SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –રોગની તીવ્રતા ઓછી હોવી. આ બધા પુરુષ વેદ નોકષાય મોહનીયના કર્માક્સવો છે. [૯]નપુસકવેદ-જે કર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્નેની સાથે રમણ કરવાની ઈચ્છા થાય તે નપુંસકવેદ કર્મ આવેદની અભિલાષાનેદૃષ્ટાન્તથી સમજાવવા માટેનગરનાદાનુંદ્રાન્ત આપવામાં આવેલ છે. જોનગરમાં આગ લાગેતોઆખાનગરમાંલાતાંઅનેઆખાનગરને બાળતાં બહુદિવસો લાગે છેતેવી જ રીતે નપુંસક વેદના ઉદયથી ઉત્પન્ન થયેલી અભિલાષા લાંબા સમય સુધી શાંત થતી નથી અર્થાત તેને વિષય સેવન થી પણ તૃપ્તિ થતી નથી આ નપુંસક વેદ કર્માક્સવ નિમ્નોકત છે. -કષાયોની અતિ પ્રબળતા હોવી -ગૃહ્ય ઇન્દ્રિયનું છેદન કરવું-કરાવવું -પરસ્ત્રી ગમનની અતિ લંપટતા હોવી -તીવ્ર ક્રોધાદિકથી પશુઓને મારી નાંખવા ખસી કરવી -સ્ત્રીપુરુષને વિશે અનંગ સેવનની અભિલાષા થવી -શીલવ્રત અને વ્રતધારીઓને પાખંડ શીખવવા -વતીઓને સ્ત્રી લાવી આપવી, વ્યભિવારમાં મદદ કરવી -શીયળથી ભ્રષ્ટ કરવા આ અને આવા પ્રકારે નપુંસક વેદ નોકષાય ચારિત્ર મોહનીય કર્મનો આસ્રવ થાય છે. * કષાયસંબંધે સૂચનાઃ- કષાયચારિત્રમોહનીયના કર્માક્સવનું આ અભિનવટીકાના આરંભે વર્ણન કર્યુ છે આ કષાયચારિત્રમોહનીયના સોળભેદ સૂત્રકાર મહર્ષિ પોતે જ આઠમા અધ્યાયમાં સૂત્ર૧૦માં અનન્તાનુવચ્ચપ્રત્યારથાનપ્રત્યારથાનાવરણસંગ્વનન્વિક્વેશ: શોધમાનમાયા ટોમ:.. એ વાકયોથી જણાવેલા છે. તે મુજબ - (૧)અનન્તાનું બન્ધી (૨)અપ્રત્યારવ્યાની (૩)પ્રત્યાખ્યાની (૪)સંજવલન આ ચારે કષાયોના પ્રત્યેકના ચાર-ચાર વિકલ્પો કહ્યા છે ક્રોધ, માન,માયા અને લોભ. તેથી કુલ-૧૬ [૪૪]કષાયો થશે તેનું સ્વરૂપ પૂર્વે પણ કહેવાયું છે અને હવે પછી આઠમા અધ્યાયમાં પણ કહેવાનાર છે માટે અત્રે તેની ચર્ચા કરેલ નથી * તીવાભ પરિણામ-સૂત્રમાં કાયોત્ પછીનું પદો તીવ્રમાત્મપરિણામ અર્થાત આત્માનો તીવ્ર અધ્યવસાય તે આ રીતે છે તીવ- તીવ્ર એટલે રૌદ્ર, પ્રકૃષ્ટ,અતિશય વગેરે ૪િ ગભિપરિણામ:-આત્મવિષયક પરિણામ,ભાવ, આત્મપરિણામ એટલે કે આત્માની અવસ્થા વિશેષ # તીવાત્મપરિણામ-રાગ, દ્વેષ અથવા ક્રોધ, માન,માયા,લોભરૂપ અનંતાનુબળ્યાદિ કષાય -નોકષાયને વશ થઈને કયારેક કયારેક જીવનાએવા પરિણામો થઈ જાય છે કે જેનાથી તે ધર્મનો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy