SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૯ ૩૫ * હોળાષ:- ના પ્રદેશો ફકત લોકાકાશના પ્રદેશો તો અસંખ્યાતા જ છે અનંતા નથી. કેમ કે લોકની વ્યવસ્થાનો હેતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. આ બંને દ્રવ્યો ના અસંખ્યાતા પ્રદેશો પૂર્વ સૂત્રઃ ૭ઃમાં કહ્યા છે. તેથી લોકાકાશ ના પ્રદેશો પણ અસંખ્યાતા જ થશે. -સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે. કે હોાવાશસ્ય (પ્રવેશા:) તુ ધર્માંધમ ગીવસ્તુલ્યા: અર્થાત્ લોકાકાશના પ્રદેશો ધર્માસ્તિકાય અથવા અધર્માસ્તિકાય અથવા કોઇ એક જીવાસ્તિકાય ના પ્રદેશો સમાન (એટલે કેઅસંખ્યાતા) જાણવા. આ રીતે એમ કહી શકાય કે -ધર્મદ્રવ્યના પ્રદેશો,અધર્મ દ્રવ્યના પ્રદેશો, જીવદ્રવ્યના પ્રદેશો અને લોકાકાશના પ્રદેશો એ ચાર સમાન છે. એ ચારમાંથી કોઇના પ્રદેશો વધુ પણ નથી ઓછા પણ નથી. બધાના એક સરખા અસંખ્યાતા પ્રદેશો જ છે. * અહોાિશના પ્રદેશોઃ-અલોકાકાશના પ્રદેશો અનંતા કહ્યા છે. -લોકાકાશ સિવાયના અલોકાકાશના પ્રદેશો અનંતા છે, કેમ કે એક તો અનન્ત સંખ્યા માંથી લોકાકાશના અસંખ્યાતા પ્રદેશ બાદ કરીએ તો પણ અનન્ત ની સંખ્યાજ રહેવાની છે. અને બીજું એ કે અલોકાકાશ અનન્ત-અપર્યવસાન કહ્યું છે. તેથી પણ તેના પ્રદેશો અનન્ત કહ્યા છે. લોકાલોકના સમુદિત પ્રદેશોઃ- અહીં સૂત્રકાર મહર્ષિએ જેગનના પ્રવેશો: નું કથન કરે છે. તે લોકાકાશ કે અલોકાકાશને આશ્રીને નહીં પણ સમગ્ર આવાશ દ્રવ્ય ને આશ્રીને કરેલ છે. -लोकालोकाकाशस्यानन्ता प्रदेशाः લોક અલોક બંને મળીને અનન્ત પ્રદેશ છે અથવાતો આકાશ દ્રવ્યના અનન્ત પ્રદેશો છે. કેમ કે અનંતા પ્રદેશોનું જે કથન છે તે સમુદિત આકાશસ્તિકાયની અપેક્ષાએ કરાયેલું છે. - लोकालोकाकाशस्य सामान्येनाखिलस्य अनन्ताः प्रदेशाः अपर्यवसाना इत्यर्थ: --આ રીતે જે આકાશસ્તિકાય દ્રવ્ય છે તે પણ એક અખંડઅરૂપી-અક્રિય દ્રવ્ય છે. જે લોકાલોક વ્યાપી હોવાથી અનંત પ્રદેશી છે. તેમજ અનંત પ્રદેશ પરિમાણરૂપ હોવાથી બીજા બધાં દ્રવ્યો કરતા મોટો સ્કંધ છે. ] [8]સંદર્ભ: આગમ સંદર્ભઃ- આસસ્થિત્રણ પસંદયાળુ અ ંતમુળે જ પ્રજ્ઞા ૧.રૂ-મૂ.૪૬ ૐ તત્વાર્થ સંદર્ભ:- જો ગોવાદ: મૂ.૬:૧૨ અન્યગ્રન્થ સંદર્ભ: (૧)નવતત્વ-ગા.૧૦- વિસ્તારાર્થ (૨)લોકપ્રકાશ-સર્ગ ૧ શ્લોક ૨૦૮ અનંતા-માટે (૩)લોકપ્રકાશ-સર્ગ ૨ શ્લોક-૨૫ થી ૪૨ આકાશ દ્રવ્ય માટે [] [9]પધઃ (૧) (૨) પદ્યઃ પહેલું-પૂર્વ સૂત્રઃ૭ સાથે કહેવાઇ ગયું છે. સૂત્રઃ૯ અને ૧૦નું સંયુકત પદ્યઃ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy