SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્રઃ ૧૭ ૧૦૯ (૨)વહરમપરિપ્રદ-ધ્રૂત્ર. ૬૬ થી ગાયુE: શબ્દ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકાઃ- કર્મની આઠ પ્રકૃત્તિઓ પ્રસિધ્ધ છે. સૂત્રકાર મહર્ષિએ પણ તેનો ઉલ્લેખ આઠમા અધ્યાયના પાંચમાં સૂત્રમાં કરેલો છે તે આઠમાંની એક કર્મ પ્રવૃત્તિ તે આયુષ્ય કર્મઆ આયુષ્ય કર્મની ચાર ઉત્તર પ્રવૃત્તિ કહેલી છે. જેમાંની એક પ્રકૃત્તિ છે તિર્યંચાયુ. આ તિર્યંચાયુનો આસ્રવ કઈ રીતે થાય છે તે જણાવવા માટે આ સૂત્રમાં કહે છે કે -માયા વડે તૈયેગ્યોના આયુષ્યનો આસ્રવ થાય છે માયા-સૂત્રમાં પ્રથમ શબ્દ છે “માયા''છળપ્રપંચ કરવોકેકુટિલ ભાવ રાખવોતે “માયા” -माया - शाठ्यं - वक्रता मनोवाक्कायिकी च - માયા કષાય નામક ચારિત્ર મોહનીયના ઉદય થી આત્મામાં જે કુટીલ ભાવ ઉત્પન્ન થાય છે તે માયા છે. -માયાએ કષાયનો એક ભેદ છે આમાયાઅનંતાનું બંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચારે સ્વરૂપે હોઈશકે છે -૧ સંજવલન માયા-સંજવલની માયા વાંસની સોય સમાન છે. વાંસની સોય કે ચીપ વાંકી થઈ ગઈ હોય તો તેને હાથ થી જ સીધી કરી શકાય છે તેવી જ રીતે જે માયા વિના પરિશ્રમે દૂર થઈ જાય તેને સંજવલની માયા કહે છે. -૨-પ્રત્યાખ્યાનીઃ- આ માયા ગોમૂત્રિકા સમાન કહેલી છે જો ચાલતો બળદ મૂતરે તેની લીટી સીધી ન થાય, પરંતુ વાંકી ચૂકી જ થાય પણ હવાના ઝપાટાથી ધૂળ ઉડીને તેના ઉપર પડે અગરતડકાથી સૂકાઈ જાય તો તે લીટીનું વાંકાચૂંકાપણું દૂર થઇ જાય છે, તે રીતે જેનો કુટીલ સ્વભાવ કે વક્રતા થોડાક પરિશ્રમ થી દૂર થઈ શકે તેવી માયાને પ્રત્યાખ્યાની માયા કહે છે. -૩ અપ્રત્યાખ્યાનીઃ- આ માયાને ઘેટાના શીંગડાની ઉપમા આપેલી છે ઘેટાની શીંગનું વાંકાપણું ઘણી મુશ્કેલીથી અને અનેક ઉપાયોથી દૂર કરી શકાય છે તેવી જ રીતે માયા અત્યંત પરિશ્રમથી દૂર કરી શકાય તેને અપ્રત્યાખ્યાની માયા કહે છે. -૪ અનંતાનુબંધી માયા - આ માયા વાંસની ગાંઠ સમાન છે વાંસની ગાંઠમાં રહેલું વાંકાચૂકાપણું કોઇપણ ઉપાયથી દૂર કરી શકાતું નથી તેવી જ રીતે જે માયા કોઈપણ ઉપાયે દૂર થઈ શકે નહીં તેને અનંતાનું બંધી માયા કહેલી છે આવી ચાર પ્રકારની માયાનો અર્થતો કપટ અથવા સ્વભાવની વક્રતા જ છે મનમાં કાંઈ વચનમાં કાંઈ અને કાર્યમાં સાવ જૂદું જ હોવું તે માયા છે. યોનW:- તૈર્યો એટલે તિર્યંચ તિર્યંચમાં કોનો કોનો સમાવેશ થાય છે? -૧ એકેન્દ્રિય-પૃથ્વી,અ, તેલ,વાયુ,વનસ્પતિ એ પાંચે - બેન્દ્રિય-સર્વે તિર્યંચ જ કહેવાય છે -૩ સેન્દ્રિય-સર્વે પણ તિર્યંચ જ કહેવાય છે -૪ ચઉરિન્દ્રિય-સર્વે પણ તિર્યંચ જ કહેવાય છે -૫ પંચેન્દ્રિય-જળચર, સ્થળચર અને ખેચર ત્રણ ભેદે અર્થાત્ નારક-મનુષ્ય-દેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy