SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૩૨ ૧૩૩ ખોટા છે અને શાસ્ત્રકારો “જ' કાર પૂર્વક કોઈ પણ વાત કરવાની કેમ ના પાડે છે. તેનું મૂળ આ સૂત્રમાં રહેલું છે. કદાચ આગળ વધીને કહીએતો આ રીતે અપેક્ષાવાદથી જીવનશૈલીનુ ઘડતર કરવામાં આવે તો જગતમાં કયાંય દુઃખ કે અણગમો કે અભાવ-અરુચી વગેરે તત્વોનું દર્શન જ ન થાય.આપણા સંબંધમાં આવતી પ્રત્યેક વ્યકિતઓમાં કોઈ પણ પ્રસંગે અપેક્ષાઓ લગાડીને વિચારણા કરીશું તો તે શુધ્ધ અને સાત્ત્વિક વિચારણાથી જીવનમાં એક હકારાત્મક વલણનો ક્રમશઃ વિકાસ થતો જશે. આ હકારાત્મક વલણ કે જીવનશૈલીથી રાગ-દ્વેષની માત્રામાં પણ ક્રમશઃ ઘટાડો થશે.અને સ્યાદ્વાદશૈલીને જાણતો આત્મા-સમ્યકજ્ઞાન-સમ્યક વિચારણા થકી મોક્ષનો પથિક બની જશે. V S T US (અધ્યાયઃ૫-સૂત્રઃ૩ર) 1 [1]સૂત્રરંતુ આ સૂત્ર થકી સૂત્રકાર પુદ્ગલના બંધના હેતુને જણાવે છેપૌલિક બંધના હેતુનું કથન કરે છે. [2]સૂત્રમૂળ- નિક્ષતાદ્વન્ય: 0 [3]સૂત્ર પૃથક-ર્ષિ - ફૂલવાન્ - વ: 3 [4સૂત્રસાર-સ્નિગ્ધઅને રૂક્ષસ્પર્શથી પુદ્ગલોનો બંધ થાય છે U [5]શબ્દજ્ઞાનઃનિષ-સ્નિગ્ધત્વ,ચીકણાપણું સર્વ-રૂકત્વ, લુખાંપણું વિશ્વ-પરસ્પર સંશ્લેષ, જોડાણ U [6]અનુવૃત્તિઃ - સ્પષ્ટતયા કોઈ સૂત્રની અનુવૃત્તિનથી પરંતુ પુસ્ટને આશ્રીને આ સૂત્ર હોવાથી પૂર્વના અધિકાર નું અહીં અનુકર્ષણ કરાયેલ છે તે સમજી લેવું 0 [7]અભિનવટીકાઃ- આ પૂર્વે આ અધ્યાયના સૂત્રભાં સ્કન્ધોની ઉત્પત્તિના ત્રણ કારણ જણાવેલા સંઘાત ભેદ અને સંઘાત-ભેદ પણત્યાં એસ્પષ્ટીકરણ કરાયું હતું કે સંઘાત થાય કઈ રીતે? પુદ્ગલોના સંયોગ માત્રથી સંઘાત થઈ જાય છે કે તેમાં બીજી પણ કંઈ વિશેષતા છે? –સંયોગ થવાથી જે પુદ્ગલો બધ્ધ થાય છે એટલે કે જે એક ક્ષેત્રાવગાહને પ્રાપ્તકરીને એકત્વરૂપે પરિણમન કરાવવા વાળા સંશ્લેષ વિશેષને પ્રાપ્ત કરે છે. તેનો જ સંઘાત થાય છે. સંયોગમાત્ર થી સંઘાત થતો નથી -હવે જે પુગલોનો બંધ થાય છે તે બંધ કેવીરીતે થાય છે? અથવા આ પુદ્ગલોનો બંધ કયા કારણોથી થાય છે? એ જણાવવા આ સૂત્રની રચના કરાયેલી છે. જ સ્નિગ્ધઃ- ચીકણા પણ,સ્નેહ એટલે સ્નિગ્ધતા –જે પરમાણું ઓમાં ઘી,તેલની માફક સ્નેહ-ચીકાશ હોય છે તેને સ્નિગ્ધ પરમાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy