SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્રઃ ૨૧ ૧૨૫ -મનથી કંઈક ચિંતવવુ, વચનથી કંઈક બોલવું અને કાયાથી કંઈક જૂદુજ કરવા રૂપ મન,વચન, કાયાની કુટિલતા તે યોગ વક્રતા (૧)કાયયોગ વકતા - કાયાના રૂપાંતરો કરીને અન્યને ઠગવા તે # શરીરની મોં મરડવા વગેરે કુચેષ્ટા કરવી, વિદુષક સ્ત્રી વગેરેના વેશ લેવા એ થકી લોકોને છેતરવા તે કાય વક્રતા કુજ,વામન, વિક્લાંગ,બાડો,રોગગ્રસ્ત વિદુષક, સ્ત્રી પુરુષ,નોકર, રુદ રાજર્ષિ વિશેષ અવતારી ગણાતા પુરુષો આદિ સર્વેના રૂપ કરીને તેવા માયા વ્યવહાર થકી લોકોને ઠગવાતે (૨)વાગુયોગ-વક્રતા- જુઠું બોલવું વગેરે થકી લોકોને છેતરવાતે $ લોકને ખોટું-ખરૂ સમજાવી લડાવી મારવા તે વચન વક્રતા ૪ વિવિધ દેશ-પ્રદેશની ભાષા બોલવા દ્વારા લોકોને છેતરવા. જેમ કે હિન્દી પ્રદેશમાં હિન્દી બોલીને પોતે હિન્દી ભાષાનો દેખાવ કરે અથવા મારવાડમાં મારવાડી બોલી પોતે મારવાડી હોવાનો દેખાવ કરે અને એ રીતે હું આ દેશનોજ છું એવો ભાસ ઉભો કરી લોકોને છેતરે (૩) મનોયોગ વક્રતા -મનમાં બીજુંજ હોવાછતાં લોકપૂજા, સત્કાર, સન્માન,વગેરેની ખાતર બાહ્ય કાયાની અને વચનની પ્રવૃત્તિ જૂદી જ કરવી | # મનમાં કોઈક વાત સંઘરી રાખી, વચનથી જૂદા શબ્દ બોલે, કાયા થકી વળી કંઈક અન્ય ચેષ્ટા જ કરે અને એ રીતે બીજાને છેતરીને પોતાનો સ્વાર્થ સાધવો તે મનો વક્રતા આ પ્રમાણે જે યોગ વક્રતા કહી તે પોતાના વિષયમાં જ હોય છે વિસંવાદ - પૂર્વે સ્વીકારેલ હકીકતમાં કાલાન્તરે ફેરફાર કરવો અર્થાત્ કરેલ પ્રરૂપણાથી અન્યથા પ્રરૂપણા કરવી તે વિસંવાદ ૪ અન્યથા પ્રવૃત્તિ કરાવવી અગર બે સ્નેહીઓ વચ્ચે ભેદ પડાવવો . જે હકીકતને ઉલટસુલટ રીતે રજૂ કરવી, બીજાની સરળતા નો દુરપયોગ કરવો, - એકબીજાને લડાવી મારવા જ કલ્યાણકારી માર્ગ ઉપર ચાલનારાને તેમાર્ગની નિંદા કરી ખરાબ માર્ગે ચાલવા સમજાવવું, વ્યસનાદિમાં પાડવા કે સમ્ય દર્શનાદિની પ્રવૃત્તિ કરનારને મિથ્યાત્વ માં લઈ જવા વગેરે વિસંવાદ આ પ્રમાણે વિસંવાદન બીજાના વિષયમાં જ હોય છે. જ પ્રશ્ન - યોગ વક્રતા અને વિસંવાદન વચ્ચે મુખ્ય ભેદ કર્યો છે? સમાધાનઃ- જો કે સામાન્યથી વચન યોગવક્રતા અને વિસંવાદન બંનેનો અર્થ સમાન જણાય છે પણ સૂક્ષ્મ દૃષ્ટિથી બંનેના અર્થમાં ભેદ છે # કેવળ સ્વને [પોતાને]આશ્રીને મન,વચન, કાયાની પ્રવૃત્તિ જૂદી પડતી હોય ત્યારે યોગ વક્રતા કહેવાય છે અને –બીજાના વિષયમાં પણ તેમ થાય ત્યારે વિસંવાદન કહેવાય છે અર્થાત કેવળ પોતાની વિરુધ્ધ પ્રવૃત્તિ તે વચનયોગ વક્રતા -અને પોતાની યોગ વક્રતાને કારણે અન્યની પણ વિરુધ્ધ પ્રવૃત્તિ થાય તે વિસંવાદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy