SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિશેષ - અહીં વર્તના-પરિણામ-ક્રિયા અને પરવાપરત્વ નું વર્ણન કર્યું તે કાર્ય યથાસંભવ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું જ છે. તથાપિ કાળ બધામાં નિમિત્ત કારણ હોવાથી અહીંયા તેનું વર્ણન કાળના ઉપકાર રૂપે કરેલ છે. વર્તનાદિ આ પર્યાયોને નિશ્ચયકાળ રૂપે પણ ઓળખાવાય છે તે વાસ્તવમાં તે દ્રવ્યના પર્યાયો જ છે. છતાં કોઈક અપેક્ષાએ તે પર્યાયોને પણ દ્રવ્યનો ઉપચાર હોવાથી વરુદ્રવ્ય કહેવાયું છે બાકીજુવાદિના પર્યાય રૂપે ગણાવાથી તેને અલગ દ્રવ્ય કહ્યું નથી. સૂત્રકાર મહર્ષિએ અહીં જે સ્વરૂપનું વર્ણન કરેલ છે. તેને ““જીવ અજવાદિ દ્રવ્યોના વિવિધ પરિણામોને વિવિધ સ્વરૂપે જાણવા માટે જે ભિન્ન સ્વરૂપે કાળનો આશ્રય લેવાય છે તેનું વર્ણન છે' તેમ પણ કહ્યું છે. સૂત્રકારમહર્ષિએ પૂર્વેઅધ્યાયઃ૧ નાસૂત્રઃ૮માં સાક્ષેત્રસ્પર્શનીસ્ત્રીની માં કાળશબ્દ પ્રયોજેલ છે. અને તત્વોના જ્ઞાન માટેના આઠ કારણોમાં કાળનો પણ સમાવેશ કર્યો છે. પછી ત્રીજા અધ્યાયના પંદરમાં સૂત્રમાં પણ તત: સ્મૃતિમા: વાકયથી “કાળ''નો ઉલ્લેખ કર્યો છે એ રીતે કાળ'નામનો કોઈ પદાર્થ સૂત્રકારને ઈષ્ટ છે તે વિશે તો શંકા નથી. વળી આગમ પાઠોમાં પણ આ 6 શબ્દના પ્રમાણો જોવા મળે જ છે. પ્રશ્નતો તેના દ્રવ્યપણા અંગેનો છે. તેને દ્રવ્ય માનવું કે પેટાભેદ, ગુણ અથવા પર્યાયરૂપે માનવા? તેનો જ મતભેદ છે. સૂત્રકારે પણ શ્વેત્યે સૂત્ર ૧:૨૮ માં બીજા આચાર્યો કાળને દ્રવ્ય માને છે તેવું કહ્યું છે નવતત્વમાં તો કાળની દ્રવ્યમાં ગણના કરી જ છે. આ વાતનો સાર એટલોજ વિચારી શકાય કે કાળ દ્રવ્ય ન હોવા છતાં તે દ્રવ્ય જેવું કામ આપે છે. માટે તેને દ્રવ્ય માનીને તેના ઉપકાર ગણાવવામાં આવ્યા છે. જે વાસ્તવિક રીતે ધર્માદિ પાંચ મૂળ દ્રવ્યોના પર્યાયો રૂપે જ છે. જોતેનેદ્રવ્ય રૂપેકગણવું હોત તો વ્યાનિવ સૂત્રના ભાષ્યમાં પંખ્યદ્રવ્ય એવો સ્પષ્ટ પાઠ આપેલ જ ન હોત તેથી તત્વાર્થસૂત્રના મંતવ્યાનુસાર તેને ઉપચાર થી દ્રવ્ય ગણવું U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ-વત્તના સ્થળો . જે કાગ.૨૮ મા.૨૦ સૂત્રપાઠ સંબંધ- ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં ખુલાસો મળે છે કે વર્તના શબ્દમાં પરિણામ-ક્રિયા વગેરે સમાવેશ થા છે માટે અહીં ફકત વર્તન ક્ષT: : પાઠ મુકેલ છે. 0 તત્વાર્થ સંદર્ભઃ(૧)કાળ દ્રવ્યની માન્યતા શ્વેત્યો – ૧: ૩૮ (૨)પરિણામના બે ભેદ મદિરામિષ્ય ૧૪૨ (૩)પરિણામનું સ્વરૂપ તાવ પરિણામ: જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ પ્રકરણ ગાથા-૧૦ તથા ગાથા-૧૭ વિસ્તરાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy