SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે જેમ કે ભય આદિના કારણે ખોટું બોલે તો તે વચનયોગ વક્રતા –અને એકને કંઈ કહે અને બીજાને કંઈ કહે તે રીતે એકબીજાને લડાવી મારે તો તે વિસંવાદન છે. –તથા નીતિથી વર્તનારને પણ આડું અવળું સમજાવીને અનીતિ કરાવવી વગેરે વિસંવાદન છે. # આ રીતે વચન યોગ વક્રતા સ્વવિષયક છે.જયારે વિસંવાદનએ પર વિષયક પ્રવૃત્તિ છે જ -વિશેષ ર શોનુતવિષયસમુચ્ચયાર્થ: - અવ્યયથકી સૂત્રકાર નહીં કહેવાયેલા અશુભ નામ કર્મ વિશેષ-આગ્નવોનો સમુચ્ચય કરવાનું જણાવે છે –અશુભનામકર્મના ઉફતયોગ વક્રતા તથા વિસંવાદનસહબીજા પણ અનેક આગ્નવો વૃત્તિમાં કહ્યા જેમ કે® –મિથ્યાદર્શન, પશુન્ય, અસ્થિર ચિત્ત -ખોટા તોલમાપ રાખવા કે ખોટા તોલમાપ કરવા –અસલી વસ્તુમાં નકલી વસ્તુનું મિશ્રણ કરવું –પરનિંદા, આત્મપ્રશંસા, ચાડીયાપણું -પરદવ્ય હરણ, મહાઆરંભ, મહાપરિગ્રહ -કઠોર વચન, અસભ્ય વચન, વ્યર્થ બકવાદ - વશીકરણ પ્રયોગ, સૌભાગ્યોપધાત - ખોટી સાક્ષી, હિંસાદી માટે જૂઠું બોલવું -વર્ણ, ગંધ, રસ, સ્પર્શ,ફેરવી નાખવા -અંગોપાંગ છેદવા, યંત્રો-પાંજરા વગેરે કરવા -બીજાને હેરાન કરવાની તીવ્રવૃત્તિ - ઉજજવળ વેશે રૂપ વગેરે નો મદ કરવો -ચેત્યાદિના નામે પોતાના માટે ગંધ-માળા-ધૂપાદિ લેવા -આચાર્યાદિકની વિડંબના કરવી મશ્કરી કરવી -ઇટો પકાવવી, અગ્નિ પ્રયોગ કરવો, નીભાળા સળગાવવા -પ્રતીમા મંદિર,બગીચા,ઉપાશ્રયાદિનો વિનાશ કરવો * ગ્રન્થાન્તર થી અશુભ નામકર્મના આસવો -લોકપ્રકાશ-સર્ગઃ ૧૦-શ્લોક-૨૬૪-પૂર્વાર્ધ अगौरवश्च सरल: शुभं नामान्यथाशुभम् અર્થાત મોટાઈ વાળો અનેઅસરળ મિાયાવી]અશુભ નાકર્મ બાંધે છે -કર્મગ્રન્થ પહેલો-ગાથા-૫૯ ઉત્તરાર્ધ सरलो अगारविल्लो सुहनामं अनन्हा असुहं -અસરળ અર્થાત્ માયાવી મન-વચન-કાયાનો કપટયુક્ત વહેવાર થી યુકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy