SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ અધ્યાયઃ સૂત્રઃ ૩ એક શુભઆસ્રવ અને બીજો અશુભ આગ્નવ –અથવા તો કાય-વચન-મન એ ત્રણેયોગોના બે-બે ભેદો છે એક શુભયોગ અને બીજો અશુભ યોગ આ રીતે કાયાદિ ત્રણે યોગો શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. આ યોગના શુભત્વ કે અશુભત્વ ની આધારશીલા ભાવનાની શુભાશુભતા છે. -આત્માના શુભ પરિણામથી - શુભ અધ્યવસાયથી થતો યોગ શુભયોગ છે આ શુભ યોગ જ શુભઆસ્રવ છે. જેથી સૂત્રકાર મહર્ષિ પ્રસ્તુત સૂત્રમાં જણાવે છે કે પુન્યરૂપ શુભ કર્મોને લાવનારો શુભ યોગ એ શુભ આસ્રવ છે. આ રીતે શુભ યોગ એ પુન્યનો આસવ અથવા પુ બંધ નો હેતુ છે તેમ કહ્યું પણ શુભ યોગ કોને કહેવા? શુભયોગના અર્થને સમજવા માટે ટીકા તથા વિવેચનોને આધારે અહીં કેટલાંક દૃષ્ટાન્તો રજૂ કરેલ છે. પણ જો શુભયોગ એ પુન્ય બંધનું કારણ સમજીએ તો જેને પુન્ય પ્રકૃતિ કહેવાય છે તેવી પુન્ય પ્રવૃત્તિતો સૂત્રકાર સ્વયં સૂત્ર ૮:૨માં જણાવવાના જ છે જેની વાત આ ટીકામાં હવે પછી કહેવાશે જ અર્થાત શુભયોગ એ પુન્યનો આસ્રવ છે તે વાત અહીં બે તબક્કે જણાવવી આવશ્યક લાગે છે. (૧)શુભયોગ ની ઉદાહરણો થકી સમજ (૨)તે શુભયોગથી બંધાતી પુન્ય પ્રકૃત્તિના કારણો અને સ્વરૂપ જ ગુમ યોગ-સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં શબ્દ પ્રયોજેલ છે જે યોગ શબ્દનું વિશેષણ છે. અને યોગ શબ્દની પૂર્વસૂત્ર ૧ થી અહીંઅનુવૃત્તિ કરેલી છે. પણ યો ને આશ્રીને શુભના ત્રણ વિભાગો થશે કેમ કે વાલ્મી:મૈયોT:- સૂત્ર છે જ તેથી શુભ કાયયોગ,શુભ વચનયોગ અને શુભ મનોયોગ એ ત્રણ ભેદો અહીં દ્રષ્ટાન્ન થકી રજૂ કરેલ છે. વળી ફક્ત રામ શબ્દનો અર્થ ‘પ્રશસ્ત' પણ કરેલો છે જેમ કે પ્રશસ્ત રાગ, પ્રશસ્ત ક્રોધ, પ્રશસ્તમાન વગેરે. જેમ કે ગૌતમ સ્વામીજી ને પરમાત્મા મહાવીર પરત્વે જે રાગ હતો તે પ્રશસ્ત રાગ કહેવાય અહીં રાગની પ્રશસ્તી નથી કરી પણ દુન્યવી જીવો કરતા પરમાત્મા અથવા દેવ-ગુરુ-ધર્મના રાગને પ્રશસ્ત ગણેલ છે માટે પ્રશસ્ત રાગ કહ્યો છે. અંતેતો તે પણ છોડવાનો જ છે. તેમ ગુમ યોગો પણ અંતેતો છોડવાના જ છે છતાં તે મોક્ષ માર્ગના વળાવીયા હોવાથી જીવને પવિત્ર કરનારા છે માટે તેને પુનતિ તિ પુન્ય કહેલ છે તે શુભયોગો ૪ ગુમ થયો:- અહિંસા, દેવ ગુરુ ભકિત,દયા,દાન,બ્રહ્મચર્યપાલન વગેરે શુભકાય યોગ છે એટલે કેઃ જિનેશ્વર પ્રણિત ધર્મના પાલન માટે કાયાથકી જે કંઈ પ્રવૃત્તિ થાય અથવાતોજે કોઈ કાયિક પ્રવૃત્તિ પરમાત્માના માર્ગને અનુસરતી હોય તે સર્વે શુભ કાયયોગ કહેવાય ૪ ૫ વવયોT:- નિરવઘ સત્ય ભાષણ, મૃદુ તથા સભ્ય ભાષણ, સત્ય અને હિતકાર વાણી, દેવ-ગુરુ સ્તુતિ, ગુણ-ગુણીની પ્રશંસા વગેરે શુભ વચન યોગ છે એટલે કેસર્વજ્ઞ કથિત ધર્મને અનુસરીને બોલતી કોઈ પણ વાણી તે શુભ વચન યોગ કહેવાય For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy