SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૮ ૩૧ # કોઇપણ જીવના અસંખ્યાત પ્રદેશ એકબીજા થી ઓછા પણ નથી અને વધારે પણ નથી. # ઘર્માસ્તિકાય,અધર્માસ્તિકાય અને લોકાકાશ) ના જેટલા અસંખ્યાત પ્રદેશો છે તેટલાં જ પરિમાણ માં જીવના અસંખ્યાત પ્રદેશો કહ્યા છે. # પ્રત્યેક જીવ વ્યકિત એકઅખંડ વસ્તુ છે. એટલે કે જે રીતે પુલનાં ભેદ અને સંઘાત થઈ શકે છે તે રીતે જીવમાં ભેદ થતા નથી પણ તે દ્રવ્ય એક વ્યકિત રૂપે અખંડ છે પ્રશ્ન - ધર્મ-અધર્મ પછી અનંતર એવો ક્રમ આકાશાસ્તિકાય દ્રવ્યનો છે તો ધર્મઅધર્મ પછી તેના પ્રદેશોના કથનને બદલે ક્રમ ભંગ કરી જીવના પ્રદેશોનું કથન કેમ કર્યું? -સમાધાનઃ-આ રીતે ક્રમભંગ કરવાનું કારણ એ છે કે જીવના અને ધર્મ-અધર્મદ્રવ્યના પ્રદેશોની સંખ્યામાં સાધર્યપણું છે તેથી સમાન સંખ્યાવાળા દ્રવ્ય ના પ્રદેશોનું કથન એક સાથે કરવા તેમજ સૂત્રની લાઘવતાને માટે ક્રમભંગ કરેલ છે # પ્રશ્નઃ- જો સૂત્રની લાઘવતા કે સાધમ્યપણું જ કારણભૂત હોય તો પૂર્વસૂત્રની સાથે જ ગોવ દ્રવ્ય નું કથન કરવું જોઈએ પછી અલગ સૂત્ર કથન શામાટે કર્યું? -સમાધાન-આમ કરવાને બદલે અલગ સૂત્ર રચના તેના વિશેષ કારણને જણાવવા માટે થયેલી છે. -૧- ધર્મ અને અધર્મદ્રવ્ય એક-એક વ્યકિત રૂપ છે જયારે જીવવ્ય એક વ્યકિતરૂપ નથી પણ પ્રત્યેક જીવદવ્ય અલગઅલગ છે આવી જીવદવ્યની વિશેષતાને લક્ષમાં લઇ અલગ કથન કરેલ છે. -૨-ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય અખંડ એકદ્રવ્ય જ છે જયારે જીવદ્રવ્ય વ્યકિત રૂપે અખંડ દ્રવ્ય હોવા છતાં જીવરાશિની દ્રષ્ટિ એ જીવો અનંતા છે. અનંતા જીવ માંના એક એક જીવના અસંખ્યાત પ્રદેશી પણાને જણાવવું છે. -૩- આ બંને કારણો ઉપરાંત ત્રીજું મહત્વનું કારણ એ છે કે સૂત્રકાર અગ્રિમ સૂત્રમાં જીવદવ્ય ની એક વિશેષતા જણાવવાના છે. સૂત્ર-૧:૨૬ દેશસંદાર વિસખ્યામ્ પ્રદીપવત્ | આ સૂત્રના સામર્થ્યથી જીવ દ્રવ્યના સંકોચ કે વિસ્તારના સ્વભાવને જણાવે છે. જો આવું અલગ કથન ન કરે તો ધર્મ અને અધર્મદ્રવ્યના સાહચર્યથી પ્રત્યેક જીવ દ્રવ્ય પણ સંપૂર્ણ લોકમાં સતત વ્યાપક રહે છે એવો ભ્રમ કેવિપરીત અર્થ સિધ્ધ થઈ જાય પણ તેમ ન થાય તે માટેજ અહીં સૂત્રકાર મહર્ષિ નીવર્ય ને એવું અલગ કથન કરે છે. ધર્મ-અધર્મદ્રવ્યના પ્રદેશો સતત રીતે લોકમાં વ્યાપ્ત જ રહે છે. જેવા છે તેવા જ સમગ્ર લોકાકાશ માં ફેલાયેલા રહે છે. તેમાં કોઈ ઘટાડો થતો નથી કે વધારો પણ થતો નથી જયારે જીવના પ્રદેશો સંકોચ પણ પામે છે અને વિસ્તાર પણ પામે છે. કેમ કે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશી હોવા છતાં તે શરીર પ્રમાણ થઈને રહે છે જયારે તે જીવ કીડી કે કુંથુઆ ના શરીરમાં હોય છે ત્યારે તેના અસંખ્યાત પ્રદેશો કીડી શરીર પ્રમાણ સંકોચાઈને રહે છે. જયારે એ જ જીવ દ્રવ્ય હાથીના શરીરને પ્રાપ્ત થાય છે ત્યારે તે હાથીના શરીરના પ્રમાણ મુજબ પોતાના પ્રદેશો ફેલાવીને રહે છે. આ રીતે જીવના પ્રદેશના સંકોચ વિસ્તાર ને જણાવવા માટે તેનું અલગ કથન કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy