SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ પ સૂત્રઃ ૩૩ ૧૩૭ દૂધ સ્નિગ્ધ છે. પણ તેના કરતાં ગાયનું દૂધ વધારે સ્નિગ્ધ છે તેના કરતાં પણ ભેંસનું દૂધ વધારે સ્નિગ્ધ છે. એજ રીતે દૂધ કરતાં ધાન્યના ફોતરાં વધુ રૂક્ષ છે અને તેના કરતાં રેતીમાં વધારે રૂક્ષતા છે. આ રીતે તરતમતા વાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ પરિણામોમાં જે પરિણામ સૌથી નિકૃષ્ટ અર્થાત્ અવિભાજય હોય તેને જધન્ય અંશ કહેવાય છે. [અર્થાત્ બાકીના બધા અંશો જધન્યતર કહેવાય છે. જધન્યતરમાં મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા આવી જાય છે.- જેસ્નિગ્ધત્વ કે રૂક્ષત્વ પરિણામમાં સૌથી અધિક હોય તે ઉત્કૃષ્ટ અને જધન્ય તથા ઉત્કૃષ્ટની વચમાં હોય તે બધાં પરિણામો મધ્યમ કહેવાય છે) અહીં જધન્ય ગુણને એક અંશ પરિણામ વાળો કહીએ તો ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વ કે રૂલત્વ અનંતાનંત અંશ પરિમિત સમજવું અને બે અંશ,ત્રણ અંશ સંખ્યાત અંશ, અસંખ્યાત અંશ અનંત અંશ અને એક ઓછા ઉત્કૃષ્ટ અંશ એ બધાં મધ્યમ સમજવા. જધન્ય ગુણને સમજવા માટે આટલી વ્યાખ્યા-વિવેચન પર્યાપ્ત છે. * સૂત્રનો સામાન્ય અર્થ-જે પુદ્ગલ પરમાણુ કે અવયવમાં સ્નિગ્ધતાનો જઘન્ય ગુણ [અર્થાએક અંશ જોવા મળતો હોય અથવા રૂક્ષતાનાજધન્ય ગુણ વાળોજેપુદ્ગલ પરમાણુ હોય તો તે બે પરમાણુનો પરસ્પર બંધ થતો નથી. -એક ગુણ અર્થાત અંશ) વાળા સ્નિગ્ધ-રૂક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી * સૂત્રના વિશેષ સ્પષ્ટીકરણોઃ -૧ આ સૂત્ર બંધના નિષેધને જણાવે છે. તે પ્રમાણે જે પરમાણુઓમાં સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વનો અંશ જધન્ય હોય, એ જઘન્ય ગુણવાળાપરમાણુઓનો પારસ્પરિક બંધ થતો નથી. – આ નિષેધાત્મક વાકયથી એ સ્પષ્ટ થાય છે કે મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા યુકત અંશવાળા સ્નિગ્ધ-રૂક્ષ બધાં અવયવોનો પારસ્પારિક બંધ થઈ શકે છે. – આ મધ્યમ કે ઉત્કૃષ્ટ સંખ્યા યુકત ગુણવાળા પરમાણુ સંબંધે જે અપવાદ છે તે હવે પછીના સૂત્ર૩૪ મુસાચ્ચેન્શાનામ્ માં જણાવેલ છે. – ૪ પંડિત સુખલાલજી એ સ્વપજ્ઞ ભાષ્યની વૃત્તિ અનુસાર કરેલ તારણ મુજબ એક પરમાણુ જધન્ય ગુણવાળો હોય અને બીજો જધન્યતર ગુણવાળો હોય તો તેવા સ્નિગ્ધ - રુક્ષ પરમાણુનો બંધ થઈ શકે છે જે દર્શાવતું કોષ્ટક પણ સૂત્ર ૩૫ નીટીકામાં મુકેલ છે. -પ સ્નિગ્ધ કે રૂક્ષનો એક જ અંશ હોય તો પરસ્પર બન્ધ થતો નથી તેમ કહ્યું તેમાં પરસ્પર નો અર્થ સર્દિશ અને વિસર્દિશ બંને માટે ગ્રહણ કરવો અર્થાત્ બંને સ્નિગ્ધ કે બંને રૂક્ષ હોય તો પણ થતો નથી. અને બેમાંથી એક જધન્યગુણ સ્નિગ્ધ હોય અને એક જધન્યગુણ રૂક્ષ હોય તો પણ પરસ્પર બંધ થતો નથી. – આ સૂત્રના આધારે કહી શકાય કે -મધ્યમ ગુણવાળા સ્નિગ્ધ પરમાણુ નો મધ્યમ ગુણવાળા સ્નિગ્ધ પરમાણુ સાથે બંધ થઈ શકે છે. મધ્યમ ગુણવાળા રૂલ પરમાણુ મધ્યમ ગુણવાળા રૂક્ષ પરમાણુ સાથે બંધ થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy