SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રસ્તુત સૂત્રમાં આવી માન્યતાઓનું ખંડન કરીને પુદ્ગલ દ્રવ્યનું સ્વતંત્ર સ્વરૂપ વિશેષ રૂપે કથન થકી સ્પષ્ટ કરે છે. આવી સ્પષ્ટતા થકી બૌધ્ધ મતાવલંબીઓ જે રીતે પુદ્ગલનો જીવ અર્થમાં વ્યવહાર કરે છે, તે માન્યતાનું નિરસન થઈ જાય છે. તેમજ વૈશેષિક પૃથિવીને સ્પર્શાદિચતુર્ગુણયુકત માને છે, અપકાયને ગંધ રહિત ત્રિગુણ માને છે. અગ્નિકાયને ગંધ-રસરહિત દ્વિગુણ માને છે અને વાયુકાયને માત્ર સ્પર્શગુણ વાળો માને છે, તેમજ મનમાં સ્પર્શાદિ એકે ગુણ માનતા નથી તે સર્વ માન્યતાનું નિરસન કરી જૈનદર્શન મુજબની સર્વજ્ઞ કથિત વાતને અહીં રજૂ કરે છે - આ રીતે પ્રસ્તુત સૂત્ર કેટલીક વિશેષતા રજૂ કરે છે. તે આ પ્રમાણે છે:(૧)જીવતત્વ અને પુદ્ગલ તત્વ બંને સર્વથા ભિન્ન છે. (ર)પૃથિવી-જલ-અગ્નિ-વાયુ ચારે જીવોના શરીર પુદ્ગલ તત્વ રૂપે સમાન છે (૩)બધાંજ પુદ્ગલો સ્પર્શાદિ ચારે ગુણથી યુકત છે (૪)મન પણ પૌદ્ગલિક હોવાથી સ્પર્ધાદિ ગુણ સહિત જ છે. (૫)પગલ શબ્દનો વ્યવહાર જીવ તત્વને વિશે થતો જ નથી. જીવથી અલગ તેનો વ્યવહાર છે. માત્ર સંલગ્નતા જણાય ત્યાં વિશિષ્ટ કથન કરાય છે. જેમ કે વાયુ પોતે તો જીવ જ છે. પણ તેનું શરીર છે તે પુદ્ગલ છે. - I-yતે અને માત્ર વા ક્ષ - સ્પર્શ શબ્દની વિશેષ વ્યાખ્યા ગીર-નૂ. ૨૦, ૨૧ માં કહેવાઈ છે. સ્પર્શના આઠ ભેદ કહ્યા છે (૧)કઠીન [કર્કશ]- જે દ્રવ્યને નમાવી ન શકાય તે દ્રવ્યનો સ્પર્શ કઠીન,અક્કડ કહેવાય છે આ સ્પશે પત્થરમાં હોય છે. (૨)મૂદ સુિંવાળો] કઠીન સ્પર્શથી વિપરીત સ્પર્શતે મૂદુ કે લીસો સ્પર્શ કહેવાય છે જે આંકડા ના રૂમાં જોવા મળે છે. (૩) ગુરુ ભારે] જેનાયોગેદવ્યનીચે જાયતે ગુરુસ્પર્શ, નીચે પડેતેવો. જેમકે લોઢાના ગોળાનો સ્પર્શ ગુરુ હોય છે. (૪)લઘુહિલકો જેના યોગે દ્રવ્ય પ્રાયઃ તિર્છા કે ઉપર જાય તે લઘુ સ્પર્શ- જેમકે રૂનો સ્પર્શ (૫)શીત [ટાઢો ઠંડો સ્પર્શ, જે સ્પર્શ બરફમાં હોય છે (ડ)ઉષ્ણ [ઉનો ગરમ સ્પર્શ-નરમાશ કરે,પકાવે દઝાડે તેવો જેમ કે અગ્નિનો સ્પર્શ (૭)સ્નિગ્ધ [ચીકણો]જેના યોગે બે વસ્તુ ચોટી જાય તે નિષ્પ સ્પર્શ- જેમ કે ઘી તેલનો સ્પર્શ (૮)રુક્ષ [લુખો સ્નિગ્ધ થી વિપરીત ગુણવાળો તે રુક્ષ સ્પર્શ - ચિકાશ વગરનો સ્પર્શ જેવો કે રાખનો સ્પર્શ. આ આઠે સ્પર્શ પુદ્ગલ દ્રવ્ય માત્રમાં હોય છે. માટે તે પુદ્ગલનું લક્ષણ છે. વળી એક પરમાણુમાં શીત અને સ્નિગ્ધ અથવા શિત અને રુક્ષ અથવા ઉષ્ણ અને સ્નિગ્ધ અથવા ઉષ્ણ અને રુક્ષ એમ ચાર પ્રકારમાંના કોઇપણ એક પ્રકાર થી બે સ્પર્શ હોય છે. સૂક્ષ્મ પરિણામી સ્કન્ધોમાં શીત-ઉષ્ણ-સ્નિગ્ધ અને રુક્ષ એ ચારે સ્પર્શ હોય છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy