SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૨૫ ૧૦૫ જન્ય અર્થ દેખાડવા માટે આ શબ્દ તથા તેના સામાન્ય અર્થનું અહીં પુનઃગ્રહણ કરેલ છે. પરમ એટલે અંતિમ અને અણુએટલે અંશ,પુદ્ગલનોછેલ્લામાં છેલ્લો અને અવિભાજય અંશ હોવાથી તેને પરમ-અણુ અર્થાત્ પરમાણું કહે છે. छ एकरसः- तिक्तरसादि अपेक्षया एकरस: - પૂર્વે સૂત્ર ૫:૨૩ માંજણાવેલા પાંચરસ માંનો કોઈપણ એક રસ આ પરમાણુમાં અવશ્ય હોય છે. स एक गन्धः सुरभिगन्धादि अपेक्षया एकगन्ध: –પૂર્વેસૂત્ર ૫:૨૩ મા જણાવ્યા મુજબ ગંધ બે પ્રકારે છે. આ બંનેમાંથી કોઈપણ એક ગંધ આ પરમાણુમાં અવશ્ય હોય છે. प एक वर्ण:- कृष्णादि वर्णापेक्षया एक वर्ण: –પૂર્વેસૂત્ર૫:રરૂમાં જણાવ્યાનુસાર વર્ણ પાંચ પ્રકારે છે તે પાંચ વર્ણમાંનો કોઇપણ એક વર્ણ આ પરમાણુમાં અવશ્ય હોય છે. 4 द्वि-स्पर्श: शीतकठिनताद्यविरुद्धस्पशपिक्षया પૂર્વ સૂત્ર ૧:૨૩ માં આઠ પ્રકારે સ્પર્શ જણાવેલા છે, તેમાંથી સ્નિગ્ધ શીત સ્નિગ્ધઉષ્ણ, રુક્ષ-શીત, રુક્ષ ઉષ્ણ એ ચારે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પને આશ્રીને તેના બે સ્પર્શ પરમાણુમાં અવશ્ય હોય છે. * कार्यलिङ्ग:- बादरघटादिकार्यदर्शनान्यथाऽनुपपत्तिगम्य इति । –પરમાણુનું અનુમાન કાર્યક્ષેતુથી માનવામાં આવે છે, પરમાણુ અનુમેય છે. તેનું “કાર્યએ તેનું ઓળખચિહ્ન છે માટે પરમાણુને માર્યા કહેલ છે જયારે અનેક પરમાણુ એકઠા થઈને કાર્યરૂપે પરિણમે છે ત્યારે અનુમાન થકી એકલા પરમાણુ નું જ્ઞાન થાય છે. આપણી દૃષ્ટિમાંઆવતાજેટલાયૂળ કાર્ય છે તેને જોઈને પરમાણુનોબોધ થાય છે. જેમકેબાદર એવા ઘડા રૂપ કાર્યને જોઈને તેના કારણરૂપ પૃથ્વીના પરમાણુનું અનુમાન થઈ શકે છે. 6 અવ-પરમાણુ અબધ્ધ હોય છે. એટલે કે પરસ્પર અસંયુકત કે અસંશ્લિષ્ઠ હોય છે પણ જોડાયેલ હોતો નથી. * स्कन्धः बद्धा एव, बन्धपरिणाम एव स्कन्धत्व-उपपत्तेः इति । -પુદ્ગલ દ્રવ્યનો બીજો પ્રકાર સ્કંધ છે. સ્કંધ બધા બધ્ધ એટલે કે સમુદાય રૂપે જ હોય છે. -તે પોતાના કારણ દ્રવ્યની અપેક્ષાએ કાર્યક્રવ્ય રૂપ અને કાર્યદ્રવ્ય અપેક્ષાએ કારણ દ્રવ્ય રૂપ છે. જેમ ઢિપ્રદેશી આદિ સ્કંધ એ પરમાણું આદિનું કાર્ય છે અને ત્રિપ્રદેશ આદિનું કારણ છે. કેમ કે બે પરમાણુ ઓનો એક સ્કંધ બને ત્યારે એક પરમાણુ કારણ થશે અને સ્કંધ કાર્ય થશે એજ રીતે ત્રણ પરમાણું [પ્રદેશ)નો સ્કંધ બને ત્યારે બે પરમાણુ પ્રિદેશ]કારણ કહેવાશે અને સ્કન્ધ કાર્ય કહેવાશે એ રીતે... આ સ્કન્ધો સૂક્ષ્મ અને સ્થૂળ બંને પરિણામ વાળા હોય છે. સૂક્ષ્મ પરિણામી સ્કન્ધો આંખેથી જોઈ શકતા નથી. સ્થળ બાદર) પરિણામી સ્કન્ધો જોઈ શકાય છે. – બાદર પરિણામી સ્થૂિળસ્કન્ધોમાં આઠે પ્રકારનો સ્પર્શ હોય છે. જયારે સૂક્ષ્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy