SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૭. ૬૭ –સમાધાનઃ-જેમ પાણી, માછલીનેતરવામાં સહાયક છે. પાણીના અભાવમાં માછલીનું તરવું અસંભવ છે એ જ રીતે જીવ અને પુદ્ગલની સ્વાભાવિક અને પ્રાયોગીક ગતિ તથા સ્થિતિમાં ધર્મ અને અધર્મ સહાયક થાય છે. –કારણકે જીવ અને પુગલની સમસ્ત લોકમાં ગતિ અને સ્થિતિ છે તેથી તેના ઉપકારક દ્રવ્ય ને પણ સર્વગત માનવું જ પડે. માટે ધર્મ અને અધર્મદ્રવ્ય ને સર્વગત માનવું જ પડે તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય સર્વવ્યાપી કહ્યું છે. જ પ્રશ્ન - સાંખ્ય, ન્યાય વૈશેષિક આદિ દર્શનોમાં આકાશ ને તો દ્રવ્ય માનેલું છે પણ ધર્મ,અધર્મ-દ્રવ્યને બીજા કોઇએ માન્યા નથી, તો પછી જૈન દર્શને એમનો સ્વીકાર કેમ કર્યો છે.? -સમાધાનઃ- જડ અને ચેતનાદ્રવ્ય જે દ્રશ્ય અને અદશ્ય વિશ્વના ખાસ અંગ છે એમની ગતિશીલતા તો અનુભવસિધ્ધ છે -જો કોઈ નિયામક તત્વ ન હોય તો તે દ્રવ્ય પોતાની સહજ ગતિશીલતાના કારણથી અનંત આકાશ માં કયાંય પણ ચાલી જઈ શકે છે. -જો એ ખરેખર અનંત આકાશમાં ચાલ્યા જ જાય તો આ ર્દશ્યાર્દિશ્ય વિશ્વનું નિયત સ્થાન જ સદા સામાન્ય રૂપે એક સરખું નજરે પડે છે તે તે કોઈપણ રીતે ઘટાવી શકાશે નહીં કેમ કે અનંતાજીવો અને અનંતા પુગલો પણ અનંત પરિમાણ વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સંચાર કરશે. આ રીતે સંચાર કરતા દ્રવ્યો એટલા બધાં પૃથફથઈ જશે કે એમનું ફરી થી મળવું અને નિયત સૃષ્ટિરૂપે નજરે પડવું અસંભવિત નહીં તો પણ મુશ્કેલ તો જરૂર થશે. -આ કારણોથી ઉપરનાં ગતિશીલ દ્રવ્યોની ગતિમર્યાદાને નિયંત્રિત કરતા તત્વનો સ્વીકાર જૈન દર્શન કરે છે. એ જ તત્વ ને “ધર્માસ્તિકાય' એવી સંજ્ઞા આપવામાં આવી છે -જે રીતે ઉપરોકત દલીલો થી ગતિ મર્યાદાના નિયામક તત્વરૂપે ધર્માસ્તિકાયના તત્વ નો સ્વીકાર કર્યો એકજ દલીલ થી સ્થિતિ મર્યાદાના નિયામકરૂપે અધર્માસ્તિકાય તત્વનો સ્વીકાર પણ જૈન દર્શન કરે જ છે. જ પ્રશ્ન-જીવ અને પુદગલ ની ગતિ અને સ્થિતિના બાહ્ય કારણ તરીકે આકાશને માનવાથી પણ ગતિ અને સ્થિતિ થઈ શકે છે. જેમ પાણી એ માછલીનો આધાર હોવા ઉપરાંત ગતિ-સ્થિતિમાં પણ કારણ બને છે. તેમ આકાશ ને જ જીવ-પુદગલના આધાર અને ગતિસ્થિતિના કારણ તરીકે માનવાથી ઈષ્ટની સિધ્ધિ થઈ શકે છે. પછી ધર્મ-અધર્મ દ્રવ્યને માનવાની જરૂર શી? –સમાધાનઃ- આ પ્રશ્નના ઉત્તરમાં પહેલો પ્રશ્ન તો એ થાય કે જો આકાશ ગતિસ્થિતિમાં કારણરૂપ હોય તો અલોકાકાશમાં ગતિ અને સ્થિતિ કે થતી નથી? –અર્થાત આકાશને ગતિ અને સ્થિતિનું નિયામક માનતાને અનંત અને અખંડ હોવાથી જડ અને ચેતન દ્રવ્યને પોતાનામાં ગતિ અને સ્થિતિ કરતાં રોકી શકે નહીં અને એમ થવાથી નિયત દક્ષા ર્દશ્ય વિશ્વના સંસ્થાનની અનુપપત્તિ થઇ જશે. પરિણામે ધર્મ-અધર્મદ્રવ્યને આકાશ જુદું-સ્વતંત્ર માનવુંએજન્યાય પ્રાપ્ત છે. જયારેજડ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy