SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કહેવાય છે. –બાહ્ય અને અભ્યન્તર કારણથી જે સ્નેહ પર્યાય ઉત્પન્ન થાય છે તેનાથી તે પુગલો સ્નિગ્ધ કહેવાય છે. – સ્નાતે ત ત દ્વિધ: જ :- સ્નિગ્ધથી વિપરીત પરિણામ ને ફૂલ કહે છે. –રાખની માફક લૂખાપણા રૂપ ગુણ રૂક્ષત્વ કહેવાય છે – આ લૂખા)રૂખાપણાને કારણે પુદ્ગલ રૂક્ષ કહેવાય છે. -ફૂલવાત્ રૂતિ ફૂલ: * વજા- બન્યું એટલે જોડાણ,પરસ્પર સંશ્લેષ – બંધ એટલે એકત્વ પરિણામ –બંધ એટલે પુદ્ગલોનો સંયોગ [અંતર વિના સહ અવસ્થાન થયા બાદ અવયવઅવયવિ રૂપે પરિણમન * સંકલિત અર્થ:- જયારે સ્નિગ્ધ અથવા રૂક્ષ પુદ્ગલ પરસ્પર સ્પષ્ટ થાય છે. ત્યારે તેનું બંધ પરિણામન થાય છે. –પુગલ પરમાણુ ઓકિસ્કન્ધો] સ્નિગ્ધ અને રૂક્ષસ્પર્શવાળા હોવાથી પરસ્પર સ્પર્શેલા પરમાણુઓનો સંયોગ કે જોડાણ તે બન્ધ કહેવાય છે. * વિશેષ:- આમ તો સૂત્ર અતિ સ્પષ્ટ જ છે તો પણ તેને વિશેષતયા સમજાવામાં કેટલાક મુદ્દા ઉપયોગી થશે જ આ પૂર્વે સૂત્ર ૧:૨૩ સરસચૈિવવન્ત: પુત્ર: માં આઠ પ્રકારના સ્પર્શોનું વર્ણન કરેલું હતું તે આઠ સ્પર્શોમાં એક ભેદ સ્નિગ્ધ હતો અને એક ભેદ રૂક્ષ હતો. આ બે સ્પર્શે ને આશ્રીને જ અહીં બંધની વ્યાખ્યા કરાયેલી છે તેથી બાકીના છ સ્પર્શેની વિચારણા કરવાની રહેતી નથી. જ પૌગલિક સ્કન્દની ઉત્પત્તિ એના અવયવભૂત પરમાણુ આદિના પારસ્પારિક સંયોગ માત્રથી થતી નથી, એના માટે સંયોગ ઉપરાંત પરમાણુમાં સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ગુણો હોવા જરૂરી છે. # જયારે પૂરણ-ગલન સ્વભાવવાળા પુલના સ્નિગ્ધ-રૂક્ષ પરમાણુ કે સ્નિગ્ધ અને ફૂલ અવયવ પરસ્પર મળે છે. જોડાણ પામે છે કે સંશ્લેષ પામે છે. ત્યારે તેનો બંધ થાય છે. એટલે કે તે ઉભય પુગલો એકત્વ પરિણામ ને પામે છે. $ આવા બંધ થી ૮ણુક આદિ સ્કન્ધોની ઉત્પત્તિ થાય છે. $ આ ચિકાશ કે સ્નેહ વાળા સ્નિગ્ધ પુદ્ગલો અને વિપરીત પરિણામી એવા લખા કે રૂક્ષ પગલો જે જોડાણ પામે છે તેના અંશોની તરમતાથી અનંતભેદ થઈ શકે છે. કેમ કે અવિભાગ પ્રતિશ્કેદીએવા નાનામાં નાના એક અંશ ગુણથી લઈને સંખ્યાત, અસંખ્યાત,અનંત અને અનંતાનંત ભેદ આ સ્નિગ્ધત્વ-રૂક્ષત્વના કહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy