SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંખ્યા જણાવી દીધી છે. સ્વોપજ્ઞ ભાષ્યને આધારે તેઓશ્રી પૂજય ઉમાસ્વાતિજીના અધ્યાયઃ૮-સૂત્ર ૨૬ ના સાક્ષી પાઠનો ઉલ્લેખ હવે પછીના સૂત્ર:૪માં કરે છે. તો પણ ત્યાં સૂત્રકારના મત કરતા કાર્મગ્રંખ્યિક મત જ વધારે પ્રસ્કૂટ કરી રહ્યા હોય તેવું જણાય છે. -- આ પુન્ય પ્રકૃતિમાં એક એક પ્રકૃત્તિની અલગ અલગ સુંદર વ્યાખ્યા નવતરૂં ના વિવરણોમાં જોવા મળે છે. પણ અમે તેનો આધાર અત્રે રજૂ કરેલ નથી. કેમ કે અધ્યાયઃ૮ના સૂત્ર ૭ થી ૧૪માં કર્મોની મૂળતથા ઉત્તર પ્રવૃત્તિના કથનો છે જ તેથી તેની અભિનવટીકા અવસરે આ પ્રવૃત્તિઓનું વિશેષ સ્પષ્ટીકરણ રજૂ કરેલ છે -૭-પ્રકૃત્તિના મંતવ્યભેદવિષ્યકઆગમ પાઠ આધારિત વિશેષ ખુલાસા અમે મેળવી શકયા નથી કેમ કે સ્થાના તથા સમવાયા માં આપેલ પાઠમુજબ ફકત પીપુuપ શબ્દ આવે છે. બીજી કેટલીક આગમ સાક્ષીઓ ફકત કર્મપ્રકૃત્તિ વિષયક મળે છે. પૂજય ઉમાસ્વાતિજી પછીના ઘણા વર્ષે થયેલા પૂ.અભયદેવસૂરિજીની વૃત્તિમાં પણ પુout ની વ્યાખ્યા છે પણ તેમના પૂર્વકાલિન લખાણો અમને મળતા નથી વર્તમાન કાલીન મૂળ આગમમાં અમને કોઈ ખુલાસા ઉપલબ્ધ થતા નથી ખુદ ભાષ્યવૃત્તિકાર મહર્ષિ પણ એમ જ કહે છે કે - આ મંતવ્યનું રહસ્ય સંપ્રદાયનો વિચ્છેદ થવાથી અમે જાણતા નથી પણ ચૌદપૂર્વધર મહર્ષિઓ જાણતા હશે. જ વિશેષ: -૧-સૂત્રકાર મહર્ષિ શુભયોગનું કાર્ય પુણ્યપ્રકૃત્તિનો બંધ છે એવું જણાવે છે તે વિધાન અપેક્ષાએ સમજવું કેમ કે સંક્લેશ અથવા કષાયની મંદતા સમયે થતો યોગ શુભયોગ છે શુભના સમયે પણ બધી પુણ્ય-પાપ પ્રકૃત્તિઓનો યથાસંભવ બંધ તો હોય જ છે તેથી પ્રસ્તુત વિધાન, પ્રકૃત્તિને બદલે રસ બંધ ની અપેક્ષાએ સમજવું વધુ યોગ્ય જણાય છે. શુભયોગ સમયે પુણ્યપ્રકૃત્તિ ઓના રસની માત્રા અધિક હોય છે અને પાપ પ્રકૃત્તિના રસ-અનુભાગની માત્રા હીન નિષ્પન્ન થાય છે બાકી સમયે સમયે સાતેકર્મ તો બંધાવાનાજ છે. તેથી અહીં પુન્યાનુભાગ અર્થાત પુન્ય પ્રકૃતિના રસબંધની અધિક માત્રાનું પ્રાધાન્ય માનીને જ શુભયોગને પુણ્યબંધનું કારણ સમજવું -૨ શુભયોગ ને પુન્યના આસ્રવનું કારણ કહેલ છે તે નિર્જરા હેતુ નિષેધ કરતા પાપ નિવૃત્તિ ને આશ્રીને વિશેષ છે તો પણ નિર્જરા માં શુભ યોગ કરતા શુધ્ધયોગ તુલનાત્મક રીતે વિશેષ કારણ ભૂત છે. શુધ્ધ યોગમાં કર્મનિર્જરાનું જ લક્ષ હોય અને પુન્ય તત્વને હેય જ ગયું હોય પણ અશુભ નો નિરોધ શુભથી કરીને શુધ્ધયોગ પ્રતિ પ્રયાણ થઈ શકે છે માટે શુભનો આશ્રય મહત્વનો છે. U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ-૧-gો પુom- થા સ્થા-૧,૩૭,૫.૨૨ પર્વ * સમ સમ . ૨-૨૮ -૨-મસ્ય દ્રિતીયપાઠ: કૌમ સૂત્રે વતિ | For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy