SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ] [7]અભિનવટીકાઃ- પાંચે દ્રવ્યો ને આશ્રીને પ્રદેશોની સંખ્યાની વિચારણા ચાલે છે તેમાં પ્રસ્તુત સૂત્ર આજ દ્રવ્ય ના પ્રદેશોના પરિમાણ ને જણાવેછે. તે માટે અનન્તા: એવો ટૂંકો શબ્દ મુકેલ છે. ૩૪ જૈ આશિઃ- સામાન્યથી અવગાહ આપવાનો જેનો ગુણ છે તે આકાશ એવો અર્થ સુવિદિત છે. તે અર્થને અહીં વિશેષ સ્પષ્ટ કરેલ છે અહીં અવાદવાનાર્ આશમ્ એટલો જ અર્થ અપર્યાપ્ત છે, કેમ કે જો અવાદ એટલે કે રહેવા માટે-સ્થિતિ માટે જગ્યા આપવી એટલો જ અર્થ સ્વીકારીએ તો ફકત લોકાકાશ નીજ ગણના થશે જયારે આાણ શબ્દથી સમગ્ર આના દ્રવ્ય લેવું છે. અલોકમાં તો કોઇપણ જીવ કે પુદ્ગલને અવગાહ-સ્થિતિકે રહેવાપણું છે જ નહીં તો શું તેને આકાશ ન ગણવું? એટલે આકાશ ને એક સંજ્ઞા ગણવી જોઇએ. સિધ્ધસેનીય ટીકામાં પણ જણાવે છે કે સંજ્ઞા વ અયમ્ અનાવિહિની દ્રવ્યાન્તરસ્ય ધમાંવસંજ્ઞાવત્ । જેમ ધર્મ,અધર્મ,એ એક સંજ્ઞા છે તેમ આકાશ એ પણ એક અનાદિકાલીન સંજ્ઞા છે. આકાશદ્રવ્યનાપ્રદેશોની અનન્તતા નો પાઠ પણ આ આકાશસંજ્ઞાધારી સમગ્ર આકાશ દ્રવ્યને આશ્રીને જ છે. * આાશ ના બેભેદઃ-ખરેખર આકાશદ્રવ્ય અખંડ એક જ છે તેના કોઇ વાસ્તવિક ભેદ છે જ નહીં અહીં કલ્પના બુધ્ધિએ તેના ભેદ સમજવાના છે. તે બે ભેદ છે. લોકાકાશ અને અલોકાકાશ. જો કે આ બે ભેદનું કથન પણ સાવ નિરાધાર નથી. સૂત્રકારે સ્વયં અગ્રીમ સૂત્ર ૬:૨૨-જોગવાશેવાદ: થકી હોગારા નામે ભેદ કહ્યો છે. તદુપરાંત આ સૂત્રના ભાષ્યમાં પણ ો છોગાળ પદથી ો અને અો એવા ભેદનું કથન કરેલ જ છે. જોામશ:-જેને આશ્રીને ધર્મ, અધર્મ દ્રવ્ય રહેલા છે અથવાતો ધર્મ અને અધર્મ દ્રવ્ય ના સાહચર્ય થકી જેનો લોકપુરુષાકાર નિયત થયો જણાય છે. તે લોકાકાશ કરેલું છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યો પણ લોકાકાશમાં જ હોય છે. * અનેાિશ:-જેમાં લોકાકાશ પણ આવી જાય છે એવા મોટા પોલા ગોળા જેવું અલોકાકાશ છે. અને આ અલોકાકાશમાં ધર્મ-અધર્મ જીવ અને પુદ્ગલ માનું કોઇ પણ દ્રવ્ય કે કાળનું અસ્તિત્વ જ હોતું નથી. તેમજ કોઇપણ જીવકે પુગલ લોકાકાશની બહાર અલોકાકાશમાં ગમન કરી શકતા નથી. અરે! હાથ કે પગ પણ લાંબો કરી શકતા નથી. * અનન્તા::- અનન્ત એ એક પ્રકારની સંખ્યા છે. સામાન્ય થી જેનો ગન્ત નથી તે અનન્ત એવો અર્થ નીકળી શકે છે. પણ વાસ્તવિક રીતે આ એક ગાણિતિક માપ છે. જેની પૂર્વે-સંખ્યાતા,અસંખ્યાતા ના માપ સાથે વ્યાખ્યા કરાયેલી છે. અહીં અનન્ત શબ્દ પૂર્વ સૂત્રના પ્રવેશા: પદ સાથે જોડવાનો, છે કેમ કે પ્રદેશની સંખ્યાનું પરિમાણ દર્શાવવાનું હોઇ અનન્તા: પ્રવેશા: એવું પદ થશે તે માટે જ ઉપરોકત સૂત્રમાંથી પ્રવેશા: પદની અનુવૃત્તિ અહીં લીધેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy