SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -- જયારે જીવ કેવલિ સમુદ્યાત કરે ત્યારે પોતાના આ અસંખ્યાત પ્રદેશ ને ઉર્ધ્વઅધો-તી છ બધી બાજૂ ફેલાવે છે. એ રીતે સમગ્રલોકમાં તેના પ્રદેશો વ્યાપ્ત થાય છે. કેવલિસમુઘાતઃ- પોતાના આત્મપ્રદેશો શરીરમાંથી બહાર કાઢી પહેલે સમયે લોકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી એટલે કે ૧૪ રજજુ પ્રમાણ ઉંચો અને સ્વદેહ પ્રમાણ જાડો આત્મપ્રદેશોનો દંડાકાર રચી, બીજે સમયે ઉત્તરથી દક્ષિણ[અથવા પૂર્વ થી પશ્ચિમના લોકાન્ત સુધી કપાટ આકાર બનાવે, ત્રીજા સમયે પૂર્વથી પશ્ચિમ અિથવા ઉત્તરથી દક્ષિણ બીજો કપાટ આકાર બનાવે એ રીતે ચાર પાંખડાવાળો રવૈયાનો આકાર બનાવે અને ચોથા સમયે આંતરા પુરી સંપૂર્ણ લોકાકાશ માં વ્યાપ્ત થઈ જાય છે. - ત્યાર બાદ પાંચમે સમયે આંતરાના આત્મ પ્રદેશો સંહરી છ સમયે મંથાનનીચારે દિશાની બે પાંખ સંહરી,સાતમે સમયે કપાટ સંહરી આઠમે સમયે દંડ સંહરી પૂર્વવત્ સંપૂર્ણ દેહસ્થ થાય છે તેને કેવલિ સમુદ્દાત કહે છે. આકેવલી સમુદ્રઘાત દરમ્યાન જીવનાપ્રદેશો સમગ્રલોકાકાશમાં વ્યાપ્ત થાય છે. તેથી જીવના અસંખ્યાત પ્રદેશ ને પણ ધર્મદ્રવ્ય-અધર્મદ્રવ્યના અસંખ્યાત પ્રદેશ જેટલા કહ્યા છે. આ રીતે તેની વિશેષતાને લીધે સૂત્ર અલગ બનાવેલ છે. 3 પ્રશ્નઃ- ડ્રવ્યા નોવાક્ય ત્યાં નવી: એ બહુવચન હતું તો અહીં નીવર્ય એવું એકવચન કેમ મૂકયું? અહીં સૂત્રકાર નીવ ના અસંખ્ય પ્રદેશોનું કથન કરે છે તે જીવ વિશેષને આશ્રીને છે એટલે કે પ્રત્યેક જીવના અસંખ્ય પ્રદેશો છે તેમ સમજવા માટે નીવ શબ્દને એક વચનમાં જણાવ્યો છે જયારે દ્રવ્ય શબ્દ સાથે ગવા: એ અનંત જીવો એટલે કે જીવરાશી ને જણાવતો શબ્દ હતો માટે ત્યાં બહુવચન મુકેલ હતું. બીજા શબ્દોમાં કહીએ તો એક વચન કરવાથી જીવ સમૂહમાંના કોઈ એક જ જીવ દ્રવ્ય કે જીવાસ્તિકાય ને આશ્રીને અસંખ્યય પ્રદેશત્વ સમજવું સમગ્ર જીવરાશિ ના સંયુકત પ્રદેશોથી અસંખ્યયત્વ નીવાત અહીં કરી નથી કેમ કે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ છે. [સંદર્ભ$ આગમ સંદર્ભ સૂત્ર૭ તથા સૂત્ર ૮ નો સંયુકત સંદર્ભઃ चत्तारि पएसग्गेण तुल्ला असंखेज्जा पण्णत्ता, तं जहा धम्मत्थिकाए, अधम्मत्थिकाए, ટોપIIIIણે, નીવે થાસ્થા. ૪,૩.રૂ-જૂ. ૨૩૪ - t તત્વાર્થ સંદર્ભઃ- જીવના સંકોચ વિસ્તારપણાને જણાવવા-ઝ.૧-ખૂદ્દ-પ્રશ संहार विसर्गाभ्याम् प्रदीपवत् । & અન્યગ્રન્થ સંદર્ભનવતત્વ-ગાથા-૧૭ વિસ્તાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy