SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ ગુમ મનોયો :-ધર્મધ્યાન,શુકલ ધ્યાન રૂપ શુભ ધ્યાન, વૈરાગ્યાદિ શુભ ભાવનાઓ,દયા કે કરુણા ભાવ, પાંચવ્રત સંબંધિવિચારણા વગેરે શુભ મનોયોગ છે એટલે કે જિનેશ્વર પ્રરૂપિત તત્વોનું ચિંતન કે તત્સંબંધિ આચરણ વિષયક વિચારણા અને જે ન થઈ શકતુ હોય તે વિષયે આત્મનિંદા સ્વરૂપનું ચિંતવન તે શુભમનો યોગ કહેવાય જ પુ - નવતત્વમાં જે એક સ્વતંત્ર તત્વ ગણેલ છે અને અહીં તત્વાર્થ સૂત્રકારે કર્માક્સવના શુભ ભેદ રૂપ જેને ગણેલ છે એવું પુન્ય -તત્વ)છે શું? – જીવોને ઈષ્ટ સામગ્રી પ્રાપ્ત થાય છે તો તે પરમ આહલાદ પામે છે તથા સુખ અને શાતાને અનુભવે છે. તેનું જે મૂળ છે તે શુભ કર્મનો આસ્રવ કે શુભયોગ છે. આ શુભયોગ કે શુભ આસ્રવ ને જ પુણ્ય કહેલું છે. -શુભ કર્મબંધના કારણ ભૂત શુભ ક્રિયારૂપ આશ્રોતે પણ અપેક્ષાએ પુન્ય જ કહેવાય છે. –જેને લીધે જીવ સુખ સામગ્રી અને સાતા પામે તે પુણ્યતત્વ). -પુણાતિ-શ્મીરોતી રૂતિ પુષ્ય જે જીવને પવિત્ર કરે કે શુભ કરે તે પુન્ય જ પુન્યના કારણો:- સામાન્યથી શુભયોગ કેશુભ કર્મોનો બંધતે પુન્ય એવું વિધાન કર્યુ તેથી પુન્યના કારણોમાં શુભ આસ્રવ કહેવાય તેના નવ પ્રકારો નવતત્વના ગુજરાતી વિવેચનમાં જોવા મળેલ છે. ૧- પાત્રને અન્ન આપવાથી પુન્યનો આસ્રવ થાય. ૨- પાત્રને પાણી આપવાથી પુન્યનો આસ્રવ થાય. ૩- પાત્રને સ્થાન આપવાથી પુન્યનો આસ્રવ થાય. ૪-પાત્રને શયન આપવાથી પુન્યનો આસ્રવ થાય. ૫- પાત્રને વસ્ત્ર આપવાથી પુન્યનો આસ્રવ થાય. - મનના શુભ સંકલ્પ રૂપ વ્યાપારથી પુન્યનો આસ્રવ થાય. ૭- વચનના શુભ સંકલ્પ રૂપ વ્યાપારથી પુન્યનો આસ્રવ થાય. ૮- કાયાના શુભ વ્યાપાર-પ્રવૃત્તિથી પુન્યનો આસ્રવ થાય. ૯- દેવ-ગુરુને નમસ્કારાદિ કરવાવડે પુન્યનો આસ્રવ થાય. પાત્રએટલે-તીર્થંકર પરમાત્મા થી માંડીને મુનિ મહારાજ સુધીના મહાત્મા પુરુષો સુપાત્ર કહ્યા છે. બીજી કક્ષામાં ધર્મી ગૃહસ્થોને પણ પાત્ર કહેલા છે. તેમજ અનુકંપા યોગ્ય જીવોને અનુકંપા પાત્ર કહ્યા છે શેષ સર્વે અપાત્ર કહ્યા છે. ઉપરોકત નવ કારણો થી પુન્યનું ઉપાર્જન થઈ શકે છે પણ આ પુન્યનો ઉપયોગ ફક્ત મોક્ષ માર્ગના વળાવીયા તરીકે કરવો જોઈએ જ પુન્યના બે ભેદઃ(૧)દ્રવ્ય પુન્ય-જીવને સુખ ભોગવવામાં કારણરૂપ જે શુભકર્મ તે દ્રવ્ય પુન્ય (૨)ભાવ પુન્ય -શુભકર્મને ઉત્પન્ન કરવામાં કારણરૂપ જે જીવના શુભ અધ્યવસાય કે પરિણામ તે ભાવપુણ્ય કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy