SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા લઈને સંખ્યાતા યાવત પોતાની બરાબરના અસંખ્યાતા પ્રદેશ સુધીના ક્ષેત્રમાં રહી શકે છે. પોતે જે અસંખ્યાતા એ હોય તેના કરતા મોટા અસંખ્યાતા યુકત પ્રદેશ ક્ષેત્ર ને કરી અવગાહી શકે નહીં -૭અનંતાણૂક-અનંત અણુઓનો બનેલો સ્કન્ધ અથવા તો આગળ વધીને કહીએ અનંતાનંત અણુઓનો બનેલો સ્કન્ધ પણ એક પ્રદેશ,બે પ્રદેશ, ત્રણ પ્રદેશ યાવત્ સંખ્યાત પ્રદેશ અને અસંખ્યાતા પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. પણ તેને માટે અંનત પ્રદેશાત્મક ક્ષેત્રની જરૂર નથી -૮ અચિત મહાસ્કન્ધ:- પુદ્ગલ દ્રવ્યનો સૌથી મોટામાં મોટો સ્કન્ધ જેને અચિત મહાસ્કન્ધ કહે છે, અને જે અનંતાનંત અણુઓનો બનેલો છે. તે પણ અસંખ્યાત પ્રદેશ લોકાકાશમાં જ સમાય છે. # જેમ પુદ્ગલ દ્રવ્યો વ્યકિતરૂપે અનેક હોવાથી પ્રત્યેક દ્રવ્યના અવગાહન ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે, તેમ પુદ્ગલ દ્રવ્યના પરિણમનમાં પણ વિવિધતા [વિચિત્રતા હોવાથી, એક જ પુદ્ગલ દ્રવ્યના અવગાહ-ક્ષેત્રનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ ભિન્ન ભિન્ન હોય છે. $ જેમકે -વિવલીત સમયે એક પ્રદેશમાં રહેલ અનંતપ્રદેશીસ્કન્ધ કાળાન્તરેબે,ત્રણ થાવત્ અસંખ્યાત પ્રદેશોમાં રહે છે. એ જ પ્રમાણે વિવક્ષિત સમયે અસંખ્યાત પ્રદેશોમાં રહેલ સ્કન્ધ કાળાન્તરે એકાદિ પ્રદેશમાં રહે છે. જ આ રીતે જેસ્કન્ધ જેટલા પ્રદેશોનો હોય તેટલા પ્રદેશોમાં કે તેનાથી ઓછા પ્રદેશોમાં રહી શકે છે, પરંતુ કદી તેનાથી વધારે પ્રદેશ ક્ષેત્રમાં રહેતો નથી. સારાંશ એ જ કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશોની સંખ્યા આધેયભૂત પુગલ દ્રવ્યના પરમાણુની સંખ્યાથી ધૂન અથવા તેની બરાબર હોઈ શકે છે. જ પ્રશ્નઃ- અનંત પ્રદેશવાળા મૂર્ત પુદ્ગલ સ્કન્ધ નો અસંખ્યાત પ્રદેશી લોકાકાશમાં સમાવેશ કઈ રીતે થઈ શકે? -સમાધાન - અનંત પ્રદેશી સ્કન્ધ અસંખ્યાત પ્રદેશ તો શું પણ એક પ્રદેશમાં પણ રહી શકે છે. કારણ કે -૧-પુગલોનો અત્યન્ત સૂક્ષ્મ, સૂક્ષ્મતર,સૂક્ષ્મતમ થવાનો સ્વભાવ છે. -ર- આકાશનો પણ એવીરીતે પુદ્ગલો ને અવગાહ આપવાનો સ્વભાવ છે. -૩- આ રીતે અનંત પ્રદેશી સ્કન્ધો એક પ્રદેશથી લઇને અસંખ્યાત પ્રદેશ લોકાકાશમાં રહી શકે છે. બીજા શબ્દોમાં આજ વસ્તુ સ્પષ્ટ કરીએ તો કહી શકાય કે - જો કે પુદ્ગલ દ્રવ્ય અનંતાનંત અને મૂર્તિ છે. તથાપિ લોકાકાશમાં એ સમાવવાનું કારણ એ છે કે પુદ્ગલોમાં સૂક્ષ્મત્વરૂપે પરિણત થવાની શકિત છે. –જયારે આવું પરિણમન થાય ત્યારે એક જ ક્ષેત્રમાં એકબીજાનો વ્યાઘાત કર્યા સિવાય અનંતાનંત પરમાણુ અને અનંતાનંત સ્કન્ધ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy