SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૨૪. ૯૯ (૨)બધ્ધ બંધ -દોરાથી બંધાયેલી સોયા સમાન જેમાં સોયો છૂટી પાડવા દોરો છોડવો પડે તેમ કર્મો થોડું ફળ આપીને જ છૂટાં પડે તેવા બંધ (૩)નિધત્ત બંધ- દોરાથી બંધાયેલ અને કટાઈને ભેગી થયેલી સોયો સમાન. જેમ આ સોયો છૂટી પાડવા થોડી વિશેષ મહેનત લેવી પડે તેમ કર્મો ઘણું ફળ આપીને જ છૂટા પડે તેવો બંધ (૪)નિકાચિત બંધઃ- સોયોને ઘણ થીફૂટીને એકમેક બનાવેલી હોય તો નવી સોયો જ બનાવવી પડે તેમ કર્મો પોતાનું પૂર્ણ ફળ આપીને જ છૂટા પડે તે નિકાચિત બંધ # ૩-ફૂમતા (સોચ):-સૂક્ષ્મતા એટલે પાતળા પણું કે લઘુતા વગેરે સૂક્ષ્મતા બે પ્રકારની કહી છે (૧)અંત્ય (૨)આપેક્ષિક –અન્યમૂક્ષ્મતા-પરમાણુની સૂક્ષ્મતા અંત્યસૂક્ષ્મતા છે. આ જગતમાં પરમાણુથી વધારે સૂક્ષ્મ કોઈ પુદ્ગલ નથી. તેથી પરમાણુની સૂક્ષ્મતા છેલ્લા માં છેલ્લી છે. . - પક્ષિવૃક્ષ્મતા:-અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સૂક્ષ્મતા તે આપેશિક સૂક્ષ્મતા છે. યણુકાદિકમાં અપેક્ષિકસૂક્ષ્મતા રહે છે. આ અપેશિક સૂક્ષ્મતાસંઘાતરૂપસ્કન્ધોના પરિણમન ની અપેક્ષાએ હોય છે. જેમ કે આમળાની અપેક્ષાએ એ બોર સૂક્ષ્મ છે અથવા ચણક ની અપેક્ષાએ યણુક સ્કન્ધ સૂક્ષ્મ છે. $ ૪-પૂર્ણતા( ત્ય):- સ્થૂળતા એટલે મોટાપણું કે ગુરુતા વગેરે સ્થૂળતા પણ બે પ્રકારી કહી છે (૧)અંત્ય (૨)આપેક્ષિક –અન્યછૂઝતી - સંપૂર્ણ લોક વ્યાપી એવો અચિત્ત મહાસ્કન્ધ તે અન્ય સ્થૂળતા છે કારણ કે મોટામાં મોટુ પુદ્ગલ દ્રવ્યલોક સમાન છે તેનાથી મોટું કોઈ પુદ્ગલ નથી અને અલોકાકાશ માં તો પુદ્ગલની ગતિ છે જ નહીં -છૂટતા :- અન્ય વસ્તુની અપેક્ષાએથતી સ્થૂળતા તે આપલિક સ્થૂળતા કહી છે. જેમકેબોરની અપેક્ષાએ આમળો સ્થળ છે. આ સ્થૂળતાનો આધાર સંધાતરૂપ સ્કન્ધોના પરિણમન ની અપેક્ષાએ હોય છે જેમ કે સંખ્યાત અણુકની અપેક્ષાએ અસંખ્યાત અણક સ્થળ છે. -[સૂક્ષ્મતા-સ્થૂળતા પરમાણુ થી વધુ કંઈ સૂક્ષ્મ નથી અને અચિત મહાસ્કન્ધ થી વધુ કંઈ સ્કૂળ નથી. તેની મધ્યમાં રહેલ તમામ પુદ્ગલ સ્કન્ધોમાં પરસ્પર આપેક્ષિક સૌમ્ય કે સ્થૌલ્ય હોય છે. # પસંસ્થાન:સંસ્થાન એટલે આકાર કે આકૃતિ આ આકૃતિના બે ભેદ જણાવે છે.-ઇત્યંલક્ષણ,અનિયંલક્ષણ –તથંક્ષ-જેઆકારની કોઈની સાથે તુલના કરી શકાય તે અત્યંત્વરૂપ આકૃતિ કહેવાય જેમ કેદડો, મકાન વગેરે તેમની આકૃતિ,ગોળ,ત્રિકોણ, ચતુષ્કોણ,વલયાકાર,આદિ અનેક રૂપે કહી છે. –નયંત્વ ક્ષ--જે આકારની કોઈની સાથે તુલના ન કરી શકાય તે અનિયંત્વરૂપ આકૃતિ કહેવાય. જેમ કે મેઘ આદિનું સંસ્થાન એટલે કે રચના આ આકૃતિ અનિયતરૂપ હોવાથી કોઈ એક પ્રકારે એનું નિરૂપણ કરી શકાતું નથી. –જીવના શરીરરૂપ પુદ્ગલને આશ્રીને સંસ્થાનઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy