SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – સૂત્રમાં રહેલ સ ત્ શબ્દનો પહેલો મા સંધરૂપે મૂકાયો છે. ભાષ્યકાર તેને અલગ પાડીને માણાત્ એવો પાઠ લખે છે. મ- શત્ એટલે આકાશ દ્રવ્ય સહિતની મર્યાદા સુધી પૂર્વ સૂત્ર ૫:૨ માં કહેવાએલ સૂત્રક્રમના પ્રામાણ્ય મુજબ ધર્મ-અધર્મકાશ એ અનુપૂર્વી ક્રમ થશે તેથી માં-બાશિત પદથી ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યો[એક-એક દ્રવ્ય છે તેમ સમજવું –આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય એ ત્રણે દ્રવ્યો [હવે પછી કહેવાશે તે મુજબ એક એક વ્યકિતરૂપ છે. ત્રણે દ્રવ્યોની બે અથવા બેથી અધિક વ્યકિતઓ હોતી નથી એ દ્રષ્ટિએ આ ત્રણે દ્રવ્યોનું સાધર્મ છે. " જ પ - શોસાયાર્થમિત્તે – “એક” શબ્દ સામાન્યથી સંખ્યા સૂચક છે. પણ સિધ્ધસેનીયટીકામાં તેનો ઉપરોકત વિશિષ્ટ અર્થ પણ જણાવેલ છે. – અહીંઅસહાયનો અર્થ નિઃસહાય જેવા વ્યવહારૂ અર્થમાં નથી પણ એકત્વના સૂચક તરીકે છે તેને સ્પષ્ટ તયા સમજવા માટે જીવ અને પુદ્ગલના અનેકત્વને સમજવું પડશે. – જે રીતે એક પરમાણુ બીજા પરમાણુ થી અલગ છે એક આત્મા (એટલે કે જીવ) બીજા આત્મા થી જ્ઞાન-સુખ-દુઃખ-જીવન વગેરેમાં અલગ પડે છે, તે રીતે ધર્મદ્રવ્ય બીજા ધર્મદ્રવ્ય થી જૂદુ પડતું નથી કે બીજા ધર્મદ્રવ્યની સહાય અપેક્ષા રાખતું નથી. અર્થાત્ પ્રત્યેક જીવ અલગ દ્રવ્ય છે. પ્રત્યેક પુદ્ગલ અલગ દ્રવ્ય છે પણ પ્રત્યેક ધર્મદ્રવ્ય એ અલગ દ્રવ્ય નથી પણ સમગ્ર ધર્મદ્રવ્ય એક જ છે એ જ રીતે અધર્મદ્રવ્ય,આકાશ દ્રવ્ય પણ એક જ છે. –સંખ્યાવાચીતા ની દ્રષ્ટિએ અર્થ કરીએ તો-તો સ્પષ્ટ જ છે કે ધર્મદ્રવ્ય એકજ છે, અધર્મદ્રવ્ય એકજ છે, આકાશ પણ એકજ છે. અર્થાત આ ત્રણ માંથી કોઈ પણ દ્રવ્યમાં અનેકત્વ છે નહીં. * વ્યાખ:- ધર્મ એક દ્રવ્ય છે, અધર્મ એક દ્રવ્ય છે, આકાશ એક દ્રવ્ય છે આ રીતે આ ત્રણે એક-એક દ્રવ્યો છે. તેવા અર્થને જણાવવા કિ શબ્દ સાથે બહુવચન વાળા ડ્રવ્ય શબ્દને કહ્યો છે. માટે વ્યાખ એવો પ્રયોગ થયો છે. -એક દ્રવ્ય નો અર્થ એ છે કે તેની સમાન જાતીય બીજું દ્રવ્ય હોતુ નથી. હારિભદ્રીય ટીકામાં પણ કહ્યુ છે કે તેષાં સમાનગતિયાન વ્યક્તિ ને સત્ત * સૂત્રફળ - સૂત્રકાર મહર્ષિ સૂત્રમાં દ્રવ્ય કહ્યા પછી સ્વોપન્ન ભાષ્યમાં થવીવેવ્યાન્વેવ એ મુજબ gવ કાર પૂર્વક કથન કરે છે. આ પર્વ કારનું ફળ શું? एव शब्देन नियम्यते एकद्रव्याणि एव एतानि, तुल्य जातीय द्रव्य अभावात् तुल्यतीय દવ્યના અભાવે આ ત્રણે દ્રવ્યો એક જ છે એટલું જ નહીં પણ આ ત્રણે દ્રવ્યો જ એક-એક છે અર્થાત્ પુદ્ગલ અને જીવ દ્રવ્ય અનેક છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં તુલ્ય જાતીય અનેકદ્રવ્યો હોવાને કારણે જીવદવ્ય પણ અનંત છે અને પુદ્ગલ દ્રવ્યો પણ અનંત છે વળી વ કારથી જીવ દ્રવ્યોની અનેકતા જો સિધ્ધ થઈ શકે નહીં તો સંસારાદિ મોક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy