ્યા એક શુભ અને બીજું અશુભ શુભ આસ્રવ તે પુન્ય'' એ વાત પૂર્વે સૂત્ર૩માં કહેવાઈ અને હવે આ સૂત્ર થકી “અશુભ આસ્રવ તે પાપ”નું કથન કરેલ છે. - બીજી રીતે આ જ વાત રજૂ કરીએ તો કહી શકાય કે -કાય,વચન અને મન એ ત્રણે યોગોના બે-બે ભેદો કહ્યા છે. તેમાં એક શુભયોગ અને બીજો અશુભયોગ આ રીતે કાયાદિ ત્રણે યોગો શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે આ યોગના શુભત્વ કે અશુભત્વની આધારશીલા ભાવનાની શુભાશુભતા છે. –જેમાં શુભયોગની વ્યાખ્યા પૂર્વ સૂત્રઃ૩માં અપાઈ ગઈ છે –આત્માના અશુભ પરિણામ થી -અશુભ અધ્યવસાયથી થતો યોગ તે અશુભયોગ છે. આ અશુભયોગ જ અશુભ આસ્રવ છે. જેથી સૂત્રકાર મહર્ષિ પ્રસ્તુત સૂત્રમાં જણાવે છે કે પાપરૂપ અશુભ કર્મોને લાવનારો અશુભ યોગ એ અશુભ આસ્રવ છે. –આ રીતે અશુભયોગ એ પાપનો આસ્રવ અથવા પાપ-બંધનો હેતુ છે તેમ કહ્યું છે પણ અશુભયોગ કોને કહેવો? -અશુભ યોગના અર્થને સ્પષ્ટ કરવા માટે ટીકા તથા વચનોને આધારે અહીં કેટલાંક દૃષ્ટાન્નો રજૂ કરેલ છે પણ જો અશુભયોગ એ પાપ કર્મના બંધનું કારણ સમજીએ તો જેને પાપ પ્રકૃત્તિ કહેવાય છે. તેને પણ જાણવી આવશ્યક છે. જે વાત આપણે આ ટીકામાં જ આગળ ઉપર કહેવાના છીએ અર્થાત અશુભ યોગ એ પાપનો આસ્રવ છે. તે વાત અહીં બે તબક્કે જણાવવી આવશ્યક છે. (૧)અશુભ યોગનું ઉદાહરણો થકી સ્પષ્ટીકરણ (૨)તે અશુભ યોગથી બંધાતી પાપ પ્રકૃત્તિના કારણો અને સ્વરૂપ જ પશુમયો:-સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં પશુમ શબ્દ પ્રયોજેલ છે જે યોજી શબ્દના વિશેષણ રૂપ ભેદ પ્રદર્શક શબ્દ છે. યોગ શબ્દ અહીં આ અધ્યાયના પ્રથમ સૂત્રથી ખેંચવામાં આવેલ છે પણ યોr શબ્દને આશ્રીને અશુમ ના ત્રણ વિભાગો થશે કેમ કે સૂત્રકાર મહર્ષિએ વામન: કર્મ યો: એ પ્રમાણે પૂર્વે સૂત્રઃ૧માં કથન કરેલું જ છે. તેથી અહીંદૃષ્ટાન્તથી અશુભ કાયયોગ, અશુભ વચનયોગ,અશુભ મનોયોગ એ ત્રણે ભેદોને રજૂ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy