SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય: ૫ સૂત્ર: ૨૩ (૨)કાળલોક પ્રકાશ-સર્ગઃ૨૮-શ્લોક ૧ થી ૭૨ U [9]પદ્ય - (૧) વર્તના પરિણામ ક્રિયા પરત્વ અપરત્વ થી કાળનાં એ પાંચ કાર્યો કહ્યા ભેદ પ્રભેદ થી કાળની વિચારણામાં સૂત્ર અર્થે ધારવા સૂત્ર બાવીશ પૂર્ણથાતાં પગલો અવધારવા (૨) પદ્ય-બીજું પૂર્વ સૂત્ર ૨૨માં કહેવાઈ ગયું છે. 0 [10]નિષ્કર્ષ- કાળ દ્રવ્ય હોય કે દ્રવ્યનો પર્યાય હોય. પણ વર્તનાદિ લક્ષણતો સર્વ સ્વીત જ છે. જેમાં ફક્ત એક લક્ષણનો વિચાર કરીએ તો પણ સુંદર નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. અભિનવટીકામાં ચોખા રાંધવાનું દૃષ્ટાન્ન આપ્યું છે. તે મુજબ પ્રત્યેક સમયે ચોખાની રંધાવાની ક્રિયા ચાલુ છે, એમ માનવાથી જ છેલ્લે સમયે ચોખા રંધાઈ ગયા એમ મનાશે પણ જો પૂવ-પૂર્વના સમયે તે ક્રિયા નહીં સ્વીકારો તો પછી પછીના સમયે તે ક્રિયા અસત થશે. આટલી વાત ઉપરતો શ્રી ભગવતીજી સૂત્રમાં વસ્ત્રમાણે વર્જીનો સિધ્ધાંત છે જે વાત કર્મની નિર્જરા સુધી જાય છે અર્થાત્ કર્મની નિર્જરા કઈ રીતે સમયે સમયે ચાલે છે તેના ઉત્તરમાં આ વાત પ્રભુએ કહી છે કે જેણે કર્મ નિર્જરા શરુ કરી તે નિર્જરા કરવાનો જ છે. જો કે આ સિધ્ધાંત સમજવો ઘણો અઘરો છે. પણ તેનું મૂળ આપણને લક્ષણમાં જોવા મળે છે. તાત્પર્ય એ જ કે આટલી સામાન્યવાત પણ સમ્યત્ત્વના પાયા રૂપ છે કે જે મોક્ષનું બીજ છે. ססססססס (અધ્યાય ૫-સૂત્રઃ૨૩) U [1]સૂત્રહેતુઃ આ સૂત્ર થકી પુદ્ગલના અસાધારણ લક્ષણને કહે છે [2]સૂત્ર મૂળ-સરસવવના પુત્ર: [3]સૂત્ર પૃથક-સ્પર્શ - રસ - Tન્ય - વર્ણવત્ત: પુત્ર: 1 [4] સૂત્રસાર-પુદ્ગલો સ્પર્શ,રસ,ગબ્ધ,વર્ણવાળા હોય છે. U [5]શબ્દજ્ઞાન - " સ્પર્શ- સ્પર્શ,સ્પર્શવાળા રસ-રસ, રસવાળા અન્ય - ગંધ, ગંધવાળા વર્ણવત્ત:વર્ણનવાળા પુo: પુદ્ગલો- આ બધાં શબ્દો પૂર્વે કહેવાઈ ગયા છે D [6]અનુવૃત્તિ- કોઈ સ્પષ્ટ અનુવૃત્તિ આવતી નથી. U [7]અભિનવટીકા- કેટલાક મતવાળા પુદ્ગલ અને જીવ ને એક માને છે, તેઓ આ બંને દ્રવ્યોને સ્વતંત્ર રીતે અલગ દ્રવ્ય માનતા નથી. કેટલાક મતવાળા જીવ અને પુદ્ગલ બંનેને માનેતો છે પણ તેઓ યુગલને સ્પર્શાદિ ગુણોથી રહિત માને છે. તેથી સૂત્રકાર મહર્ષિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy