SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્રઃ ૧૫ -ધાર્મિક લોકોના ધર્મમાં અંતરાય કરવો -દેશવિરતિ શ્રાવકોના ધર્માચરણમાં અંતરાય કરવો -ચારિત્રના ગુણોને દોષ રૂપ વર્ણવવા, ચારિત્ર રહિતની પ્રશંસા કરવી -આ રીતે પોતે કષાય કરવાથી બીજાને કષાય પ્રગટાવવાથી તથા કષાયને વશ થઈ અનેક તુચ્છ પ્રવૃત્તિ ઓ કરવાથી કષાય મોહનીય કર્માસવ થાય છે. નોકષાય મોહનીય કર્માસવ:- નોકષાય એટલે જે કયાંય નથી, પરંતુ કષાયની સાથે જેનો ઉદય થાય છે અથવા કષાયને ઉત્પન્ન કરવામાં કે ઉત્તેજીત કરવામાં જે સહાયક બને છે તેને નોકષાય કહેવામાં આવે છે. આ નોકષાયના હાસ્ય,રતિ,અરતિ, ભય, શોક,દુગંછા,પુરુષવેદ, નપુંસક વેદ,સ્ત્રીવેદ એ નવનો સમાવેશ થાય છે. कषायसहवर्तित्वात् कषायप्रेरणादपि हास्पादि नव कषायोक्ता नोकषायकषायता કષાયના સહવર્તી હોવાથી, કષાયના સહયોગ થી ઉત્પન્ન થવાવાળા તથા કષાયોને ઉત્પન્નથવામાં પ્રેરક હોવાથી હાસ્યાદિનો અન્ય કષાય સાથે સંબંધ સમજવો કષાયના સંસર્ગથી નોકષાયોની પ્રધાનતા છે. કષાયના સહયોગ વગરના હાસ્યાદિનો નોકષાયો નિષ્ક્રિય લાગે છે. આ નવ નો કષાયોનો આસ્રવ કઇરીતે થાય તે જણાવે છે [૧]હાસ્ય મોહનીયઃ- જે કર્મના ઉદયથી કારણવશ અર્થાત કૂતૂહલી માણસની ચેષ્ટાને જોઈને વાત સાંભળીને અથવા વિના કારણ, જે કારણ સામે નહોય પરંતુ તેનું સ્મરણ થવાથી હસવું આવે તે હાસ્ય મોહનીય કર્મ જે નિમ્નોકત કારણોથી બંધાય છે -ઉજાણીના દિવસોની ઇચ્છા -કામ ચેષ્ટા પૂર્વક ઠઠ્ઠામશ્કરી -ખૂબ બોલવું કે વાચાળપણું રાખવું -ગરિબોની અતિમજાકો કરવી -હાસ્ય યુકત સ્વભાવ રાખવો -સત્ય ધર્મનો ઉપહાસ કર્યા કરવો આ અને આવી હાસ્યની વૃત્તિઓ તે હાસ્ય મોહનીય કર્મના બંધનું કારણ છે. અર્થાત્ હાસ્ય મોહનીય આસ્રવ છે [૨]રતિમોહનીય-જે કર્મના ઉદયથી કારણવશકે કારણ રહિતપણે કોઈપણ પદાર્થમાં અનુરાગ કે પ્રેમ હોય તેની પ્રાપ્તિ કે વિચારના સ્મરણના કારણે મન ખુશ રહેતરતિ મોહનીય કર્મ કહેવાય છે. તેનો આગ્નવ નિમ્નોકત રીતે થાય છે -વિચિત્ર ક્રીડા કરવામાં જીવની તત્પરતા હોવી -વ્રત-શીલમાં અરુચિ પરિણામો કરવા -રમત-ગમત થી બીજાનું મનોરંજન કરવું -દેશ વિદેશ આદિ જોવા પરત્વેની ઉત્સુકતા હોવી -પોતાને રમવાનો કે રમત જોવાનો ઘણો શોખ હોવો આ અને આવા અનેકરતિ પરિણામોમાં રત રહેવુંતભારતિમોહનીય કર્મના ઉદયનેવશથઈ વિશેષે વિશેષ રતિ મોહનીય પ્રવૃત્તિ કરવાથી રતિનો કષાય મોહનીય કર્મનો આસ્રવ થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy